________________
ધન્ય ધરા
જીવન ઊંચું બનાવવાના રસ્તા
निन्द्यो न कोऽपि लोके, पापिष्ठेष्वपि भवस्थितिश्चन्त्या।
पूज्या गुणगरिमाढ्या, धार्या रागो गुणलवेऽपि ॥१॥ નિન્દ ના આતમાં કોઈ આ જગવિષે, ભવસ્થિતિ ભાવવી પાપીને પણ વિષે; જેહ ગુણવન્ત તેને સદા પૂજવા, રાગ ધરવો ભલે હોય ગુણ જૂજવા. ૧
લોકોત્તર વ્યક્તિત્વ ખીલવવા માટેના માઇલસ્ટોન કહી શકાય તેવા પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજે ‘અધ્યાત્મસાર' નામના ગ્રન્થના અંતે માત્મનુમવાધિક્કાર સ્નોક્ક રૂ૮:૪૫માં દર્શાવ્યા છે. એ રજૂઆત સંસ્કૃત ભાષામાં માર્યા છંદમાં છે. તેનું ગુજરાતી અમારા પૂજ્યપાદ ગુરુ મહારાજે કરેલું છે. એ યાદ કરીને ફરી ફરી આ ભાવોથી હૃદયને ભાવિત કરવાનું છે. એ બધા નિયમો આપણા જેવા માટે સરળ નથી છતાં તેના વિના ધાર્મિકતા અને ધાર્મિક ક્રિયાયોગ શોભતો નથી, એટલે સૌ પ્રથમ તે તે ગુણ પ્રત્યે આપણે પ્રીતિ ધારણ કરીએ. પ્રીતિયોગ પહેલો છે.
વાત તો જીવનને, અંતતોગત્વા આત્માને ઉપયોગની છે, ઉપકારિણી છે.
૧. કોઈ પણ જીવની નિંદા ન કરવી. કોઈ પાપીમાં પાપી જીવ જોવા મળે તો પણ તેની નિંદા નહીં કરતાં સંસારનું સ્વરૂપ જ આવું છે એમ વિચારવું. ૨. હવે નિંદા નથી કરવી. એ દોષની ઉપેક્ષા કેળવવી છે તો ગુણ તો મેળવવા છે. તે માટે પૂજ્ય છે એવા ગુણવંત પુરુષો ની પૂજા કરવી. તેમના પ્રત્યે ભક્તિ અને બહુમાન ધારણ કરવું એટલું જ નહીં પણ કદાચ એ જીવ છવસ્થ છે. ઘાતિકર્મ વળગેલાં છે તો જે દોષ દેખાઈ જાય તેને ઢાંકવા એ પણ ભક્તિનો જ એક પ્રકાર છે. ૩. થોડો પણ રાગ જુઓ તો તેના પર રાગ ધારણ કરો. આપણે ગુણને પ્રાપ્ત કરવા અને દોષ ઓછા કરવા જમ્યા છીએ. તેથી ગુણ લેવા માટે તો નાનો ગુણ પણ જેવો દેખાય તે તરત જ તેના પ્રત્યે, તે ગુણ પ્રત્યે રાગ ધારણ કરવો.
આ બધી શીખ યોગીપુરુષોને ઉદ્દેશીને હોવા છતાં આપણા જેવા મોક્ષેચ્છાવાળાને પણ ઉપયોગી છે.
આગમ કથિત ભાવોનો નિશ્ચય કરીને તેને અનુસરવા માટે લોક સંજ્ઞાનો ત્યાગ કરીને અંતરંગ જીવનમાં શ્રદ્ધા અને બહિરંગ જીવનમાં નિર્ણય લેતાં વિવેકનો ઉપયોગ રાખીને જીવન જીવવું જોઈએ..
निश्चित्यागमत्वं तस्मादुत्सृज्य लोकसंज्ञां च।
श्रद्धाविवेकसारं यतितव्यं योगिना नित्यम्।।२।। આગમ તત્ત્વનો નિશ્ચય વળી કરી. લોકસંજ્ઞા તથા દુરથી પરિહરી; સાર શ્રદ્ધા વિવે કાદિ છે જેહમાં, યોગીએ યત્ન કરવો સદા તેહમાં, ર
ग्राह्यं हितमपि बाळादालापैर्दुर्जनस्य न द्वेषम्।
त्यक्तव्या च पराशा, पाशा इव सङगमा झेयाः ॥३॥ ગ્રહણ કરવા વચન હિતકર બાલથી, તેષ ધરવો નહીં ખલ તણાં વાક્યથી; રાખવી ના કદી પરતણી આશને, સંગમો જાણવા પાશ જિમ ખાસ તે. ૩
स्तुत्या २ स्मयो न कार्य: कोपोऽपि च निन्दया३ जनैः कृतया।
સેવ્ય ધર્માત્રાस्तत्त्वं जिज्ञासनीयं च ॥४॥ સ્તતિ થકી કોઈની હર્ષ નવિ આણવો, કોપ પણ તિમ નિન્દા થકી લાવવો; ધમના જેહ આચાર્ય તેહ સરવા, તત્ત્વના જ્ઞાનની કરવી નિત ખેવના.૪
Jain Education Intemational
nal
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org