SearchBrowseAboutContactDonate
Page Preview
Page 529
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૯ શાશ્વત સૌરભ ભાગ-૨ ધરતીકંપે સર્જેલી તારાજીમાં લોકસેવા માટે પહોંચી ગયા. ટૂંકી બિમારી બાદ ઈ.સ. ૧૯૩૮માં માત્ર ૪૯ વર્ષના આયુષ્યમાં આ મહાન જ્યોતિ નિર્વાણ પામી. સંગીતક્ષેત્રે એમણે જે પ્રદાન કર્યું છે તેને સંગીતરસીકો ભૂલી શકશે નહીં. સનાતન ધર્મના આચાર્ય નથુરામ શમાં સ્વયં પુરુષાર્થ અને પ્રભુકૃપાથી એક સામાન્ય શિક્ષકમાંથી સનાતન ધર્મના આચાર્ય તરીકે પ્રસિદ્ધ થયેલા નથુરામ શર્માનો જન્મ લીંબડી પાસેના એક ગામમાં થયો હતો. કોલેજનો અભ્યાસ પૂર્ણ કરી પોરબંદર પાસેના અડવાણામાં બાર રૂપિયાના માસિક પગારે તેઓ શિક્ષક તરીકે જોડાયા. દરમિયાન કબીર સાહેબ અને દાદુજીની વાણીની તેમના પર ભારે અસર થઈ. તેમની જેમ તેઓ પણ દોહરા રચતા. એક દિવસ નથુરામે ઘર છોડી ગિરનાર ઉપર હનુમાનધારા પાસેના એકાંત સ્થળમાં સમાધિ લગાડી હતી. તેમને લગ્ન કરવાં ન હતાં, તેથી તેઓએ કૈલાસ પર્વત પર આસન લગાવ્યું. અન્નજળનો તેમણે ત્યાગ કરી દીધો ને પ્રભુ રામનું રટણ કરવા લાગ્યા. ભગવાને તેમને દેશમાં જઈ ધર્મનો પ્રચાર કરવા કહ્યું. દરમિયાન નથુરામ શર્માએ બીલખામાં આનંદાશ્રમ બાંધ્યો. પોતાના જીવનના લગભગ સાડાત્રણ દાયકાનો સમય આ આશ્રમમાં વિતાવ્યો. માંદગી દરમિયાન પણ દરરોજ એક દોહરો લખવાનો નિયમ ચાલુ રાખ્યો હતો. તા. ૬૧૧-૧૯૩૧ના રોજ ૭૩ વર્ષની ઉંમરે પાટ ઉપર બેઠાં બેઠાં જ પોતાના સ્થૂળ શરીરનો ત્યાગ કર્યો. “પરમપદ બોધિની'ના પુસ્તકમાં નથુરામ શર્મા લખે છે. “એવો રે દિવસ ક્યારે આવશે, ભૂલી જઈશ હું સઘળો સંસાર; ચિત્તવૃત્તિ ચોંટી રહેશે ચિદાત્મમાં, અળગા થાશે સર્વ વિષય વિકાર!” 'ગોસ્વશાળી પ્રતિભાઓ છે કલાપી કનૈયાલાલ મુનશી કે. કા. શાસ્ત્રી Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy