SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ- ૨ ૪૪૩ આત્મીયતાને વાણીવ્યવહારની જરૂર નથી. આત્મીયતાનો બીજો અર્થ છે મૌન. મૌનની ભાષા છે સ્પર્શ. સ્પર્શની પ્રતીતિ કરાવે છે. આંખોની ચમક. આખો દેહ નહીં, આખો ચહેરો નહીં, પણ માત્ર બે આંખોની કીકીઓમાંથી પ્રસરતાં કિરણો સંબંધની પ્રતીતિ કરાવે છે. એ અવલંબન મૃત્યુને ખાળી શકે છે, એ હૂંફ જીવનને તરોતાજા બનાવી શકે છે. કહેવાની જરૂર નથી કે આ બે વૃદ્ધાઓ સંસારી–સંબંધે કોણ હશે! એટલું જ પૂરતું છે કે એ આત્મીયજન છે! પ્રેમ” એટલે આત્મીયતા. છબીકાર-શીતલ ભલ્લા કવિ કલાપીએ કહ્યું છે કે, રે રે શ્રદ્ધા ગત થઈ પછી કોઈ કાળે ન આવે.” એ શ્રદ્ધા રોપાય પછી, કવિ બોટાદકરે કહ્યું છે કે, “દઈ તાલ સાયકપાતથી કર ગાન એ પણ ઇષ્ટ છે, આ પ્રેમપારાવારમાં હાતાં મરણ પણ મિષ્ટ છે.” નિર્જન હરિયાળી પર ચાલતાં આ ત્રણ પાત્રો કેવી શ્રદ્ધા સાથે ડગ માંડે છે એ જોતાં જ રહીએ. પોતાના શિશુને સહેજે અળગું નહીં રાખનારી માતા, અધિકારપૂર્વક બચ્ચે તેડીને ચાલતી યુવતી અને કાખમાં લપાયેલું બચ્ચું-પ્રેમની નવી પરિભાષા રચે છે ! “પ્રેમ એટલે શ્રદ્ધા. છબીકાર–એન. ડી. પટેલ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy