________________
શાશ્વત સૌરભ ભાગ - ૧
૮૧
शौचं६ स्थैर्यमदम्भो,१७ १८ वैराग्यं१९ चात्मनिग्रहः२० कार्यः।।
दृश्या२९ भगवतदोषाश्चिन्त्यं २'देहादिवैरुप्यम्॥५॥ શૌર્ય ને ધૈર્ય ધરી, દંભને ત્યજી કરી, રાખી વૈરાગ્ય તિમ આત્મનિગ્રહ કરી, દોષ સંસાર ના નિત નિત દેખવા, દેહ વેરૂણ્ય તિમ મન સદા ભાવવાં. ૫
આવા હોવા છતાં અંતરંગવૃત્તિમાં સરળતા ને નમ્રતા એવાં જ રાખવાં કે બાળકે પણ હિતકારી વાત કરી હોય તો તે સ્વીકારવી અને કોઈને આપણાં વાણી-વર્તન ન ગમ્યાં અને એ દુર્જનતાના કારણે ગમે તેમ બોલે તો તેના આલાપથી દ્વેષ ધારણ ન કરવો અને આપણા જીવનનું સૂત્ર જ બની જાય કે “પારકી આશ સદા નિરાશ'.
આટલે પહોંચ્યા હોઈએ એ જે તે માણસો મળે ત્યારે ક્યારે પણ તેમની સાથે ગપ્પા માટેનો સંગમ ગમે નહીં. કોઈ આવીને આપણી પ્રશંસા કરે તેથી અભિમાન ધારણ ન કરવું. તે જ રીતે કોઈ આપણી નિંદા કરે તેની ઉપર ક્રોધ ન કરવો. આંખની સામે ધર્માચાર્યોને રાખવા અને મનમાં ત્રણે કાળ ટકે તેવું તત્ત્વ શું છે? એવી તત્ત્વની જિજ્ઞાસા - ગવેષણા ઊભી રાખવી.
મન, વચન અને કાયાથી પવિત્ર રહેવું. ચંચળતાનો ત્યાગ કરવો. સ્થિરતા રાખવી. દંભનું સેવન ન કરવું. જેવાં હોઈએ તેવાં જ દેખાવું. વૈરાગ્ય (જે સ્થિતિ પરિસ્થિતિ સર્જાય તેમાં રાજી રહેવું.) -ને કેળવવો. આત્માનો - મનનો નિગ્રહ કરવો. મનમાં જે જે ઇચ્છા ઊપજે તેને વશ ન થવું. સંસારમાં આસક્તિ ન થઈ જાય તે માટે સંસારના દોષોનું દર્શન કરતાં રહેવું.
સંસારનું પ્રતીક દેહ -શરીર છે. તેમાં જે વિરૂપતા છે તેને અશુચિભાવના દ્વારા, અનિત્ય ભાવના દ્વારા વિચારવી. ભક્તિ માત્ર ભગવદ્ તત્ત્વમાં જ ધારણ કરવી.
બહુ લોકોના સંપર્કમાં ન આવવું. બને તેટલું એકાન્ત સેવવું. સમ્યકૃત્વમાં સ્થિર રહેવું. પ્રમાદને વશ ન થવું. પ્રમાદ પણ એક મનોવૃત્તિ છે. એ નેગેટિવિટીને ફેલાવે છે. તેને સ્થાન ન આપવું. આત્માના બોધની નિષ્ઠા કેળવવી. ધર્મના ક્ષેત્રમાં કશું જ મતિ-કલ્પનાથી કહેવાની ‘ના’ છે. તેથી પૂર્વ ઋષિના ગ્રન્થોને આગળ કરવા. વિકલ્પોનો ત્યાગ કરવો. મનને સ્ફટિકના જેવું નિર્મળ રાખવું. આચરણમાં વૃદ્ધજનોને સામે રાખવા. - ત્રણે કાળમાં ટકે તે તત્ત્વ છે એવું તત્ત્વ શું છે! શું છે! --તેવી જિજ્ઞાસા સતત કેળવવી. આત્મા સામે નજર રાખીએ તો આનંદ આનંદ જ રહે. આવો જ્ઞાનવાનું પુરુષનો હિતને કરે તેવો અનુભવથી સમજાય તેવો હિતશિક્ષાનો એક પ્રકાર છે.
भक्तिर्भगवति२३ धार्या, सेव्यो देशः सदा २*विविक्तश्च।
स्थातव्यं२५ सम्यक्त्वे, विश्वस्यो न प्रमादरिपुः॥६॥ ભકિત ભગવંતમાં દઢ મને ધારવી, દેશ એકાન્ત નિત સેવવો ભાવથી; સ્થિર સદા રહેવું સમ્યક્ત્વમાં મેરુ જિમ, પ્રમાદ રિપનો ને વિશ્વાસ કરવો તિમ. ૪
२७ध्येयात्मबोधनिष्ठा, सर्वत्रैवागमः “पुरस्कार्यः। ત્યક્તવ્યા: ૨૬ શ્રુવિન્યતા:,
स्थेयं वृद्धानुवृत्त्या च॥७॥ દયાવવી આત્મ તણી બોધનિષ્ઠા સદા, કાર્ય કરતાં સવિ આગમ માનવા; કરવો કુત્સિત વિકલ્પો તણો ત્યાગ વળી, રહેવું સુખ શાત્તિમાં વૃદ્ધજન અનુસરી.૭
સાક્ષાર્થિ તત્ત્વ, ३"चिदूपानन्दर्मेदुरैर्भाव्यम्।
हितकारी ज्ञानवतामनुभववेद्यः प्रकारोऽयम्॥८॥ કરવું ઈમ આતમ તત્ત્વ ભ દર્શન, જ્ઞાન આનન્દ ભરપૂર થવું સંતત; હિતકર જ્ઞાનીને અંનુ ભવવૈધ આ, પ્રકાર આપે યશોવિજય સુખ સંપદા.૮
સમાધી - ડભોઈ
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org