SearchBrowseAboutContactDonate
Page Preview
Page 528
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧. પ્રકાશન “માનવ થાઉં તો ઘણું' લઘુલેખોનો સંગ્રહ છે, જેમાં વ્યક્તિત્વ ઘડતર માટે અનિવાર્ય એવા કેટકેટલા ચારિત્ર્યગુણો વિશે તેમણે લખ્યું છે. આ લેખો માટે તેમને કુમારચંદ્રક અર્પણ કરીને વિભૂષિત કર્યા હતા. તેમની પાસે કસાયેલી અને કેળવાયેલી કલમ હતી અને એથીય અધિક સુંદરતર પરગજુ ભાવનાશાળી હૈયું હતું. હાથ ચાલ્યા ત્યાં સુધી એમણે કલમ પાસેથી કામ લીધું અને જીભથી ન અપાયું તો લેખિનીથી છેવટે જેટલું અપાયું તેટલું સમાજને આપતા ગયા. અચાનક તેમને Motor neuroneનામનો જ્ઞાનતંતુઓનો અસાધ્યરોગ થયો અને માત્ર ૫૧ વર્ષની વયે અવસાન પામ્યા. શિક્ષણજગત અને સાહિત્યગગનનો એક નવોદિત તારક સહેજસાજ ચમકી, ઝબકી જીવનની એક આછી તેજરેખા દોરતો અસ્ત પામી ગયો. ફિલ્મઅભિનેતા સંજીવકુમાર ગુજરાતી રંગભૂમિમાંથી હિંદી ફિલ્મક્ષેત્રે પ્રવેશ કરનાર સંજીવકુમારનો જન્મ ઈ.સ. ૧૯૩૮માં થયો હતો. તેમનું વતન સુરત. પ્રારંભમાં તેમણે રંગભૂમિ ક્ષેત્રે પોતાનું પ્રારબ્ધ અજમાવવા અને શોખ સંતોષવા નાટકોમાં ભૂમિકાઓ ભજવેલી. એક દિવસ ફિલ્મ જગતના પ્રથમ પંક્તિના અદાકારોમાં એણે સ્થાન પ્રાપ્ત કરી લીધું હતું. ‘નિશાન’ પછી ‘સંઘર્ષ’, ‘બીવી ઔર મકાન’, ‘ચંદા ઔર બિજલી’, ‘અંગાર’, ‘રાજા ઔર રાંક' જેવા ચિત્રોમાં અભિનય આપ્યો. આ નટસમ્રાટે સંખ્યાબંધ હિન્દી ચિત્રોમાં યાદગાર ભૂમિકા કરી છે. ‘સત્યકામ’, ‘અર્જુન પંડિત’, ‘જિગર અને અમી’ અને ‘મારે જાવું પેલે પાર' માટે ગુજરાત રાજ્યનો શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો હતો. કારકિર્દીની શરૂઆતમાં નવા અભિનેતાઓ રોમેન્ટિક અને એંગ્રી યંગમેન પ્રકારના નાયકની છાપ ઊભી કરવા મથતા હોય છે ત્યારે સદાબહાર સંજીવકુમારે ‘સંઘર્ષ’ ફિલ્મમાં દિલીપકુમારની સામે ખલનાયકની ભૂમિકા ભજવી પ્રેક્ષકોની જ નહીં, ખુદ દિલીપકુમારની પણ દાદ મેળવી. અમેરિકાથી બાયપાસ સર્જરીનું ઓપરેશન કરાવીને આવ્યા બાદ તેમની તબિયત લથડી અને ૬૧૧-૧૯૮૫ના રોજ અવસાન પામ્યા. વનસ્પતિશાસ્ત્રી જયકૃષ્ણ ઇન્દ્રજી પંડિત ભગવાનલાલ ઇન્દ્રજીના શિષ્ય જયકૃષ્ણ ઇન્દ્રજીનો જન્મ કચ્છના લખપત ગામે વિજયાદશમીને દિને થયો હતો. Jain Education International ધન્ય ધરા શરૂઆતની જિંદગી રસોઈયા તરીકે અને પાછળથી જૂના પુસ્તકોની લે-વેચ કરવાનો વ્યવસાય તેમણે કરેલો. મથુરામાં વ્રજ અને હિંદી શીખ્યા. ત્યાં ભગવાનલાલજી શિલાલેખોનું કામ કરતા ત્યારે જયકૃષ્ણ આજુબાજુ ફરતા અને ત્યાં ઊગેલી વનસ્પતિઓ ઓળખતા. તે શોખ વિકસતાં તેમણે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં ઘણું ભ્રમણ કર્યું. પોતાના અંગ્રેજ શુભેચ્છકોની મદદથી તેઓ પોરબંદર રાજ્યના વનખાતાના ઉપરી તરીકે નિમાયા. સંશોધનાર્થે તેમણે આખો બરડો ડુંગર ખૂંદી નાખ્યો. તેમણે ‘વનસ્પતિશાસ્ત્ર' નામનું અભ્યાસસંશોધનપૂર્ણ પુસ્તક લખ્યું. છસોથી પણ વધારે વનસ્પતિઓનું વર્ણન અને ઉપયોગો દર્શાવ્યાં છે. ઉપરાંત કેટલાક અસાધ્ય રોગ માટેનાં ઔષધ બનાવવાં અંગે સંશોધન કર્યું. તેમને અનેક માન–સમ્માનો મળ્યાં હતાં. વિ.સં. ૧૯૮૬ના માગસર સુદ બીજના રોજ ભૂજ ખાતે અવસાન પામ્યા. શાસ્ત્રીય સંગીતકાર નારાયણ મોરેશ્વર ખરે મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં તાસ નામના ગામમાં નારાયણનો જન્મ થયો હતો. તેમનામાં આનુવંશિક શક્તિઓ ઊતરી આવી હતી. વિષ્ણુ દિગંબર પલુસ્કરને નારાયણમાં મહાન સંગીતકાર બનવાનાં બીજ અંકુરિત થતાં દેખાયાં અને નારાયણ પંડિતજીના સાન્નિધ્યમાં સંગીતની ઉપાસના કરવા વિધિવત્ શિષ્ય બની ગયા. દેશના ગણમાન્ય સંગીતકારોની શૈલીઓ માણવાનો પણ અવસર મળ્યો. પરિણામે એની ‘ગાયકી’ વધારે પરિપૂર્ણ, પ્રભાવક અને પરિશુદ્ધ બની. પંડિતજીએ મુંબઈમાં ગાંધર્વ વિદ્યાલયની સમગ્ર વ્યવસ્થાનું સુકાન સોંપી દીધું ત્યાં તેમણે સંગીત રાગદર્શન ૧-૨-૩' તેમજ ‘સંગીત બાવિનોદ’ બાળકોને ધ્યાનમાં રાખીને સરળ સ્વર રચનાવાળું પુસ્તક પણ તૈયાર કર્યું. સાબરમતી આશ્રમમાં રહીને તેઓશ્રીએ ભજનો અને પ્રાર્થનાઓના સુંદર લય અને તાલ યોજી આપી સંગીતનું અદ્ભુત વાતાવરણ સર્જ્યું. ગાંધીજીએ અમદાવાદમાં ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી ત્યારે સંસ્થાના સંગીત સંચાલનનું કામ નારાયણજીને સોપેલ. તેઓએ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં સંગીતનો પ્રચાર થાય તે માટે વ્યાપક પરિભ્રમણ કર્યું હતું. ગાંધીજીની વિશ્વપ્રસિદ્ધ દાંડીયાત્રામાં તેઓ પણ જોડાયા હતા. સરકારે તેમની ધરપકડ કરેલી, પરંતુ જેવા જેલમુક્ત થયા કે તરત જ બિહારમાં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy