SearchBrowseAboutContactDonate
Page Preview
Page 873
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૧ સારાં કાર્યો થતાં રહ્યાં ત્યાં ત્યાં તેમણે અંતરના ઊમળકાથી લાભ લઈ વિવિધ ક્ષેત્રોમાં યથાયોગ્ય નાનાં-મોટાં ઘણાં દાન આપેલાં છે. તેમનું આ પ્રદાન ખરેખર દાદ માગી લે તેવું છે. સાવરકુંડલાની જૈન બોર્ડિંગ અને શાળામાં એમની દેણગીએ પરિવારને ગૌરવ અપાવ્યું છે. ઊનાની ધર્મશાળામાં પણ એવી જ બાદશાહી સખાવત એમણે કરી છે. તેમનાં ધર્મપત્ની શાન્તાબહેન પણ એવાં જ ધર્મપરાયણ અને ઉદારચિરત છે. ૨૦૪૦માં પાલિતાણામાં ચાતુર્માસ. એ વખતે ઉપધાનમાં પહેલી માળનો આ પરિવારે લાભ લીધો. ઉપધાન-અઠ્ઠાઈ વગેરે આ દંપતીએ ખૂબ જ ભાવથી કર્યાં. વર્ષો પહેલાં હસ્તગિરિમાં એક પ્રતિમાજીની પ્રતિષ્ઠાનો પણ આ પરિવારે લાભ લીધો. શેઠશ્રી છોટાલાલભાઈ એમની પાછલી અવસ્થામાં વ્રત, જપ, તપ અને જિનશાસનની ધર્મમય જે કાંઈ પ્રવૃત્તિ થાય તેમાં વ્યસ્ત બની આનંદમંગલથી વિશાળ પરિવારને માર્ગદર્શન આપી રહ્યા છે. આવા શ્રેષ્ઠીઓ આપણી વંદનાના અધિકારી બને છે. સમાજસેવામાં યશસ્વી પ્રદાન પ્રવીણચંદ્ર ફૂલચંદ શાહ સૌરાષ્ટ્રના કાશ્મીર ગણાતા મધુમતી–મહુવા નગરીના મૂળ વતની પ્રવીણચંદ્રનો જન્મ સં. ૧૯૭૭ના અષાઢ સુદ ૮ ને મંગળવાર, તા. ૧૭-૨-૧૯૨૧ના રોજ મોસાળ તળાજામાં થયો. પિતા શ્રી ફૂલચંદ ખુશાલચંદ મહુવાના એક અગ્રગણ્ય, પ્રતિષ્ઠિત, પ્રતિભાશાળી વ્યક્તિ હતા, જેઓ પંદર વર્ષની વયે આજથી લગભગ ૧૨૫ વર્ષ પૂર્વે મુંબઈ આવનાર ઘોઘારી વિશાશ્રીમાળી જૈન જ્ઞાતિની ગણીગાંઠી વ્યક્તિઓ પૈકી એક હતા. તેઓ અત્યંત સેવાભાવી અને પરગજુ હતા, એટલે તત્કાળે મુંબઈ નોકરી-ધંધાર્થે આવતા જ્ઞાતિના અનેક યુવાનોને નોકરી યા વ્યવસાય શોધી આપી લાઇને ચડાવતા. આમ તેઓ માત્ર મહુવા પૂરતા જ આગેવાન ન રહેતાં, મુંબઈની સમસ્ત ઘોઘારી જૈન જ્ઞાતિના સમ્માનનીય રાહબર આગેવાન બન્યા હતા. તેઓ અત્યંત નીડર, સ્પષ્ટવક્તા અને દીર્ઘદ્રષ્ટા હતા. તેઓનું અત્યંત પ્રભાવશાળી અને Awi inspacing વ્યક્તિત્વ હતું. પ્રવીણચંદ્રભાઈનાં માતુશ્રી વિજ્યાબહેને પણ પતિનો Jain Education International ૮૫૩ સેવાપરાયણ વારસો અખંડ જાળવી રાખ્યો હતો. અંતકાળ સુધી તેઓ શ્રી વાસુપૂજ્ય જૈન મહિલામંડળ-માટુંગાનાં પ્રમુખ હતાં. તેમના ભાઈઓ પૈકીના ભાઈશ્રી ધીરજલાલભાઈ, અહીં ખૂબ જ પ્રતિષ્ઠિત