SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૨૮૫ 5. “મોરલા રે તો જો કોકિલ કંઠ, મુજી રીસાયેલી વડરી રે.” “છેલ્લા છેલ્લા સડકરે ગિના” અકથ્ય વેદના આ એક જ કંડિકામાં નીતરે છે. “મોરલા તો મને થોડી ઘડી, તારો આપ અષાઢી કંઠ, ખોવાયેલી વાદળીને, છેલ્લીવાર સાદ પાડી લઉં, વિસર્યા વીસરાય નહીં, સાંભર્યા સમકંત, સાજન ભાંગ્યા હાડજુ, રાત દિન ખટકંત.” સને ૧૯૨૮માં એમનું પહેલું પુસ્તક પ્રગટ થયું. “કચ્છનાં ઝરણાં', “કારણી કાવ્યકુંજમાં મેઘાણીજી લખે છે કે “કોઈપણ સાહિત્ય પ્રદેશની ગોદમાં લેવાયા વિનાના એક ભાઈ સાહિત્યને એકલપંથ કચ્છમાં બેઠાં બેઠાં ખેચે જાય છે.” ઝવેરચંદ મેઘાણી નરસિંહ મહેતા પછી ગુજરાતને ડોલાવનાર રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી એક જમાદારના સંતાન હતા. દશાશ્રીમાળી જૈન વણિકઘરમાં ૨૮ ઓગસ્ટ ૧૮૯૭ (વિ.સં. ૧૯૫૩)ના રોજ પંચાલ ભૂમિના ચોટીલા ગામે તેમનો ન્મ થયો. પિતા કાળીદાસ દેવચંદ મેઘાણી તેમને પોલીસ જમાદારની નોકરી, તેથી ઠીક ઠીક પ્રવાસ કરવાની ફરજ પડતી. | મેઘાણીજીને કિશોર અવસ્થામાં જ કાઠિયાવાડી દુહા, ભજનો, નવરાત્રિના ગરબા, હોળીના દુહાની રમઝટ અને ગોવાળિયાનાં ગીતો ગમતાં, તેઓ મેટ્રિક પાસ કરી જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાં જોડાયા. પછી ભાવનગરની શામળદાસ કોલેજમાં આવ્યા. ત્યાં ૧૯ વર્ષની ઉંમરે બી. એ. થયા. જૂનાગઢમાં સમર્થ નવલકથાકાર શ્રી ધૂમકેતુ તેમના સહચારી હતા. ગ્રેજ્યુએટ થઈ ઈ.સ. ૧૯૧૭માં કલકત્તા ગયા ત્યાં જીવનકલાની ક.માં એલ્યુમિનિયમના કારખાનામાં જોડાયા. | મેઘાણીજી વતનમાં પાછા ફર્યા પછી ઈ.સ. ૧૯૨૨માં જેતપુરના શ્રી દમયંતીબહેન સાથે લગ્ન કર્યા. આ કાળમાં ગુજરાતના સભાગ્યે એક રસિક સજ્જન સાથે પરિચય થયો તે હતા હડાળાના દરબારશ્રી વાજસુરવાળા. તેમણે પોતાની અભુત શૈલીમાં લોકસાહિત્યની અદભુત કથાઓ, ભજનો, દુહાઓ અને લોકગીતોનું રસપાન કરાવ્યું અને મેઘાણીજીને કંઈક કરી છૂટવાની પ્રેરણા મળી. ધરતીના પડમાં દટાઈ જતા આપણા સંસ્કારધનને સજીવન કરી આપણા લોક સાહિત્યને સમૃદ્ધ કરવાની તીવ્ર ઝંખના જાગી. આમ ગુજરાતની ધરતી ઉપર નવો ફાલ ઊતરતો હતો, આ ફાલ ઉતારનાર સાહિત્યકારનું ગુજરાતે સત્વરે સમ્માન કર્યું. ઈ.સ. ૧૯૨૮માં અમદાવાદની સાહિત્યસભાએ એમની વિશિષ્ટ સેવા માટે રણજિતરામ સુવર્ણચંદ્રક આપી કદર કરી. સને ૧૯૩૦ના યુદ્ધમાં મેઘાણીભાઈના હૈયાનો મયૂર હેકી ઊઠ્યો. “સિંધુડો' દ્વારા ગુજરાતનાં મડદાંને પણ સમરભૂમિમાં દોર્યા અને ગાંધીજીએ તેમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું. તેઓ સૌરાષ્ટ્ર સાહિત્યવિભાગ પણ સંભાળતા સૌરાષ્ટ્ર' બંધ પડ્યું અને મેઘાણીજી ફૂલછાબમાં જોડાયા. આ અરસામાં સને ૧૯૩૩માં તેમનાં ધર્મપત્ની દમયંતીબહેનનું અવસાન થયું. મેઘાણીજી ક્ષુબ્ધ અને બહાવરા બની ગયા. અમૃતલાલ શેઠે “જન્મભૂમિ' શરૂ કર્યું. તે પત્રમાં “કલમ અને કિતાબ'ના તેઓ મંત્રી બન્યા. પછી ફૂલછાબ ફરી શરૂ થયું અને મેઘાણીજી ફરી ફૂલછાબમાં જોડાયા. ફરીવાર ફૂલછાબમાંથી છૂટા થયા અને સ્વતંત્ર સાહિત્યસર્જન ઉપર નિર્વાહ કરવાનું નક્કી કર્યું. તદન પ્રતિકૂળ વાતાવરણમાં પોતાની પ્રતિભાથી આભૂષિત કરેલ ગુરુદેવ ટાગોરનો કાવ્યસંગ્રહ “સંચયિતા'નો અનુવાદ “રવીન્દ્રવીણા' પ્રગટ કર્યો. સર્જનનાં ૨૬ વર્ષમાં ૮૪ પ્રાણવાન પુસ્તકો આપ્યાં. એક વધારાનો પ્રસંગ નોંધું છું. દાંડીયાત્રા ૧૨ માર્ચ ૧૯૩૦ દિવસે શરૂ થઈ. સમગ્ર દેશમાં જાણે ચેતનાનો સંચાર થયો! આખા દેશમાં દરિયાનું પાણી ઉકાળી મીઠું પકવવાનો કાર્યક્રમ યોજાયો. મેઘાણીજીને રાજદ્રોહના ગુના માટે સજા કરનાર મેજિસ્ટ્રેટે પૂછ્યું “તમારે બચાવમાં કાંઈ કહેવું છે?” મેઘાણીએ એક ગીત ગાવાની રજા માગી : “નથી જાણ્યું અમારે, પંથ શી આફત ખડી છે, ખબર છે એટલી કે માતની હાકલ પડી છે.” ગીત સાંભળી મેજિસ્ટ્રેટની આંખમાં આંસુ આવ્યાં તેમણે ચુકાદો આપતાં કહ્યું “હવે મારે બે કામ કરવાનાં છે પહેલાં તો તમે કરેલા ગુના માટે તમને બે વરસની સજા કરું છું.” Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy