SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ- ૨ ઘડપણ' ગીતામાં કહ્યું છે કે “લોકનો જન્મ અને ક્ષય કરનારો હું જ છું. મને “કાળ'ના નામે ઓળખવામાં આવે છે. બ્રહ્માંડમાં કંઈ ઉત્પન્ન થાય છે તે નાજુક, કોમળ, મૃદુ અને પરપલી કૂંપળ જેવું હોય છે. એની ત્વચા તેજસ્વી હોય છે. એના અણુએ અણુમાં ચેતના ધબકે છે. કાળના વહેવા સાથે એ આંખોની ચમક ઝાંખી થાય છે. અંગેઅંગ શિથિલ થઈને લબડી પડે છે. ચહેરા પર કાળનું હળ ફરી વળે છે અને ઊંડા ઊંડા ચાસ પાડી દે છે. પૌત્ર અને માતા(દાદી)ની છબી આવું કંઈક કહે છે. છબીકાર-અશોક ચૌધરી ‘ઘડપણ કોઈ એમ પૂછે કે, “વૃદ્ધાવસ્થાની મૂડી કઈ?” એક જ જવાબ છે : “સ્મરણ”. સ્મરણોના લીલાછમ વનમાં શ્વાસ લેવાનું મળે તો વૃદ્ધાવસ્થા મહોરી ઊઠે છે. કલાપીએ કહ્યું છે : “સ્મરણ કરવું એ ય છે એક લ્હાણું,” કારણ કે વૃદ્ધાવસ્થાનું બીજું નામ એકલતા છે. દીકરા-વહુ અને પોતપોતાં તો પોતપોતાના કામમાં વ્યસ્ત હોય, આખા ઘરના અસબાબ સાથે કોઈ સંબંધ રહ્યો ન હોય ત્યારે પાછલી જિંદગીનાં સ્મરણોને વાગોળવાં એ જ લહાવો છે. I ! છબીકાર-પરેન અધ્યારુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy