SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ કેળવણી' ઉપનિષદની આ વાત મહાકવિ રિએ પણ નોંધવી પડી છે કે, જીવન એટલે દોર પર ચાલવું. ઢોર પર ચાલવું અને સામે છેડે પહોંચવું. અહીં તો હાથમાં રામોલન માટેનો દંડ છે, પણ દોર ઉપર પૈડાથી ચાલવાનું છે અને માથા પરની દેગડીને ય સંભાળવાની છે. કેવી સતર્કતાની ણો છે! કેવી શ્વાસ થંભાવતી ક્ષણો છે! જીવનને કેળવાય તો જીવન કેવાં કેવાં રૂપ દેખાડે છે! છબીકાર-કિશોર પીઠડિયા Jain Education International ‘કેળવણી' અભ્યાસથી પદવી પ્રાપ્ત થાય અને અભ્યાસથી કળા પ્રાપ્ત થાય. કળાથી સૌંદર્ય પ્રાપ્ત થાય અને સૌંદર્યથી જીવનરસ પ્રાપ્ત થાય, જેનો આનંદ અપૂર્વ હોય છે અને અવિરત હોય છે. કવિ એવું કાવ્ય સર્જે કે ચિત્રકાર એવું ચિત્ર સર્જે કે નર્તક એવું નૃત્ય દશ્ય રચે કે ભાવકના ચિત્તમાં એ અમર-સ્થાન અંકિત કરે. એમાં રચનાર અને ભોગવનાર બંને ધન્યતા અનુભવે. વીશભુજાળી દેવીને પાછળ ઊભેલી બાલિકાઓ જ નહીં, આપણે પણ નમન કરીને એ દૃશ્ય આપણા ચિદાકાશમાં કોતરી રહીએ! D For Private & Personal Use Only ૪૩૯ છબીકાર-પીયૂષ ચૌહાણ www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy