SearchBrowseAboutContactDonate
Page Preview
Page 503
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ અત્યંત પ્રસિદ્ધ દેવસ્થાન ઓગડ મુકામે, જ્યાં દર વરસે અષાઢ સુદ તેરસના દિવસે અઢળક હિન્દુઓ જાત્રા કરવા આવે અને મેળા જેવું વાતાવરણ સર્જાતાં હિન્દુઓ વચ્ચેની એકતા-સંગઠન વધી જાય. ઓગડ ગામ બનાસકાંઠા જિલ્લાના ભાભરની નિકટનું સ્થાન હતું. ગુજરાતમાં તે સ્થાનમાં અંગ્રેજોએ ભેદનીતિ ઊભી કરવા યાત્રાબંધીનું ફરમાન કાઢ્યું, કારણમાં યાત્રા દરમ્યાન પૂર્વના વરસમાં થયેલ કોઈ મારામારીનું કારણ જણાવી શાંતિ માટેના પગલાં તરીકે માહિતી આપી હતી. તે સમયે ભાભર વિસ્તારમાં ભીમસિંહ ઠાકોર રાજ્ય કરતા હતા, તેમને અંગ્રેજોના કાવતરાની ગંધ આવી ગઈ. તેથી યાત્રા રોક્વા ભેગા થયેલ લશ્કરના જવાનોની સામે બધાય હિન્દુ જાત્રાળુઓ “કાં તો નીર્થયાત્રા અથવા સ્મશાનયાત્રા" તેવા નારા લગાવી ધરાવા લાગ્યા. આગળ આગળ ચાલી રહેલ ભીમસિંહથી ગોરો મુખ્ય નાયક ગભરાઈ ગયો, તેણે બધાયને રોક્યા અને ફક્ત ભીમસિંહ સાથે થોડાં જ લોકોને જાત્રા કરવા જવાની પરવાનગી આપી પણ પ્રભુના પ્યારા બધાય સમાન કરતાં ભીમસિંહ બહોળા માનવ સમુદાય સાથે યાત્રાસ્થળે પ્રવેશી ગયા. કોઈ તેમને રોકી ન શક્યું અને ફરી એક વાર હિન્દુઓએ મળીને અંગ્રેજોને ધર્મવિરુદ્ધ જવા બદલ સબક શીખવાડી દીધો. (૫૯) મહાકવિ કાલિદાસ ધારા નગરી, રાજા અને મોજ વિદ્વાનોની સભા તે તો જાણે સાવ સામાન્ય બાબત હતી. કેટલાક કવિઓ, સાક્ષરો વિચારકો, લેખકો અને ક્રિયાઓથી ભરપૂર ધારા નગરીમાં એક સંયુક્તમ્ CHHAYA. દિવસ કોઈ પણ નાની બાબતમાં કવિ કાલિદાસનું અપમાન રાજા ભોજના તુમાખી ભરેલ વલણથી થઈ જવા પામ્યું ને સ્વમાની કવિરાજે ધારા નગરીનો જ ત્યાગ Jain Education International in t ૪૯૩ કરી દીધો. પૂરાં બે વરસથી વધુ સમય વીતી ગયા પછી રાજા ભોજને કાલિદાસનાં કાવ્યોએ કરી કવિરાજને તેડાવવા મનમાં સંતાપ પેદા કરી દીધો. ગમે તેમ રાજાએ ભાળ મેળવી સન્માનપૂર્વક કવિરાજ કાલિદાસને ધારા નગરીમાં પુનઃ બોલાવી લીધા અને એક દિવસ ખુશમિજાજ હતા ત્યારે પ્રશ્ન પણ કરી દીધો કે "મારાથી તમે અપમાનિત થયા તેનું મને દુ:ખ થયું, પણ કવિરાજ તમે તેમાં ધારાનગરી જ છોડી દીધી તેથી નુકશાન તમને થયું કે મને?” તરત જ હસતા મોઢે કાલિદાસે સંસ્કૃતભાષામાં શ્લોક રચી જવાબ આપી દીધો, જેનો ભાવાર્થ તો, હાથીના ગંડસ્થળથી ઝરતા મદને મેળવવા ભમરાઓ બે ગંડસ્થળે આવી બેસે ત્યારે તેથી હાથીની શોભા ખૂબ વધે છે, પણ મદાન્ય હાથી કાનોને ફફડાવી તે ભ્રમરોને ઉડાવી દે તો પોતાની જ શોભા હાથી ગુમાવે છે, બલ્કે ભમરા તો ભાગી જઈ તળાવના વિકસિત કમળોનો પરાગ ચૂસવા લાગે છે. તેથી ભ્રમરોને ગુમાવવાનું કશુંય નથી હોતું. તેમ હે રાજ! અમારા જેવા નાના માણસોને શું નુકશાન થાય? મોટા તો આપ છો.' જ (૬૦) શીલવંતી પદ્મિની રાણી મેવાડના ઇતિહાસમાં જે શીલવંતી નારીનું નામ શૌર્ય માટે ગાજે છે તે મહારાણી પદ્મિની મહારાણી તરીકે પણ ઓળખાય છે. રઘુનાથ નામના એક જાદુગરની ઉશ્કેરણીથી મહારાણા રત્નસિંહની રૂપવંતી રાણી પિદ્મની ઉપર મોહાયેલ મુસ્લિમ બાદશાહ અલ્લાઉદીન ખીલજી તેણીને બેગમ બનાવવાની મુરાદથી ચિત્તોડ ઉપર સસૈન્ય તૂટી પડ્યો, પણ રજપૂતોએ જોરદાર વળની લડત આપી. પણ પછી તેને પોતાની હાર થતી જણાતા કપટ કરી મૈત્રીના સ્વાંગમાં રત્નસિંહને કેંદ કરાવી દીધો. સામે રજપૂતોએ પણ મહારાણાને મુક્ત કરાવવા સીના વેશ પહેરી પાલખીમાં પદ્મિનીના ભાઈને જ સીવેશમાં બેસાડી કેદ થયેલ રત્નસિંહને છોડાવી દીધા. મેવાડનો રાણો કપટ કરી ભાગી છૂટ્યાના સમાચાર મળતાં પાછું બીજી વાર પદ્મિનીના નિમિત્તે યુદ્ધ થયું. તે વખતે પણ અલ્લાઉદીન હાર્યો ને પાછો ભાગ્યો પણ આ તરફ પદ્મિનીના જુવાનજોધ બે ભાઈઓ ગોરા અને બાદલ મૃત્યુ પામી ગયા, તેથી રાજા રત્નસિંહ પણ ખિન્ન બની ગયા. ફરી ત્રીજી વાર મુસ્લિમોએ મહારાણા સામે યુદ્ધ માંડ્યું, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy