SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ધન્ય ધરા સાહિત્ય જ્ઞાનસત્રો યોજે છે. શ્રી સૌરાષ્ટ્ર દશાશ્રીમાળી સેવા સંઘ, બૃહદ્ મુંબઈ સ્થાન. જૈન મહાસંઘ, જૈન અધ્યાત્મ સ્ટડી સર્કલ ઘાટકોપર વ. સંસ્થાઓ સાથે સંકળાયેલા છે તથા ચેમ્બર જૈન સંઘના ટ્રસ્ટી, ઘાટકોપર જૈન સંઘના સેક્રેટરી તરીકે સેવા આપેલ છે. તેમનાં ધર્મપત્ની ડૉ. મધુબહેને હિન્દી સાહિત્યમાં સંશોધન કરી ડોક્ટરેટ Ph. D. પ્રાપ્ત કરેલ છે. ગુંજન બરવાળિયા'ના નામે તેમનાં ધર્મ, અધ્યાત્મ ઉપરાંતના વિવિધ વિષયો પર લખાણો મુંબઈ સમાચાર, “જન્મભૂમિ', “દશાશ્રીમાળી', “જૈનપ્રકાશ”, “પ્રાણપુષ્પ” “શાસનપ્રગતિ', “ધર્મધારા', જૈનસૌરભ', વિનયધર્મ વ.માં પ્રગટ થાય છે. મુંબઈ સમાચારમાં પ્રગટ થયેલ ગુણવંતભાઈના લેખને ૧૯૯૭ના મુંબઈ જૈન પત્રકાર સંઘ શ્રેષ્ઠ પત્રકાર એવોર્ડનું પ્રથમ પારિતોષિક પ્રાપ્ત થયું છે. એમ. બી. બરવાળિયા ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તેઓ હોલિસ્ટિક હેલ્થકેરને લગતા પ્રકલ્પો ચલાવે છે તેમની સાથે સંકળાયેલા છે. શ્રી ગુણવંતભાઈ લાંબા સમયથી અમારા માર્ગદર્શક બની રહ્યા છે. – સંપાદક ' તો આ )) પણ ' ફોટ : આત્માનંદસભા ભાવનગરના સૌજન્યથી તેમને એક વાતનું મોટું દુઃખ હતું. તેમને સંતાન થતાં, પણ જીવતા રહેતાં નહીં. જન્મ પછી બાળક પંદરવીસ દિવસે ગુજરી જતું. આથી તેઓ ઘણા નિરાશ થઈ ગયાં હતાં. એક દિવસ કોઈ સંન્યાસી મહારાજ પધાર્યા હતા. તેઓ સિદ્ધવચની તરીકે ઓળખાતા હતા. ટેકસિંહ અને કર્મો તેમની પાસે ગયાં અને પોતાનાં દુઃખની વાત કરી. તે વખતે એ સંન્યાસી મહારાજે તેમને આશીર્વાદ આપીને આગાહી કરતાં કહ્યું કે, “તમારે હવે એક સંતાન થશે. તે પુત્ર હશે. તમારો એ પુત્ર જીવશે, પરંતુ તે સાધુ-સંન્યાસી થઈ જશે. એને સાધુ-સંન્યાસી થતાં તમે અટકાવતાં નહીં.” સાધુ મહારાજના આશીર્વાદથી ટેકસિંહ અને કર્મોને આનંદ થયો. તેમણે કહ્યું, “ગુરુમહારાજ! અમારો દીકરો જો જીવતો રહે તો પછી ભલેને એ સાધુ-સંન્યાસી થાય. એથી મને તો આનંદ જ થશે. એને જોઈને અમારું જીવ્યું લેખે લાગશે. અમે વચન આપીએ છીએ કે એને સંન્યાસી થતાં અમે અટકાવીશું નહીં.” ત્યાર પછી સં. ૧૮૬૩માં તેમના ઘેર બાળકનો જન્મ થયો. બાલક અત્યંત તેજસ્વી હતું. પતિપત્ની બાળકને લાડકોડથી ઉછેરવા લાગ્યાં. પંદર-પચીસ દિવસ થવા છતાં બાળકને કશું થયું નહીં. એથી તેમનો ડર નીકળી ગયો. તેમનો ઉત્સાહ વધી ગયો. સાધુ મહાત્માનું વચન જાણે સાચું પડતું હોય તેવું લાગ્યું. એમ કરતાં બાળક મોટું થવા લાગ્યું. બાળકનું નામ “ટલસિંહ' રાખવું એવી ભલામણ સાધુ મહાત્માએ કરી હતી. પંજાબી ભાષામાં ટલ એટલે વાજિત્ર. સાધુ ક નક પટેલ શ્રી ભૂટેરાયજી મહારાજ શ્રી બૂટેરાયજી મહારાજનો જન્મ પંજાબમાં લુધિયાણા પાસે દુલુઆ નામના ગામમાં વિ.સં. ૧૮૬૩માં થયો હતો. તેમના પિતાશ્રીનું નામ ટેકસિંહ હતું. તેઓ જાટ જાતિના હતા. તેઓ જમીનદાર હતા અને ગામના મુખી હતા. તેમનું ગોત્ર ગિલ હતું. ટેકસિંહનાં પત્નીનું નામ કર્મો હતું. તેઓ પંજાબમાં પતિયાલા રાજ્યના જોધપુર નામના ગામના વતની હતાં. ટેકસિંહ અને કર્મોનું દામ્પત્યજીવન સુખી હતું પરંતુ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy