________________
૭૮
ઉઘાડા દરવાજાથી ઉદ્ધાર થઈ ગયો
રાત વીતી રહી છે. દરબારગઢના પહેરેગીરે ડંકા વગાડ્યા છે...બાર..એક..બે...ગામ આખું જંપી ગયું છે. શાંતિ તો એવી પથરાઈ ગઈ છે કે ગામના પાદરમાં વહેતી નદીના પાણીના ખળખળ પ્રવાહનો અવાજ, પેલા તમરાંના ત્રમ ત્રમ અવાજ સાથે ભળીને મધુર સંગીત પ્રગટાવે છે. બધેબધું જ શાંત છે પણ...
......એક ઘરના ઓરડામાં યુવાન પુત્રવધૂ અને એની સાસુનાં મન અશાંત છે. મધરાતે પણ એમની આંખમાં નીંદરનું નામનિશાન નથી. ફાટી આંખે ઘરના બંધ દરવાજાને તાકી તાકીને આંખો પણ હવે થાકી.
ત્યાં.. બહાર પગરવ સંભળાયો. વહુએ દીવાની વાટ સંકોરી. પતિદેવે બહાર ફળિયામાં લથડતા પગે બારણે ટકોરા માર્યા. જુગારમાં બધું હારી, થાકી હવે ઘર યાદ આવ્યું હતું. મન અને મગજ ઠેકાણે ન હતાં. ઘરની અંદરથી કોઈનો સંચાર ન સાંભળ્યો એટલે હવે, દરવાજાની સાંકળ ખખડાવી. ત્યાં જ એ દીકરાની માએ - ચિંતિત પુત્રવધૂની સાસુએ સંભળાવી દીધું : “આજે આ કમાડ નહીં ખૂલે. જે ઘરના કમાડ ખૂલ્લા હોય ત્યાં રાતવાસો કરી લેજે. આ દરવાજા કાયમને માટે ભૂલી જજે.”
ઘરનો મરદ પણ વટનો કટકો હતો. પળવાર માટે જ ઊભો રહ્યો અને તરત જ કશું બોલ્યા વિના ત્યાંથી ચાલી નીકળ્યો. રોફમાં ને રોફમાં શેરી ગલી વટાવતાં એણે એક મકાનના દરવાજા ઉઘાડા જોયા. થાકેલું તન હતું. ઘરમાંથી મળેલા જા'કારાથી મન પણ આશરો શોધતું હતું.
Jain Education International
વિ.સં.૧૬૫૨ના શ્રાવણ મહિનાની વાત છે. સૌરાષ્ટ્રમાં આવેલા ઊના શહેરમાંનો ગામ વચ્ચેનો ઉપાશ્રય. ઉપાશ્રયના અંદરના ઓરડામાં પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી હીરવિજયસૂરિ મહારાજ પાસે સાધુ મહારાજ પાત્રા સાથે હાજર થયા. ગુરુ મહારાજે અનુપાનની ના ફરમાવી; આ દવા-ઔષધ કંઈ લાભ નથી કરતા, તો આ શરીરને શા માટે હવે પોષવું ! “મારે કોઈ ઔષધ લેવું નથી.” નહીંતર વૈદ્યરાજે આપેલી દવા સાકર-ઘી સાથે રોજ સૌ પ્રથમ લેવાતી. થોડી વાર થઈ. સાધુના સ્વાધ્યાયનો સુમધુર ઘોષ આવતો બંધ થયો. સૂરિજીને બેચેની થઈ આવી. સ્વાધ્યાય બંધ કેમ થયો ? વાતાવરણમાં શોક તરવરવા લાગ્યો.
સાધુ મહારાજ કહે કે “બાળકોના રડવાનો અવાજ આવે છે, અસજ્ઝાય
ઉઘાડા દરવાજાવાળું એ મકાન, સાધુઓનો ઉપાશ્રય હતો. ત્રણેક પગથિયાં ચડીને ઉપર જોયું. કોઈ સાધુ મહારાજ ઊભા હતા, બીજા બે સાધુ બેઠા હતા, હળવા સ્વરે પાઠ કરી રહ્યા હતા. બીજા સાધુઓ સંથારી રહ્યા હતા. વાતાવરણ શાંત અને પવિત્ર હતું. ત્યાં બે પળ ઊભા રહેવાથી પણ એનું મન શાંત થવા લાગ્યું. ઢળતી રાતનો અંધકાર પણ સ્નિગ્ધ અને સોહામણો લાગ્યો.
બારણાં પાસેના ઓટલા પર આ ભાઈએ લંબાવ્યું. ઉપાશ્રયના પંચમહાવ્રતધારી તપસ્વી સાધુઓના પરમાણુની મૂક અસર આ ભાઈના મન પર થવા લાગી. થોડી થોડી વારે ઝબકીને જાગે, બેઠા થાય, ચોતરફ નજર ફેરવે, વળી સૂઈ જાય. એક સાધુનું ધ્યાન ગયું. અડધી રાતે અહીં આવીને કોઈ સૂતું લાગે છે. થાક્યો વટેમાર્ગુ લાગે છે, પણ ઘડી સૂએ છે, બેસે છે, વળી સૂએ છે. શું છે ? નજીક જઈને પૂછે છે : “ભાઈ! કેમ ઊંઘ નથી આવતી ?”
“ભાઈ !-એવા મીઠાં સંબોધનથી જ મન ભરાઈ આવ્યું.” માંડીને વાત કહી. હૈયું હળવું કર્યું. તપસ્વી સાધુએ સંસારની અસારતા સમજાવી. ત્યાગમાં જ સુખ છે. સંસારનો તો આ જ સ્વભાવ છે.
ગુરુભક્તિ
ધન્ય ધરા
તપ્ત મન પર શીતળતાનો છંટકાવ થયો. પ્રતિબોધ થયો. સાધુનું શરણ મળ્યું. દીક્ષા લીધી. ‘ભલું થયું ભાંગી જંજાળ ’-એવો ઘાટ થયો !
સંયમના પ્રભાવે તેઓ સમર્થ ગ્રંથકાર બન્યા. સિધ્ધર્ષિ મહારાજ બન્યા. તેઓએ રચેલો ‘ઉપમિતિભવપ્રપંચ' કથા નામનો અમર ગ્રંથ આજે પણ તેમની દિગંતવ્યાપી કીર્તિગાથાનું ગાન કરી રહ્યો છે.
થાય છે.”
સૂરિજી કહે : “એમ ! બાળકો આવું કેમ રડે છે ?”
જવાબ મળ્યો : “કારણકે તેમના માતા સ્તનપાન કરાવતા નથી માટે.” પ્રશ્ન થયો : “કેમ સ્તનપાન કરાવતા નથી ?” “બાળકો ભૂખ્યાં થયા છે અને તેમની માતા ધવરાવતાં નથી.” વળી પ્રશ્ન થયો. એનો જવાબ મળ્યો કે, “આપે દવા લેવાની બંધ કરી તેથી શ્રાવિકા લાડકીબાઈએ સ્તનપાન બંધ કરાવ્યું છે.”
સૂરિજી કહે, “એવું છે ? મારા કારણે બાળકો ભૂખ્યા રહે છે ! લાવો લાવો, જે અનુપાન લાવવું હોય તે લાવો. દવા લઈશું”
અને બાળકોનું રડવાનું બંધ થયું.
સંઘમાં બધાંને હરખ હરખ થઈ આવ્યો.
For Private & Personal Use Only
www.jainelibrary.org