SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૧૫ વિવિધ ધર્મ પરંપરામાં ગુજશવની દેહાણ્ય જગ્યાઓ પ્રા. રવજી રોકડ તથા ડૉ. બી. આર. ખાચરિયા કહેવાયું છે કે ઘાતિ તિ ધર્મ ધારણ કરવામાં આવે તે ધર્મ, આચરણ કરવામાં આવે તે ધર્મ. જીવનની ક્ષણેક્ષણ ધર્મમય હોવી ઘટે, હોવી જોઈએ. કબીરે કહ્યું છે તેમ, જેવી આપી એવી જ પાછી આપી એવી ચદરિયા' જેવું જીવન હોવું જોઈએ. માનવજીવનમાં દરેક ક્ષણ ચિત્રવિચિત્ર કંધો વચ્ચે ફસાયેલી હોય છે. ધર્મ જ આ કિંઠમાંથી કઈ દિશામાં જવું તેનું માર્ગદર્શન પૂરું પાડે છે. માનવજાત સામે આ અંગેનાં અગણિત દાખલા-દષ્ટાંતો છે કે સદ્ભાગે ગયેલા સારી ગતિને પામ્યા છે, જ્યારે ગેરમાર્ગે ગયેલા નરકના અધિકારી બન્યા છે. આપણા અસંખ્ય પદ-ભજનોમાં અસંખ્ય કથાકીર્તનોમાં આ વાત ગાઈ-વગાડીને કહેવામાં આવી છે. પ્રા. રવજી રોકડ માનવીએ દશે દિશામાંથી કેવા ઉત્તમ વિચારો ગ્રહણ કરવા જોઈએ તે ધર્મ બતાવે છે, પછી એ કોઈપણ સંપ્રદાય હોય કે ગમે તે વિધિવિધાનો હોય, અંતે તો એ રોજીંદા જીવનમાં કેવું સદાચરણ જરૂરી છે એ જ દર્શાવે છે. ધર્મ સંસ્કૃતિના વર્તમાન પ્રવાહથી વાકેફ કરવાના શુભાશયથી ગુજરાતની ખ્યાતનામ દેહાસ્ય જગ્યાઓ વિષે આ લેખમાળામાં વિસ્તૃત અને પ્રમાણભૂત માહિતી આપવામાં આવી છે. લેખમાળાના બન્ને લેખકો પ્રવૃત્તિએ અભ્યાસી છે. સંશોધન કરવાની પ્રકૃતિના કારણે તેઓ માત્ર ભારતીય સંસ્કૃતિના પૂરક જ નહીં પણ પ્રચારકો પણ છે. ર ) શ ) શ ) શ ) શ ) # પ્રાધ્યાપક શ્રી રવજી રોકડનો જન્મ તા. ૭-૨-૧૯૬૩ના રોજ રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના પાંચપીપળા ગામે થયો હતો. તેમનું મૂળ વતન જેતપુર તાલુકાનું મેવાસા ગામ. બાળપણથી જ અધ્યાત્મ, સાહિત્ય, સંગીત અને લોકવિદ્યાઓમાં રુચિ ધરાવનાર પ્રાધ્યાપક રોકડે પ્રાથમિક શિક્ષણ મેવાસામાં પૂર્ણ કરી ઉચ્ચ અભ્યાસ અર્થે જેતપુર અને રાજકોટમાં રહી ગુજરાતી ભાષા-સાહિત્યમાં એમ. એ. અને એમ. ફિલ.ની પદવી સૌરાષ્ટ્ર યુનિ.માં પ્રાપ્ત કરેલ. પ્રા. રોકડની વિદ્વતા અને અભ્યાસ નિષ્ઠા પારખી તેઓના એમ. એ.ના પરિણામ પૂર્વે જ જેતપુર કોલેજમાં પ્રિન્સિપાલે તેઓને માનદ્ સેવા માટે બોલાવી લીધા. આમ અધ્યયનની સાથે અધ્યાપનનું કાર્ય શરૂ થયું. જેતપુર બોસમિયા કોલેજમાં ત્રણ વર્ષની અધ્યાપકની સેવા બજાવી, ૧૯૯૧માં અમરેલી પ્રતાપરાય આર્ટ્સ કોલેજ અને ૧૯૯૩થી કે. ઓ. શાહ આર્ટ્સ કોલેજ ધોરાજીમાં તેઓ સેવા આપે છે. આ સેવાકાળ દરમ્યાન શ્રી મકરન્દ દવે, ડૉ. નિરંજન રાજ્યગુરુ, ડૉ. મનોજ રાવલ, ડૉ. બળવંત જાની, શ્રી લાભશંકર પુરોહિત, શ્રી પલાણ સાહેબ તથા ડૉ. એન. યુ. ગોહિલના સતત સંપર્ક અને સત્સંગથી તેમની વ્યક્તિતા ઘડાતી રહી, જેના (ફળસ્વરૂપ ગુજરાતી લોકસાહિત્ય અને સંત સાહિત્ય ક્ષેત્રે સમગ્ર ગુજરાત અને રાજસ્થાનમાં લોકદેવ તરીકે પૂજાતા) Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy