SearchBrowseAboutContactDonate
Page Preview
Page 538
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨૮ ધન્ય ધરા અભ્યાસાનુભવ ધરબાયેલા રહ્યા છે. એમની કિશોરાવસ્થા તથા યુવાવસ્થા દરમિયાન આપણો દેશ સ્વાધીનતા સંગ્રામની લડતના મહત્ત્વના તથા અંતિમ તબક્કામાંથી પસાર થઈ રહ્યો હતો. મહાત્મા ગાંધીજીનું આ અંતિમ તબક્કાનું સક્ષમ અને સબળ નેતૃત્વ રામલાલભાઈએ સક્રિયતાથી નિહાળ્યું હતું અને તેથી એમના જીવનની પ્રારંભિક અવસ્થાનાં મહત્ત્વનાં-ઘડતરનાં વર્ષ આઝાદીના સંગ્રામના રસાયણથી રસાયેલાં હતાં. આથી નીડરતા અને સ્વતંત્ર વિચારસરણી એમના હાડમાં વ્યાપેલાં હતાં. આમ, ઇતિહાસ સર્જક ઘટનાઓએ એમના આરંભના અઢી દાયકાના જીવનને ઘડવામાં શ્રેયાર્થી ફાળો પ્રદત્ત કર્યો હતો, જે સંસ્કારોએ કરીને જીવનના છેલ્લા ચાર દાયકા સુધી એમણે મહાત્મા ગાંધીજીએ સ્થાપેલી અને રાષ્ટ્રીય શિક્ષણની પ્રેરણાદાયી સંસ્થા ગૂજરાત વિદ્યાપીઠના સર્વગ્રાહી વિકાસાર્થે સમર્પિત થયા હતો. સંભવ છે કે પ્રારંભિક જીવનના ઘડતરકાળ દરમિયાન ઇતિહાસી ઘટનાઓના પ્રત્યક્ષ પ્રત્યયી બનવાને કારણે એમણે પારંગતની પદવી પ્રાપ્ત કરવા કાજે ભારતીય સંસ્કૃતિનો વિષય પસંદ કર્યો હતો. આ વિષય પરત્વેની જ્ઞાનસંપ્રાપ્તિથી પ્રેરાઈને અને અંકે કરેલી અભિરુચિને વશવર્તીને એમણે વિદ્યાવાચસ્પતિના અભ્યાસના ભાગરૂપે “સાબરકાંઠાની પુરાવસ્તુ' વિષય અન્વેષણાર્થે પસંદ કર્યો હતો,-વડોદરાસ્થિત મહારાજા સયાજીરાવ વિશ્વ વિદ્યાલયના “પ્રાચીન ભારતીય ઇતિહાસ અને પુરાવસ્તુવિદ્યા’ વિભાગના ઉપક્રમે, પરનું આઝાદીની લડતે એમનામાં જાહેરજીવનના જે બોધપાઠ અંકુરિત કરેલા તેના સંદર્ભે રાજનીતિમાંની એમની વ્યસ્તતાને કારણે તેઓ અન્વેષણકાર્ય પૂરું કરી શક્યા નહીં, પણ અન્વેષણની જે બાળપોથી એમણે જાણીતા પુરાવિદ ડૉ. હસમુખ ધીરજલાલ સાંકળિયાના માર્ગદર્શન હેઠળ દીક્ષાર્થે સ્વીકારેલી તેના સંસ્કાર જીવનપર્યત એમનામાં ઇતિહાસની દૃષ્ટિ તરીકે હાડબદ્ધ થઈ ગયેલા. આમ, બંને રીતે તેઓ આજીવન ઇતિહાસના સાધક બની રહેલા. ગૂજરાત વિદ્યાપીઠના ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગ તરફથી પ્રકાશિત ગ્રંથોમાં રામલાલભાઈએ લખેલાં આમુખપ્રસ્તાવનામાં વ્યક્ત થયેલા વિચારોથી સ્પષ્ટ થાય છે કે મૂળભૂત રીતે રામલાલભાઈ ઇતિહાસ અને સંસ્કૃતિના આજીવન આરૂઢ વિચારક હતા. સમયની વ્યસ્તતાને કારણે કોઈ ઇતિહાસગ્રંથ એમણે આપ્યો નથી, પણ વારંવાર એમણે વિવિધ વ્યાખ્યાનોમાં અને ગ્રંથ-પ્રસ્તાવનામાં ઇતિહાસ વિશેની એમની સમજ પ્રગટ થયેલી જોઈ શકાય છે. ઇતિહાસવિષયક ગ્રંથોનું એમનું વ્યાપક વાચન ધ્યાનપાત્ર ગણાય. આથી તો તેઓ બુનિયાદી રીતે ઇતિહાસવિચારક હતા અને તેમાંથી એમનું જે કાઠું ઘડાયું તે કેળવણીકારનું. એમના પ્રત્યેક પ્રયાસના પાયામાં જે જોવું પ્રાપ્ત થાય છે તે છે ઇતિહાસ વિશેનું એમનું અધ્યયન અને ઇતિહાસની ઘટનાઓનું આકલન. આથી સ્તો કટોકટી સમય દરમિયાન તેઓ જેલવાસ ભોગવી રહ્યા હતા ત્યારે એમણે વિશેષ વાચન તો ઇતિહાસના ગ્રંથોનું કર્યું છે અને એવા ગ્રંથો એમને સુલભ કરી આપવામાં આ લેખક નિમિત્ત બન્યા હતા. જેલવાસ દરમિયાન જ એમણે ઇ.એચ.કારના ગ્રંથ 'What is History ગુજરાતીમાં અવતરણ કર્યું હતું-અનુવાદ કર્યો હતો. પણ દુર્ભાગ્યે એ હસ્તપ્રત અપ્રગટ રહી છે. ઇતિહાસની ઘટનાઓના કર્મઠ અવલોકનકાર અને એ ઘટનાઓને અર્થઘટનના પરિપ્રેક્ષ્યમાં વિચારભાથું સંપડાવી આપનાર રામલાલભાઈ ઇતિહાસજ્ઞ હતા. ગૂજરાત વિદ્યાપીઠના સર્વાગીણ વિકાસમાં રામલાલભાઈનું પ્રદાન કેવળ ધ્યાનાર્હ જ નહીં બલ્ક અમૂલ્ય છે. વિશ્વવિદ્યાલય કક્ષાએ ગૂજરાત વિદ્યાપીઠને પહોંચાડવાનું શ્રેય એમને આપવું જ રહ્યું. આંતરરાષ્ટ્રીય વિદ્યાજગતમાં પણ ગાંધીવિચાર અને વિદ્યાપીઠની શિક્ષણપ્રથાને વાસ્તે એક મૂઠી ઊંચેરું સ્થાન પ્રાપ્ત કરી આપ્યું. મહાત્મા ગાંધીજીના વિચારના સમર્થ આચાર્ય એવા ફ્રાન્સના ગાંધી, ઇટલીના ગાંધી, શ્રીલંકાના ગાંધીના પવિત્ર વિચારોથી વિદ્યાપીઠ સમૃદ્ધ થઈ હતી તે પણ રામલાલભાઈને કારણે. પ્રૌઢશિક્ષણ, આદિવાસી શિક્ષણ, નિરંતર શિક્ષણ જેવા પ્રયોગો પણ એમને આભારી છે. વિશ્વ વિદ્યાલયજગતમાં દફતરવિદ્યાનો તાલીમી અભ્યાસક્રમ પણ પહેલપ્રથમ વિદ્યાપીઠે શરૂ કરેલો. આદિવાસી સંશોધન અને સંગ્રહાલય, ભારતીય સંસ્કૃતિ સંગ્રહાલય, આંતરભારતી ભાષા પ્રયોગ જેવા નવતર પ્રયોગો પણ રામલાલભાઈની દીર્ઘદૃષ્ટિનું પરિણામ છે. વિદ્યાપીઠની પ્રકાશન પ્રવૃત્તિને પણ સુંદર ગતિશીલતા બક્ષી. ગાંધીવિચારનાં મૂલ્યો સાથે કશું પણ સમાધાન કર્યા સિવાય શિક્ષણને આધુનિક ઓપ આપવામાં એમણે સંનિષ્ઠ પ્રયાસો કર્યા છે. ટૂંકમાં રામલાલભાઈએ ગૂજરાત વિદ્યાપીઠને વિશ્વસ્તરે સમ્માનીય સ્થાન અપાવ્યું, કહો કે વિશ્વશિક્ષણના નકશામાં ગૂજરાત વિદ્યાપીઠનો સંબંધ સાંકળી આપ્યો. Jain Education Intemational ucation Intermational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy