SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૨૩૧ અમદાવાદ : અમિવાળાં વિધાયકો –ડૉ. માણેકભાઈ પટેલ ‘સેતુ' માનવ-ઉત્ક્રાંતિના કોઈ એક તબક્કે માનવીએ જંગલો-પહાડોમાં રખડતું-ભટકતું જીવન જીવવાને બદલે એકાદ ગુફામાં સ્થાયી થવાનો વિચાર કર્યો ત્યારથી તેનું સ્થાયી જીવન શરૂ થયું. આથી કુદરતી અને પ્રાણીજન્ય પ્રકોપથી બચવાનું બન્યું. વળી બીજા કોઈ તબક્કે અગ્નિ અને ખેતી, પૈડું અને પુરુષાર્થના સહારે નદીકાંઠે વસવાટ કર્યો ત્યારે એ સ્થાયી જીવન સમૃદ્ધ જીવન તરફ ગતિ કરતું થયું. પૃથ્વી પરનાં અગણિત જીવોમાં માત્ર માનવી જ એવું બુદ્ધિશાળી પ્રાણી બન્યો કે એણે ગામ-સમાજ-રાજ્યની સીમાઓમાં સુરક્ષા અને સમૃદ્ધિના નકશાઓ વિકસાવ્યા. માનવીના સહિયારા પુરુષાર્થના પ્રતીક સમાં શહેરો આ પૃથ્વી પટે ઇન્દ્રની અમરાવતી સમાં શોભી રહ્યાં. ઇતિહાસ આજે પણ હસ્તિનાપુર કે એથેન્સ, લંકા અને દ્વારિકા, લંડન અને રંગૂન, ટોકિયો અને મુંબઈ જેવાં મહાનગરોનાં નામ લેતાં છાતી ગજગજ ફલાવે છે. પરંતુ કોઈ પણ નગરને મહા વિશેષણ માત્ર વસ્તી વધારાને આધારે નથી મળતું. વસ્તી પચ્ચીસ લાખ હોય કે પંચોતેર લાખ, એનાથી એ નગર મોટું નથી બની જતું, ઐતિહાસિક શહેર નથી બની જતું. એ માટે એ નગરે બહુમુખી વિકાસ સાધવાનો રહે છે. સર્જન અને સમૃદ્ધિનાં બધાં દ્વાર ખોલવાનાં રહે છે. માનવીને સ્પર્શે છે તે બધાં જ ક્ષેત્રોમાં અદ્ભુત અને અભૂતપૂર્વ વિકાસ સાધવાનો રહે છે. એ માટે ધર્મ અને સંસ્કૃતિ, જ્ઞાન અને વિજ્ઞાન, વેપાર અને ઉદ્યોગ, વિવિધ કળાઓ અને વિવિધ નીતિનિયમો, સંપ-સંગઠન-સહકાર–સહાનુભૂતિ-સમભાવની ઉદ્દાત ભાવના કેળવવાની રહે છે. એક જમાનામાં ગુજરાતના પાટનગર તરીકે પાટણનું સ્થાન હતું. તે પછી અમદાવાદ ગુજરાતનું હૃદય છે. એ અમદાવાદની અસ્મિતા એની આગવી ઓળખથી ટકી રહી છે. અહમદશાહથી માંડીને મોહનદાસ કરમચંદ ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ સુધીના વિરલ મહામાનવોની યાદી બનાવીએ તો કેટકેટલી મહાન હસ્તીઓએ અમદાવાદની અસ્મિતાને વિવિધ ક્ષેત્રે વિકસાવવાનો અમૂલ્ય ફાળો આપ્યો તે સમજાશે. એ સૌનાં આદર્શ ચરિત્રો આપણા જીવનમાં પણ સેવાભાવનાની ભવ્ય ભરતી રેલાવી જાય તેવાં છે. માનનીય ગરિમાને સમજાવવા અમદાવાદની અસ્મિતાનાં આ વિધાયકોના ટૂંકા પરિચયો રજૂ કરે છે એક સૌમ્ય પ્રતિભા ડૉ. માણેકભાઈ પટેલ ‘સેતુ'. ડૉ. માણેકભાઈ પટેલ લિખિત અને ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય અમદાવાદ દ્વારા પ્રકાશિત (૨૦૦૭) “આ છે અમદાવાદ' પુસ્તકમાંથી અમદાવાદની અસ્મિતાના વિધાયકોનો પરિચય અત્રે સાભાર સાથે લીધો છે. ડૉ. માણેકભાઈ પટેલ વિશે જાણીતા લોકસાહિત્યકલાના કસબી શ્રી જોરાવરસિંહજી જાદવ એક નોંધમાં લખે છે: “સાહિત્ય અને સંશોધનક્ષેત્રે ક્યારેક સુખદ અકસ્માત સર્જાતા હોય છે. મારે મન આવો એક સુખદ અને આનંદદાયક અકસ્માત દંતચિકિત્સાક્ષેત્રે સવારથી સાંજ સુધી સતત વ્યસ્ત રહેનાર ડેન્ટલ સર્જન ડૉ. માણેકભાઈ પટેલ ‘અમદાવાદ કથા’ અને ‘આ છે અમદાવાદ' જેવા સંશોધનમૂલક મૂલ્યવાન ગ્રંથો ગુજરાતી સાહિત્ય જગતને સંપડાવે તે છે. ગુજરાતમાં વિવિધ મેડિકલ શાખાઓમાં કામ કરતાં ડૉક્ટરોએ ચિત્રકલા, સાહિત્ય, સંગીત અને તસવીરકલાના ક્ષેત્રે ગણનાપાત્ર પ્રદાન કર્યું છે. એમાંના એક અલગારી સંશોધક ડૉ. માણેકભાઈ પટેલ છે. અથાક પ્રવૃત્તિનું બીજું નામ એટલે ડૉ. માણેકભાઈ પટેલ. તેઓ “અમદાવાદ કથા’ પછી એવું જ પ્રાણવાન પ્રકાશન “આ છે અમદાવાદ' લઈને સાહિત્ય જગત સમક્ષ આવે છે ત્યારે હું આનંદ સાથે ગૌરવની લાગણી સાથે એમને આવકારું છું.” આ અગાઉ “ગુજરાત સમાચાર'ના પાને ‘અમદાવાદકથા આલેખી ગુજરાતી સાહિત્ય અને સંશોધન ક્ષેત્રે ખૂબ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy