SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦ ન થયા છતર જા દોડતાં ખબર પ તે દરમિયાન અનુભવે તેને જ્ઞાન થાય છે કે જગત સાથેના સંબંધો બાંધવાની દોડમાં દોડતાં દોડતાં ખબર પડી કે આ સંબંધો તો આભાસી અને મૃગજળ જેવા છેતરામણા નીકળ્યા. તેથી વ્યક્તિ એકલી પડી ગઈ. એકલતાની પીડામાં તે તૂટી પડી. ત્યારે તેને ખ્યાલ આવે છે કે જો જગત સાથે પૂર્ણ સંગીત, તાલ અને લયના સંવાદપૂર્ણ જીવન જીવવું હોય તો પહેલાં પોતાની જાત સાથે સંબંધ બાંધવાનો હોય છે. પહેલાં પોતાની જાતને, પોતાના આત્માને ઓળખવાનો હોય છે, તો જ પ્રસન્નતા પૂર્વક જીવન જીવી શકાય છે. તેમાં પરમાત્માકૃપા ભળતાં, સત્સંગના પ્રભાવે જીવનયાત્રાની શરૂઆતથી કહો કે બાલ્યકાળથી સ્વયમેવ આવી વ્યક્તિઓ, મુકામની દિશામાં ગતિ કરવાનું શરૂ કરી દે છે. વ્યક્તિ અસંગ બનવા માંડે છે. તેને મળી જાય છે. અંતરની દૃષ્ટિનો ઉઘાડ થાય છે. હવે દશા બદલાઈ જાય છે. તેને એક નવી દિશા મળી જાય પાસે રહેવાનું છે એવું તત્ત્વ છે પરમતત્ત્વ પરમેશ્વર. તેને શોધવાનો પરમ માર્ગ મળી રહે છે તેને, ભક્તિનો એક રાજમાર્ગ મળી જાય છે. તેને જાણે પોતાનું એક અનોખું વિશ્વ તેનો અંતરાત્મા પણ કાંઈક અવાજ દેવા માંડે છે અને તે વ્યક્તિની છે. જ્યાં માનવીને મેળવીને કાંઈ ગુમાવવું ન પડે, જે કાયમ પોતાની "नज़र बदल जाय तो नज़ारा मिल जाएगा, किश्तिको मोड़ दो तो किनारा मिल जाएगा।"" આવી જ વાંતો કાંઈક એવી છે કે જે વાંચતાં લખતાં હૈયામાં પરમ પ્રસન્નતાની છોળો ઊડે છે. ઊંડે ઊંડે એવા થવા માટે મન થઈ જાય છે પણ પાત્રના ઓછી પડે છે. ધન્ય ધરા જૈન સ્થાનક્વાસી સમાજની આ શ્રમણીઓ જમાનાના પ્રમાણમાં સુસ્ત નથી, શિધિલ નથી પણ ચુસ્ત છે. પૂર્વભવથી જ્ઞાનની જ્યોતિને સાથે લઈને ફરનારી છે. આગમબળને આગળ કરીને ચાલનારી છે. ક્યાંય અટકનારી નથી. પછી તેમનો માર્ગ ભલે ઉપસર્ગ–પરિષહોથી ભરેલો હોય તો પણ શુદ્ધે યુરો અમે ત્વા એમ સુખ-દુઃખને સરખાં ગણીને તેને કર્મની ગહનલીલા ગણીને શાતાભાવે વેદે છે. અંતિમ સમય સુધી સમતાભાવમાં રમણતા કરનાર છે. તો: પૃથ ઝાત્મા: તેઓ આત્મા શરીરથી અલગ છે તેમ માનીને આગળને આગળ ગતિ કરનાર છે. લગ છે તે nss send the ent આવાં પૂ. આર્થાઓને બાલ્યાવસ્યાની ઉંમરમાં તેમને જયારે શાળા અને જૈનશાળામાં મૂકવામાં આવતાં ત્યારે સ્વયમેવ શાળાનો રસ્તો છોડી જૈનશાળાની માર્ગ અપનાવી લેતાં. પતન અને ઉત્થાનના માર્ગમાંથી શ્રેય એવી ઉત્પાનનો માર્ગ પસંદ કરી લેતાં. જૈન ધર્મ તરફ, ઉપાશ્રય તરફ અને છેલ્લે પ્રવ્રજ્યાના માર્ગ તરફ આપોઆપ તેમનો રસ્તો ફંટાઈ જતો. પૂ. સાધુસંતોના સત્સંગે વૈરાગ્ય પ્રત્યેનો રાગ તેમના જ દૃઢ થતો. પ્રવ્રજ્યાની મંજૂરી માટે તે વૈરાગી બાળાઓને કસોટીની સરાણે ચડાવવામાં આવતી. તેમના અંતરમાંથી જાણે જ્ઞાનનો ધોધ વહેતો હોય તેમ આ કસોટીમાંથી તેઓ શુદ્ધ કંપનની જેમ પાર ઉત્તરતાં અને તેમને પ્રવજ્યાની રજા મળતી. કાચા છે માટી તણી, ઘડીએ તેમ ઘડાય, કાંચન એ ત્યારે બને. જેમ કોટી થાય." Jain Education International નાની ઉંમરમાં તેઓ ધર્મ-માર્ગ પસંદ કરી લેતાં તેથી તેમને શાળાકીય જ્ઞાન ઓછું હતું પણ બુદ્ધિ, સ્મરણશક્તિ અને જ્ઞાનના ક્ષયોપશમની તીવ્રતા ઘણી, જેથી આગમના સિદ્ધાંતોનું વાચન, પઠન, પાઠન, પાચન અને જ્ઞાન કંઠસ્થ કરી, જ્ઞાનાભ્યાસ અને સ્વાધ્યાયમાં આગળ વધતાં રહે છે. આજે પણ સુખશાતામાં, શાનધ્યાનમાં વિચરણ કરી રહ્યાં છે. આ છે અણગાર અમારા......તેમને કોટિ કોટિ વંદન હજો અમારા ! મુદ્રણનો દોષ લાગતો હોવાથી આ સ્થાનકવાસી જૈન સમાજમાં પૂ. શ્રી સાધુ, સાધ્વીજીઓ છપાવવા ન માંગતાં હોઈ આ માહિતી બહુ મુશ્કેલીથી ભેગી કરી શકાઇ છે. કોઈ પણ પ્રકારની ક્ષતિ રહી જવા પામી હોય તો મને ક્ષમા કરશો જરૂર For Private & Personal Use Only પ્રા. પ્રવીણા આર. ગાંધી M.A., B.Ed. www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy