SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૪ તેમના માતુશ્રીની યાદગીરીમાં ‘માનવ પ્રતિષ્ઠાન-શ્રીમતી વી. એમ. મોદી એજ્યુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ'ની સ્થાપના કરવામાં આવી છે. આપણા ગુજરાતના જ પ્રતિભાશાળી અને તસવીરકલાને વરેલા શ્રી વિવેક દેસાઈ પણ આ ટ્રસ્ટ સાથે ટ્રસ્ટી તરીકે સંકળાયેલા છે અને ટ્રસ્ટના આ તસવીરકલાયજ્ઞના સક્રિય ભાગીદાર છે. તસવીરકલાના વિકાસ અને જાગૃતિ લાવવાની નેમ સાથે શરૂ કરાયેલ સતત ત્રણ વર્ષથી યોજાતી આ તસવીરસ્પર્ધાએ ગુજરાતના તસવીરકલા જગતમાં એક આગવી ઓળખ ઊભી કરી છે અને ગુજરાતના ખૂણે ખૂણે છુપાયેલી-પથરાયેલી તસવીરકલાની પ્રતિભાઓને બહાર લાવવાનું ભગીરથ કાર્ય આરંભ્યું છે. આ પ્રયાણને—પ્રવાસને વધુ વેગબળ-તસવીરકારોને વધુ પ્રોત્સાહન પૂરું પાડવાના ભાગરૂપે વર્ષ ૨૦૦૮થી ટ્રસ્ટીમંડળના સક્રિય ટ્રસ્ટી શ્રી વિવેક દેસાઈના માતુશ્રીની યાદમાં વધુ એક એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. જે ‘શ્રીમતી તારાબહેન દેસાઈ મેમોરિયલ એવોર્ડ–વિજેતા ટ્રોફી' તરીકે ઓળખાશે. અગાઉ યોજાયેલી તસવીરસ્પર્ધામાં વિજેતા તસવીરકારોની કૃતિઓ કલાપ્રેમી લોકો માટે અત્રે પ્રગટ કરવામાં આવેલી છે. વધુ માહિતી માટે શ્રી કેતન એમ. મોદીનો નીચેના સરનામે સંપર્ક કરવો. કેતન એમ. મોદી (મેનેજિંગ ટ્રસ્ટી), માનવ પ્રતિષ્ઠાન-શ્રીમતી વિ. એમ. મોદી એજ્યુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, ‘આશુતોષ’, એ-૨, જયમીન એપાર્ટમેન્ટસ્, ચંદ્રનગર બસ સ્ટેન્ડ પાસે, પાલડી, ભટ્ટા, અમદાવાદ-૩૮૦ ૦૦૭. ફોન : ૦૭૯ ૨૬૬૩૯૦૪૫ મોબાઇલ : ૯૮૨૫૩૪૭૮૧૩ Email : kmchho@rediffmail. com આયોજકોને ખૂબ ખૂબ ધન્યવાદ. –સંપાદક. કેળવણી' કશુંક કરતાં શીખવે કે કશુંક ન કરતાં શીખવે તે બન્ને કેળવણી જ છે. ધન્ય ધરા કેળવણી એ ક્રિયા નહીં પ્રક્રિયા છે, અહેસાસ છે. ઠોકર દરેકને સાવચેતી નથી શીખવી શકતી જે શીખે તેના માટે એ શિક્ષણ છે. --સુરેશ પારેખ Jain Education International છબીકાર-કેતન મોદી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy