________________
શાશ્વત સૌરભ ભાગ - ૧
બંધ સમય ચિત્ત ચેતિયે રે ઉદયે શો સંતાપ સલૂણા
ઉનાળાના દિવસો હતા. સૂરજનાં કિરણો ન’તાં દેખાતા પણ લાવારસ ફેંકાતો હોય તેવું લાગતું.
બપોરનું ભોજન જેમતેમ પૂરું કરી નરનારી બધાં ઉઘાનનો આશરો લેવા દોડી જતાં. એમાં ધનકુમાર અને ધનવતી પણ હતાં. તાજાં તાજાં પરણેલાં હતાં. ઊછળતી યુવાની હતી. આકરાં તાપથી બચવા ધનકુમારે એક લતામંડપની શીતળ સુખદ છાયામાં શરીર લંબાવ્યું હતું. ધનવતી પણ પાસે જ બેઠાં હતાં.
બળબળતો ઉનાળો અને બપોરના એક વાગ્યાનો ધોમ ધખતો તાપ. બગીચા બહારના રસ્તા પર જતાં એક કૃશકાય મુનિરાજને ચક્કર આવ્યાં અને પડી ગયા. ધનવતીએ આ જોયું અને ધનકુમારને ત્વરિત મોકલ્યા. ધનકુમાર અને અન્ય એક યુવાને મળી બેશુદ્ધ મુનિરાજને સરખી રીતે બગીચામાં લાવી સુવરાવ્યા અને શીતોપચાર કરી શુદ્ધિમાં આણ્યા. મુનિરાજના પગમાંથી કાંટા ખેંચી કાઢ્યા. લોહી વહેવા લાગ્યું.
વૈરાગ્યનાં કારણો કે વેરનાં કારણોમાં તફાવત નથી હોતો. તફાવત તો, એ કારણોને કયા કાર્ય માટે ખપાવવાં એ દૃષ્ટિમાં
હોય છે.
[]] ] | આ
પૈર નહીં વૈરાગ્ય જાગ્યો!
વાત છે, ગૈરિક તાપસ, રાજા અને કાર્તિક શેઠની. કાર્તિક શેઠનું મન અર્હથિત માર્ગના મર્મથી રસાયેલું હતું. પારિણામિક દષ્ટિ
લાધી હતી તેથી ગૈરિક તાપસની તપસ્યાથી તેઓ આકર્ષાયા નહીં.
ગૈરિક તપ કરતો હતો, પણ તેનું પ્રયોજન સાવ ઉપરની સપાટીનું હતું. કાર્તિક આવે અને મને પારણું કરાવે તેમાં જ તેને તપની ફ્લશ્રુતિ
જણાતી હતી.
જીદભરી ઇચ્છાનો નશો ખરાબ છે, તે બધું જ તેમાં હોમવા તૈયાર હોય છે.
Jain Education International
ધનકુમારના મનમાં ભક્તિની સરવાણી ફૂટી. હૃદય દ્રવી ગયું. લોહીલુહાણ પગમાં ચીરા પડેલાં જોઈ ધનકુમારે વિનિત સ્વરે પૂછ્યું : “આ શું ? પગ કેમ કરી ધરતી પર મુકાય છે ?” મુનિરાજે સહજ સ્વરે કહ્યું : “આ તો વિહારમ સંભવઃ વિહાર કરીએ તો આ બધું થાય. ખેદ છે તે તો આ જન્મમરણનો છે. એ દૂર થાય તેની ચિંતા છે.” ધનકુમારના મનમાં તો મુનિરાજની નિર્વેદવાણી સાંભળીને અજવાળાં પથરાયાં. રાગદ્વેષની નિબિડ ગ્રંથિ ભેદાઈ, સમકિત મળ્યું. આ ધનકુમાર તે નેમિનાથ ભગવાનનો જીવ અને ધનવતી તે રાજિમતીનો જીવ. આપણે કર્મ ઉદયમાં આવે ત્યારે રડીએ છીએ અને મુનિવરો કર્મના બંધ સમયે જ રડે છે અને ચેતે છે.
મુનિ મહારાજની સેવા સમકિત આપે છે.
૭૯
રાજાએ આમંત્રણ આપ્યું. તાપસે શરત કરી ઃ “પારણું કાર્તિક શેઠ કરાવે.”
રાજાએ વાત સ્વીકારી. રાજાના કહેવાથી કાર્તિક શેઠ આવ્યા. તેમણે ગૈરિકને પારણું કરાવ્યું. મનગમતું થયું એટલે ગૈરિકે પોત પ્રકાશ્યું. નાકે આંગળી મૂકી. આ ક્ષણે કાર્તિકે વિચાર્યું : “મેં દીક્ષા ન લીધી તેનું પરિણામ આ પરાભવ છે.”
આ સંકેત છે. સંકેતની લિપિ વાંચી કાર્તિકે એક હજાર આઠ પુરુષો સાથે, શ્રી મુનિસુવ્રતસ્વામી પ્રભુના ચરણોમાં જીવન સમર્પણ કર્યું. બાર વર્ષ ચારિત્ર પાળી તે સૌધર્મેન્દ્ર થયા. જીવન ઉજ્જવળ બનાવ્યું. સંસાર-રસિક જીવને જે વૈર વધારનારું કારણ બને તેને આવા ઉત્તમ આત્માએ વૈરાગ્યનું કારણ બનાવી દીધું. આ સમ્યક્ દૃષ્ટિનો પ્રભાવ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org