SearchBrowseAboutContactDonate
Page Preview
Page 495
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ જવાની તૈયારી કરી છે, અચાનક ત્યાં આશ્રમમાં ચોરી કરવા આવેલ ચોરીનો અવાજ કાને અથડાયો. પૌહારી બાબાના આશ્રમમાં તો કંઈ જ ન હતું સિવાય ચટાઈ, સાદડી, માટીનો ઘડો વગેરે. પણ તેથીય વધી સંત પૌહારી પોતે પણ દયાવાન હતા. ચોરોએ પોટલું બાંધી નાખેલ, પણ તેજ સમયે પૌહારીબાબાનો અંદર પ્રવેશવાનો અવાજ આવતા ગભરાયા, ને પોટલું પડતું મૂકી ભાગ્યા, પણ તેમની પાછળ પૌઠારીબાબા પોતે પણ દોડ્યા ને કહેવા લાગ્યા અને ભાઈઓ! આ પોટલું તો તમારું જ છે. શાને અહીં મૂકીને જઈ રહ્યા છો? મારાથી અવાજ થઈ ગયો તે એક ભૂલ હતી. માફ કરશો. આવી વિશિષ્ટ કરુણા અપરાધ કરનાર ચોરી ઉપર દેખાડનાર પૌહારી બાબાથી ચોરોનાં ચોરીનાં માનસ ફરી ગયાં, જીવનપરિવર્તન થઈ ગયું. કૂતરા પણ ભૂખી રોટી ખેંચી ભાગે નો પૌહારી બાબા તેમને પણ બહુમાનપૂર્વક બોલાવી ઘી ચોપડી રોટલીઓ ખવડાવી દેતા. આવી જીંદાદિલીને કારણે તેઓ સંતપુરુષ તરીકે નામ કમાઈ ગયા છે. (૪૩) કવિરાજ રવીન્દ્રનાથ ટાગોર CHHAYA બંગાળ પ્રદેશમાં ગાંડાં વરસો પૂર્વે અનેક પ્રતિભા સંપન્ન Jain Education International ૪૯૫ પુરુષો થઈ ગયા, તેમાં કવિરાજ રવીન્દ્રનાથ ટાગોર પણ એક છે. તેઓ અંગ્રેજવાદના વિરોધી હતા સાથે હિન્દુસ્તાનની આઝાદી માટે પણ પોતાની કવિતાઓં દ્વારા ભારતીયોને સંદેશ આપનારા દેશપ્રેમી હતા. આજે પણ તેમણે રચેલ ગીત “જન-ગન-મનઅધિનાયક જય હૈ! ભારત ભાગ્ય વિધાતા' પ્રેમથી સમૂહમાં ગવાય છે અને હિન્દુસ્તાનનો ઝંડો ફરકાવાય છે. જ્યારે ટાગોર બાળવયમાં હતા ત્યારે તેમના પિતાનું ગોરા ટિકિટચેકરે કરેલ અપમાન અને તેના દુઃખથી પિતાશ્રીએ સ્ટેશને ઊતરી જઈ. બધા પૈસા પ્લેટફોર્મ ઉપર ફેંકી દઈ ઠાલવેલો આક્રોશ આંખ સામે હતો. તેના સંસ્કાર યુવાનીમાં ઉદિત થતાં તેઓ અંગ્રેજોની સતામણી સામે પ્રતિકાર કરનારા બનેલા. ઈશ્વરના અસ્તિત્વની શંકા કરનારા અંગ્રેજો જે હિંદુ ધર્મની હાંસી ઉડાવતા હતા, તેમને શિકાગો યુનિવર્સિટીના ભાષણમાં ઝપટમાં લઈ રોકડું પરખાવી દીધેલ કે “ઈશ્વરનાં દર્શન લેબોરેટરીમાં કદીય નહીં થાય, પણ તેથી કંઈ ભગવાનના સ્વરૂપનો ઉચ્છેદ કરી દેવાશે? તમે અંગ્રેજો એક દિવસમાં ૪૫ વાર મળીને પણ પાંચ લિટર દૂધ નથી પી શકતા, જ્યારે અમારા દેશનો ગામડાનો ભરવાડ એક સાથે આઠ લિટર દૂધ પી જાય છે. તેથી કંઈ તે સત્યનો અસ્વીકાર ન કરી શકાય, જ્યાં અંગ્રેજો તમને આત્મા ને અધ્યાત્મનું જ્ઞાન જ ન હોય ત્યાં ભગવાનની વાતો સમજવા જેટલા ભાગ્યવાન તમારા દેશમાં ન હોય તેમાં અમને આશ્ચર્ય નથી. અંગ્રેજો દુનિયાને વૈજ્ઞાનિક આપી શકે તો ભારત દેશ દુનિયાને સાધુ-સંતો આપી શકે છે.” વૃદ્ધાવસ્થામાં જ્યારે આશ્રમમાં રહી પરકલ્યાણનું કાર્ય કરવા લાગ્યા, ત્યારે વધુ પડતા દેહશ્રમથી લઘડતી બિયતની ચિંતા રાખતા ત્યાં પધારેલ મહાત્મા ગાંધીએ તેમની પાસેથી મિક્ષારૂપે માંગણી મૂકતાં રોજ બપોરે આરામ કરવા એક કલાક અવશ્ય કાઢવા માટે તેમને વચનથી બાંધ્યા. છટાદાર દાઢીવાળા ને કવિરાજને આજેય પણ ભારતીય પ્રજાજનો નવા છે. સદાચારીઓના સત્પુરુષાર્થ એળે નથી જતા. (૪૪) સંગીતકાર તાનસેન અને બૈજુ બાવરો બાદશાહ અકબરનો પ્રિયતમ ગાયક તાનસેન, જેની સ્પર્ધામાં ઊતરવા જતાં બૈજુ બાવરાના પિતાને અનેકવાર હાર ખાવી પડેલ તે તાનસેન તે કાળનો અજોડ ગાયક હતો. તે ઉપરાંત કોઈક પ્રકારના રાજકીય અન્યાયને કારણે પણ તે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy