________________
૮૨
ધન્ય ધરા
શાની જાણે મર્મ સ્યાદ્વાદ ધર્મની પરિણતિ થયેલી હોય તે પોતાની જીભે નબળું ન બોલે. જેનામાં સ્યાદ્વાદ રસાઈ ગયો છે, હાડમાં ઊતરી ગયો છે તે ઉત્તમ જ હોય. ઉત્તમ મુખે મધુરી ભાષા! કાર્ય ગમે તે હોય શબ્દો તો ઉત્તમ જ પ્રગટ થાય.
ઉપાધ્યાય શ્રી ઉદયરત્નજી મહારાજે રચેલા રાસની વાત લઈએ. તેઓ શીઘ્ર કવિ હતા અને તેમણે અનેક રચનાઓ કરી છે, જેમાં પ્રભુજીની અષ્ટપ્રકારી પૂજાના રાસની રચના જાણીતી છે.
આ રચનામાં આઠે આઠ પૂજા ઉત્કૃષ્ટ રીતે કરનારનું જીવનચરિત્રદર્શાવ્યું છે. રાસ એક રસાળ રચના છે.
જે જે પૂજકો દેવલોકે ગયા, ઉત્તમ ગતિને પામ્યા તેનો ઉલ્લેખ કરીને તેનો આનંદ પ્રગટ કર્યો છે. આ રચનામાં છેલ્લે આવતી ફળપૂજાનો સમાવેશ નથી. ફળપૂજા કરનાર પરલોકમાં
ક્યાં ગયા તેનો ઉલ્લેખ મૂળ ચરિત્ર ગ્રન્થમાં પણ નથી અને મહારાજે પણ પોતે કરેલી રાસ રચનામાં પણ નથી કર્યો.
કદાચ એવું પણ બન્યું હોય કે ફળપૂજાના પૂજકની સદ્ગતિ નપણ થઈ હોય! લખનારને થયું હશે કે આપણી કલમે આવું નબળું શા માટે લખવું? આ જિન શાસનની વિશેષતા છે.
છતાં વાચકના સમાધાન માટે એક યાદગાર દુહો જરૂર લખ્યો : “ગતિ વિચિત્ર છે કર્મની, અનેકાંત જિન ધર્મ એ માટે એ વાતનો જ્ઞાની જાણે મર્મ.” આમ લખી પોતે એ ચરિત્રની ઢાળને પૂર્ણવિરામ આપ્યું. નબળું ન લખ્યું.
સ્યાદ્વાદીને શોભે તેવું આ પ્રતિપાદન આપણે, સામાન્ય વાતચીત કરતી વખતે પણ યાદ રાખવા જેવું છે.
7
.
હિ. આ દો આ દો વાત કરી રહી . આ લોન
सुभाषितम्
शतेन पुस्तके विद्या सहस्रेण मुखोद्गता।
लक्षेण जन्म पर्यन्तं कोट्या जन्मान्तरे खलु॥१॥
એક સો વખત ગોખો ત્યાં સુધી ગાથા/બ્લોકળ્યું અધ્યયન પુસ્તકમાં જ રહે. હજાર વખત ગોખો ત્યારે તે ગાથા/શ્લોક કે અધ્યાય મુખમાં આવે. એક લાખ વાર તેનો પાઠ કરો ત્યારે તે આજીવન યાદ રહે. અને કરોડ વાર જો એ ગાથા શ્લોક અથવા અધ્યયનનો પાઠ કરો તે પરભવમાં યાદ આવે. શ્રી વજસ્વામી મહારાજે પુંડરીકકંડરીક અધ્યયનનો કરોડોવાર પાઠ કર્યો હતો તો પરભવમાં ‘દીક્ષા' શબ્દ સાંભળતાં * વેંત જન્મના દિવસે જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org