એવા જૈન સોશ્યલ ગ્રુપ ફાઉન્ડેશનના ટ્રસ્ટીમંત્રી તરીકે ફાઉન્ડેશન સંચાલિત, અનેકવિધ–વ્યવસાયલક્ષી, શિક્ષણલક્ષી તેમજ મેડિકલલક્ષી સાધર્મિક ઉત્કર્ષ યોજનાઓનું સ્વતંત્રપણે સંચાલન કરી રહ્યા છે. આ યોજનાઓ અંતર્ગત તેઓ સાતસોથી અધિક વ્યક્તિઓને લગભગ સવા કરોડ જેટલી લોન–સહાય આપી ચૂક્યા છે. તેમજ આત્મજ્ઞાની પરમશ્રુત, અપૂર્વસાધક–વેદક, શ્રીપા ઉપદેશના અજોડ પ્રખર પુરસ્કર્તા, વૈરાગ્યવાણીના સ્વામી એવા પરમપૂજ્ય સદ્ગુરુ શ્રી રાકેશભાઈ ઝવેરી સ્થાપિત ‘શ્રીમદ્ રાજચંદ્ર અધ્યાત્મ સત્સંગ સાધના કેન્દ્ર’મુંબઈના ટ્રસ્ટી તરીકે તેની અનેકવિધ પ્રવૃત્તિઓમાં સક્રિય યોગદાન આપી રહ્યા છે. શ્રી પ્રવીણભાઈની કારકિર્દી બહુ નાની વયે પ્રારંભાઈ છે. ૨૭ વર્ષની વયે ૧૯૪૮માં પોતાનો સ્વતંત્ર વ્યવસાય મેસર્સ શાહ પટેલ એન્ડ કંપની નામે શરૂ કરી ઉત્તરોત્તર પ્રગતિ સાધી અને વ્યવસાયમાં એક અગ્રગણ્ય વેપારી તરીકેની નામના-આદર મેળવ્યાં. કોઈના માટે કંઈ પણ કરી છૂટવાની ઉદાત્ત ભાવના ધરાવતા શ્રી પ્રવીણભાઈનાં ધર્મપત્ની શ્રીમતી વેણીલક્ષ્મીબહેને પણ સ્વજનો તેમજ સાધર્મિકો પ્રત્યે લાગણી-પ્રેમ-વાત્સલ્ય ને સમર્પણભાવથી કુટુંબ તેમજ સમાજમાં સુવાસ ફેલાવી આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. દામ્પત્યજીવનની ફળશ્રુતિરૂપે તેમને ત્રણ સુપુત્રો અને એક સુપુત્રીની પ્રાપ્તિ થઈ છે. કેળવણીના પ્રખર હિમાયતી એવા પ્રવીણભાઈએ ત્રણેય પુત્રોને ઉચ્ચઅભ્યાસ માટે અમેરિકા મોકલી શિક્ષણ પ્રાપ્ત કરાવ્યું છે. તેમના મોટા પુત્ર ચિ. કિરીટભાઈએ સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગમાં Masters ડિગ્રી મેળવી છે. લગ્ન પછી તેઓ ત્યાં જ અમેરિકા LOS ANGELESમાં સેટલ થયા છે અને પોતાનો LINEN n' STUFFના નામે સ્વતંત્ર બિઝનેસ ધરાવે છે. શ્રી પ્રવીણભાઈએ આંતરરાષ્ટ્રીય વ્યાપારક્ષેત્રે પણ પદાર્પણ કર્યું છે. તેઓએ ઓઇલ-ગેસ, પેટ્રોપ્રોડક્ટ્સ માટેની પાઇપલાઇન પ્રોડક્ટસના ઇમ્પોર્ટ-એક્સપોર્ટ ક્ષેત્રે સારી નામના મેળવી છે, ઉપરાંત તેમના બીજા પુત્ર ચિ. નરેશભાઈ ડાયમંડનાં આભૂષણો બનાવવાની ફેક્ટરીનું સંચાલન કરી રહ્યા છે અને ત્રીજા પુત્ર ચિ. ગૌતમ કન્સ્ટ્રક્શન ક્ષેત્રે બિલ્ડર્સના એક જૂથના ડિરેક્ટર તરીકે સક્રિય સેવા આપી રહ્યા છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy