SearchBrowseAboutContactDonate
Page Preview
Page 874
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૫૪ શ્રી પ્રવીણભાઈના જાહેરજીવનમાં વિવિધક્ષેત્રે સેવાની કદરરૂપે મહારાષ્ટ્ર સરકારે, આજથી લગભગ ત્રીસ વર્ષ પહેલાં J. P. (Justice of Peace)ની પદવી એનાયત કરી હતી. ત્યારપછી લગભગ છ વર્ષ સુધી SEM (સ્પેશિયલ એક્ઝિક્યૂટિવ મેજિસ્ટ્રેટ) તરીકે નિમણૂક કરી હોવાના કારણે સમાજના બધા વર્ગો વ્યાપારીથી માંડીને વિદ્યાર્થીઓને સેવા આપી શકવા ભાગ્યશાળી થયા હતા. ધંધા સાથે તેમનો ધાર્મિક-સામાજિક-શિક્ષણક્ષેત્રે ફાળો પણ મહત્તમ છે. મહુવામાં લગભગ ૯૦ વર્ષ પહેલાં સ્થપાયેલ શ્રી મહુવા યશોવૃદ્ધિ જૈન બાળાશ્રમના વર્ષોથી પ્રમુખ અને ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા છે. આ સંસ્થાનો હવે સ્થાનિક ક્ષેત્રે વિકાસ કે વિસ્તરણનો અવકાશ ન રહેતાં, મુંબઈમાં ઉચ્ચ શિક્ષણ માટે એક અદ્યતન હોસ્ટેલનું નિર્માણ કરવા, નવી મુંબઈમાં એક જમીનનો પ્લોટ મેળવવા ઉચ્ચ કક્ષાએ પ્રયાસો ચાલી રહ્યા છે. એમાં જો સફળતા મળશે તો અમારું એક સ્વપ્ન સાકાર થશે. ઉપરાંત ૫૦થી ઉપર વર્ષોથી જે સંસ્થા માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ લેતા વિદ્યાર્થીઓને પુસ્તકો તથા લોન—સ્કોલરશિપનો લાભ આપે છે—એવા શ્રી મહુવા જૈન મંડળ-મુંબઈના ૪૦ વર્ષોથી માનમંત્રી તરીકે સેવા આપી સંચાલન કરી રહ્યા છે તથા સૌરાષ્ટ્રભરમાં જેની આગવી પ્રતિષ્ઠા છે એવા મહુવા યુવક સમાજ–મુંબઈના કે જેણે મહુવામાં બાલમંદિરથી કોલેજ સુધીની સંસ્થાઓનાં નિર્માણમાં દાનનો પ્રવાહ વહેવડાવી અમૂલ્ય યોગદાન આપ્યું છે, તેના વર્ષો સુધી પ્રમુખપદે રહી ચૂક્યા છે તેમજ હાલમાં ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ શ્રી માટુંગા જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છસંઘનાં ૧૭ વર્ષ સુધી સેવા આપ્યા બાદ હાલમાં નિવૃત્ત થયા છે. તે સિવાય શ્રી સંયુક્ત જૈન વિદ્યાર્થીગૃહ સાયન–મુંબઈમાં વર્ષો સુધી ટ્રેઝરર રહી હાલમાં કારોબારી સમિતિના સભ્ય તથા શ્રી મહાવીર જૈન વિદ્યાલયની વ્યવસ્થાપક સમિતિના પણ સભ્ય છે. કૌટુંબિક ગહન ધાર્મિક સંસ્કાર અને શ્રદ્ધાના પરિણામે તેઓ મહુવામાં ૫.પૂ. શાસનસમ્રાટ આચાર્ય ભગવંત શ્રી વિજય નેમિસૂરીશ્વરજી મ.સા. નિર્મિત ગુરુમંદિરમાં તેમજ પાલિતાણામાં ૫.પૂ. આચાર્ય ભગવંત શ્રી વિજય ધર્મધુરંધર સુરીશ્વરજી મ.સા. નિર્મિત કેસરિયાનગરમાં ભગવાન પધરાવી પ્રતિષ્ઠા કરાવવા ભાગ્યશાળી થયા છે. તેઓ સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાત-રાજસ્થાન તેમજ સમેતશિખરજી સહિત લગભગ તમામ તીર્થધામોની સહકુટુંબ યાત્રા કરી કૃતકૃત્ય થયા છે. Jain Education International ધન્ય ધરા આ રીતે આપણા સમાજના એક બહુમુખી પ્રતિભાસંપન્ન ગૌરવ અને શોભારૂપ નિરભિમાની, ધર્મિષ્ઠ, સંનિષ્ઠ, સેવાભાવી એવા શ્રી પ્રવીણચંદ્રભાઈના જીવનમાં તેમના હસ્તે ઉત્તરોત્તર અનેક ચિરંજીવી શુભકાર્યો થતાં રહે તેવી શુભકામનાઓ વ્યક્ત કરીએ છીએ. અનાસક્ત કર્મયોગી શ્રેષ્ઠીરત્ન ચક્ષુદાતા શ્રી બાપાલાલ મનસુખલાલ શાહ વઢવાણ કેમ્પના પ્રતિષ્ઠિત અને ધર્મપરાયણ શાહ ડાયાભાઈ લલ્લુભાઈના કુટુંબમાં સંવત ૧૯૭૦ જેઠ સુદ ૧ના રોજ જન્મ લેનાર બાપાલાલભાઈનું પ્રાથમિક શિક્ષણ નર્મદાશંકર રાવળની શાળામાં તેમજ ઉચ્ચ શિક્ષણ ભાવનગરની શામળદાસ કોલેજમાં પ્રાપ્ત થયું. અતિ તેજસ્વી અને બુદ્ધિશાળી બાપાલાલભાઈએ ૨૨ વર્ષની નાની વયે પિતાશ્રી મનસુખલાલભાઈ (શીઘ્ર કવિ)ની છત્રછાયા ગુમાવતાં આર્થિક, વ્યાવહારિક અને કૌટુંબિક જવાબદારી ઉપાડી આ સાથે એમણે સામાજિક શૈક્ષણિક અને ધાર્મિક સેવાકાર્ય પણ શરૂ કર્યું. સુરેન્દ્રનગરમાં ગ્રેન મરચન્ટ એસોસિએશનની સ્થાપના કરી એના વહીવટી પ્રમુખ બન્યા. સુરેન્દ્રનગરમાં અનાજની મોટી મંડી બને એ માટે અથાગ પ્રયાસ કર્યો. ૭૦ એકર જેટલી જમીન સંપાદન કરી. ઉપરાંત રાષ્ટ્રીય સ્તરે ૧૯૬૨, ૧૯૬૫, ૧૯૬૭માં ઓલ ઇન્ડિયા ફૂડ ટ્રેન એસોસિએશનના કમિટી સભ્ય બન્યા. એ સમયે ફૂડ મિનિસ્ટર શ્રી સ્વર્ણસિંઘ એમનાં કાર્યથી ખૂબ પ્રભાવિત થયા હતા. ૧૯૫૭માં ખાંડનું રેશનિંગ દાખલ થયું ત્યારે ગુજરાતમાં વિતરણ કરવા ખાંડનો ક્વોટા મળ્યો એમાં અપ્રામાણિકતા દેખાઈ એટલે એનો અસ્વીકાર કર્યો. આ વ્યાપારી પ્રવૃત્તિ ઉપરાંત કેળવણી-તબીબી તેમજ ઈતર ઘણી પ્રવૃત્તિમાં તન્મય હતા. કેળવણી મંડળ, સુરેન્દ્રનગર એજ્યુકેશન ટ્રસ્ટ, મહાજન, તબીબી રાહત મંડળ, માનવ સેવા સંઘ, અનાથઆશ્રમ, સૌરાષ્ટ્ર મેડિકલ સેન્ટર, વિકાસ વિદ્યાલય, અંધશાળા, ચક્ષુબેંક, ચેમ્બર ઓફ કોમર્સ, રેલ્વે એડવાઇઝરી બોર્ડ વગેરે અનેક સંસ્થાઓમાં પ્રતિનિધિત્વ ધરાવ્યું. બાળ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy