SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ધન્ય ધર જ્ઞાનીનું સત્યાર્થસ્વરૂપ જ્ઞાન વિવિધ વિષયોના દીર્ઘ વાચનથી આવે છે અને બહુશ્રુતતા તેની જાતને સોત્સાહ તેમાં સમર્પિત કરવાથી, સાક્ષાત્ જ્ઞાનપિપાસા પ્રદીપ્ત કરી સતત જ્ઞાનોપાસના કરવાથી ઉદ્દભવે છે. જ્ઞાનૈષણા નિતાન્ત આવશ્યક છે, તે પછી જ્ઞાનોપાસના અને આ બંનેનું સાતત્ય રહે તો જ્ઞાનોદય થાય. ના નો મદ્રા તવ વસ્તુ વિશ્વતઃ |’ –ઋગ્વદ. “સમસ્ત વિશ્વમાંથી મને શુભ વિચાર પ્રાપ્ત થાઓ.’ વિ પતિ ” અથર્વવેદ. “જ્ઞાનથી મનુષ્ય નીચે જુએ છે (અર્થાત્ વિનમ્ર બને છે)'. જ્ઞાનની જેમ સત્યની ઉપાસનાથી મનુષ્ય ઊર્ધ્વગામી બને છે. શતપથ બ્રાહ્મણ' (૧/૩/૧/૨૭)માં ‘સત્યને જ (સાચું) નેત્ર કહ્યું છે–સત્યં વૈ વસુઃ ' सत्यमेवेश्वरो लोके सत्ये धर्मः सदाश्रितः। સત્યમૂનાનિ સળી સત્યાગ્રતિ પર પમ્ II (રામાયણ, અયોધ્યાકાંડ-૧૦૯/૧૩) ‘જગતમાં સત્ય જ ઈશ્વર છે, સત્યના આધાર પર જ ધર્મ સદા આશ્રિત છે. સત્ય જ બધાનું મૂળ છે અને સત્યથી વિશેષ અન્ય કોઈ પરમ પદ નથી.” સર્વ સત્વે પ્રતિષ્ઠિત—“બધું જ સત્યમાં પ્રતિષ્ઠિત છે” (મહાભારત, અનુશાસન પર્વ-૧૬૭૪૯). સઘં રહે સકુતર રસાન | (સુનિપાત-૧/૧૦/૨) બધા રસોમાં સત્યનો રસ જ અધિક સ્વાદિષ્ટ છે.’ બહુશ્રુત વ્યક્તિ જ પ્રત્યેક વસ્તુનું સત્યાર્થ સ્વરૂપ જાણી શકે અને તે જ સાંગોપાંગ રસાનંદ માણી શકે. જ્ઞાનીની અનુભૂતિ સર્વાનુભૂતિ બને છે. Learning adds precious seeing to the eye.' સત્યાર્થ જ્ઞાન અને વિદ્વત્તા વસ્તુને યોગ્ય રીતે નિહાળવાની દૃષ્ટિ અર્પે છે. વિચાર, મનન અને ચિંતન વિનાનું જ્ઞાન વ્યર્થ છે. ધન્ય ધરાઃ શાશ્વત સૌરભ' ગ્રંથમાં નિરૂપિત સાચી મહેંકવાળા માનવપુષ્પોનાં ચારિત્રોને વાંચતાં વાંચતાં ગુણવંતભાઈ શાહના જીવનદર્શનનું સ્મરણ થયું. એમના શબ્દોમાં : “ખીલેલાં પુષ્પો જાણે મૌનધારી અને નિર્મળ હૃદયના સાધુ-સંતો હોય એવી લાગણી એમને જોઈને થાય છે. હું એમને નિરખી રહું છું અને તેઓ ગગનમાં નિરખતા રહે છે. સાવ સમીપ જઈને હું તેમને મનોમન કહું છું : હે સંતો! તમારા સથવારે મને જીવન જીવવા જેવું જણાય છે. તમારી સમીપ હોઉં ત્યારે મને સારા સારા વિચારો આવે છે. તમારા અસ્તિત્વની બધી પાંખડીઓ ખીલી રહી છે. તમારા અસ્તિત્વની સુગંધ મારા અસ્તિત્વ સુધી પહોંચે છે, પરંતુ ઝાઝું ટકતી નથી. મારે કોઈ મનુષ્યના આશીર્વાદ નથી જોઈતા. તમે જ મનુષ્યના સાચા ગુરુ છો. મારા અસ્તિત્વને સુગંધદીક્ષા, સૌંદર્યદીક્ષા અને વિવેકદીક્ષા ક્યારે મળશે?” Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy