SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ ४०४ ધન્ય ધરા મહિલા પત્રકારો હતો. ૧૯૧૨માં “સુંદરી સુબોધ'ના ડિસેમ્બર અંકમાં તેમના બે લેખો : “ગૃહમંદિરની સ્વચ્છતા” અને “સુંદરી સુબોધ અને તેના લેખકો' તેમ જ “બુદ્ધિપ્રકાશ'માં “એક સ્ત્રી લેખિકાએ તેની કૃષ્ણગૌરી હીરાલાલ રાવળ પુત્રીને લખેલ પત્ર પ્રસિદ્ધ થયેલા. તેમાં તેમની દીકરી કુસુમગૌરીને “સ્ત્રી હિતોપદેશ' વાંચવાની સલાહ આપી છે. કણાગૌરી હીરાલાલ રાવળનો જન્મ ૧૮૭૧માં ૧૯૦૭માં વિદ્યાબહેન નીલકંઠે સંપાદિત કરેલ ‘ગુલશન'નો પંચમહાલ જિલ્લાના લુણાવાડા ગામમાં બ્રાહ્મણ કુટુંબમાં થયો સચિત્ર અંક વાંચવાની ભલામણ કરી હતી. કણાગૌરી પોતે હતો. નાની વયે લગ્ન, સાથોસાથ શિક્ષણ લીધું અને પછી લખતાં, વાંચતાં અને વંચાવતાં. “સુંદરી સુબોધ' તેમણે કેટલીયે શિક્ષણકાર્યમાં જોડાયાં. એ દિવસોમાં છોકરીનાં લગ્ન નાની વયે બહેનોને ભેટ મોકલાવ્યું હતું. આ ઉપરથી તેમની સ્ત્રીકેળવણી થઈ જતાં. તેથી કન્યાકેળવણીનો પ્રશ્ન અતિ વિકટ હતો. તેમણે અને સ્ત્રીસંસ્કારની ઉચ્ચ ભાવનાની તીવ્રતાનો ખ્યાલ આવે છે. કન્યાશાળામાં અનેક છોકરીઓને પ્રવેશ અપાવ્યો અને તેઓ સ્ત્રીઓના ઉત્થાન માટે હંમેશાં જાગ્રત હતાં. એ હરગોવિંદદાસ કાંટાવાળાને મળીને પાકશાસ્ત્ર અને બાળઉછેર જમાનામાં તેઓ ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, પ્રાર્થનાસમાજ, જેવા વિષયો શરૂ કરાવ્યા. “સુંદરી સુબોધ' નામના બાળલગ્ન નિષેધક મંડળી, ગુજરાત હિંદુ સંસારસુધારા સમાજ સ્ત્રીમાસિકમાં તેમણે લેખ લખીને એ દિવસોમાં ચાલતા જેવી સંસ્થાના સભ્ય હતાં. તેમણે બાળલગ્ન, ફરજિયાત વૈધવ્ય અભ્યાસક્રમ વિશે રસપ્રદ માહિતી આપી છે. આજની હોમ વિશે તલસ્પર્શી છણાવટ કરતો લેખ “હિતેચ્છુમાં લખેલો. સાયન્સ કોલેજોમાં ભણાવાતો અભ્યાસક્રમ તથા બાળઉછેર સુરતના જમનાબહેન સક્કેએ આ પ્રસંગ વિશે લખ્યું છે કે અને પાકશાસ્ત્ર જેવા વિષયો કૃષ્ણગૌરીના ચિંતનનું પરિણામ છે. “તેમણે દુઃખી અને ત્યક્તા બહેનો માટે “સેવાસદન’ શરૂ કર્યું કૃષ્ણાગૌરીનાં કાવ્યો, લેખો એ જમાનાનાં અખબારો હતું. કૃષ્ણાગૌરી નિબંધલેખક, નવલકથાકાર, કેળવણીકાર અને અને સામયિકોમાં પ્રસિદ્ધ થતાં. ૧૮૯૭માં તેમણે નવલકથાઓ સમાજસુધારક હતાં. તેમના સમયમાં જે કંઈ તક ઉપલબ્ધ હતી લખવાનું શરૂ કરેલું અને ૧૮૯૯માં “સગુણી હેમંતકુમારી’ તેનો તેમણે ભણવામાં અને લેખનકાર્યમાં ઉપયોગ કર્યો હતો. સંસારસુધારાની વાર્તા નવલકથા પ્રસિદ્ધ થઈ, ઘણું સંશોધન ૧૯૦૫માં ૭૯ વર્ષની વયે તેમનું અવસાન થયું.” કરીને તેમણે આ નવલકથા લખી હતી. આમાં હેમંતકુમારીનું જમનાબાઈ પંડિતા જીવનદૃષ્ટાંત ખૂબ સચોટ, સરળ ભાષામાં અને આજના જમાનામાં પણ ઉપયોગી થઈ રહે તેવું છે. એ જમાનામાં ગુજરાતના પ્રથમ નારીવાદી ક્રાંતિકારી બંડખોર મહિલા લખાયેલી આ સામાજિક નવલકથાની આપણા સાહિત્યકારો કે જો કહેવાં હોય તો જમનાબાઈ પંડિતા (૧૮૬૦થી ૧૯૦૮)ને વિવેચકોએ ક્યાંય નોંધ લીધી નથી. તે જમાનામાં ‘બુદ્ધિપ્રકાશ', કહી શકાય. તેમણે “સ્ત્રીધર્મ” અને “સ્ત્રી પોકાર : અર્ધી દુનિયા ‘હિતેચ્છું” અને “સુદર્શન'માં પણ તેની પ્રશંસા થઈ હતી. સામે લડત’ નામનાં બે પુસ્તકો લખેલાં છે, જેમાં ગુજરાત શાળાપત્ર'ના ૧૮૯૦ના જૂન મહિનાના અંકમાં ખેડા વિધવાવિવાહનો વિરોધ કરનારાઓ સામે લેખ, શાસ્ત્રોના જિલ્લાના એજ્યુકેશન ઇન્સ્પેક્ટર કરીમઅલી નાજિયાણીના આધારે સામાજિક અનિષ્ટો જેવાં કે બીજી સ્ત્રી કરવાનો અભિપ્રાય આ મુજબનો હતો : “સદ્ગુણી હેમંતકુમારી' રિવાજ, બાળલગ્ન, કન્યાવિક્રિય, દહેજપ્રથાનો વિરોધ કરેલો સ્ત્રીઓ માટે અમૃતનો પ્યાલો છે.' જાણીતા સાક્ષર કેશવ હર્ષદ છે. આ અનિષ્ટો જેવાં કે બીજી સ્ત્રી કરવાનો રિવાજ, ધ્રુવ, પ્રો. કાશીરામ દવે જેવા મહાનુભાવોએ તેને બિરદાવી છે. બાળલગ્ન, કન્યાવિક્રય, દહેજપ્રથાનો વિરોધ કરેલો છે. આ પ્રો. દવેએ લખ્યું છે, “એક સ્ત્રીના પ્રયત્ન તરીકે તે ઉત્તેજનને અનિષ્ટો માટે પુરુષોને જવાબદાર ગણ્યા છે, તેમ છતાં તેમાં પાત્ર છે.” જૂના આર્યસંસ્કારોનો ઘણો અંશ રહેલો છે, તેમનું પુસ્તક કણાગૌરીએ લેખક તરીકેની કારકિર્દી બુદ્ધિપ્રકાશ'થી ‘સ્ત્રી પોકાર' ગુજરાત વર્નાક્યુલર સોસાયટીમાં પ્રકાશિત કર્યું શરૂ કરી હતી. ૧૮૯૫માં તેમણે સપ્ટેમ્બરના અંકમાં હતું. “પંડિતા' તખલ્લુસથી ઓળખાતાં જમનાબાઈ સાક્ષર હતાં. સ્ત્રીકેળવણીનો ઉત્કર્ષ કરવાના અથવા કન્યાશાળાની આબાદી તેઓ અર્થશાસ્ત્ર, તર્કશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, સંસ્કૃતિ અને વધારવાનાં મુખ્ય સાધન' નામે લખેલો લેખ ખૂબ જાણીતો થયો ફિલસૂફીમાં નિષ્ણાત હતાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy