________________
૮૫૨
ધન્ય ધરાઃ
અને છેલ્લાં ૧૫ વર્ષની અથાગ મહેનતને કારણે આ બન્ને હોસ્પિટલ માટે તેઓ જાહેર ફાળો એકત્ર કરી શક્યા છે. તેમણે ત્રીજી હોસ્પિટલ ન્યુરોલોજી અને ઓર્થોપેડિક્સ સાથેનું ટ્રોમાં સેન્ટર દર્શન જોયું હતું, જેનું બાંધકામ ચાલુ છે. શ્રી જે. આર. શાહનું ૪-૧૨-૨૦૦૧ના રોજ નિધન થયું. તેમના દેહવિલયનાં પાંચ વર્ષ પછી તેમનાં કુટુંબીજનો જ નહીં પરંતુ અસંખ્ય લોકો કે જેમને તેણે તેમના જીવનકાળ દરમ્યાન મદદ કરી હતી તેઓ તેમને યાદ કરે છે.
સારા કામમાં સામે ચાલીને સહભાગી થવાની ઉદારતા તથા સમાજના અન્ય આગેવાનો પાસેથી ધર્મનાં; સમાજ કલ્યાણનાં તેમ જ શિક્ષણનાં કાર્યોમાં માતબર ફાળો મેળવી આપવાની તેમની કાર્યકુશળતા ખૂબ જ વિરલ છે. તેમની આવી વિશિષ્ટ શક્તિને લીધે અનેક સંસ્થાઓ પગભર બની છે અને પોતાનું સેવાકાર્ય સારી રીતે આગળ ધપાવી રહી છે.
મિલનસાર અને સરળ સ્વભાવ, પરગજુ વૃત્તિ, ધર્મપરાયણતા, વિનમ્રતા અને વિવેકશીલતા જેવા સગુણોને જીવનમાં કેળવી જાણીને તેઓએ પોતાના કુટુંબના સંસ્કારવારસાને ખૂબ શોભાવી જાણ્યો છે. આવી અનન્ય ભાવના, ઉદારતા અને સેવાપરાયણતાના કારણે તેમના વ્યક્તિત્વની સુવાસ સર્વત્ર પ્રસરી રહી છે.
શ્રી જગજીવન માવજીભાઈ કપાસી
સૌરાષ્ટ્રની ધન્યધરાના ચૂડા જેવા નાનકડા ગામના સ્વ. જગજીવનદાસ માવજીભાઈ કપાસી ઐતિહાસિક નવલકથાઓના લેખક હતા.
લેખકે વીર શિરોમણિ વસ્તુપાળ ત્રણ ભાગમાં વસ્તુપાળતેજપાળ તથા નારીરત્ના અનુપમાદેવીનાં સુંદર કાર્યોનું જે સુંદર આલેખન કર્યું છે તે આજની પેઢીને વાંચી તેવી સંસ્કૃતિ તરફ વાળવાનું છે.
હાલના ટી.વી. યુગના સમયમાં તેમનાં કાર્યોનું અનુકરણ કરી દરેક ક્ષેત્રે આગળ આવવું જોઈએ. તેમના સ્વ. પુત્ર જશુભાઈએ શ્રી નવકાર સાધના પુસ્તક (સચિત્ર) અધિક જહેમતથી પ્રગટ કરેલ, જે પૂ. સાધુ-ભગવંતો અને સૌને માટે પ્રશંસનીય બનેલ. તેમના સુપુત્ર શ્રી વિનુભાઈ લંડનમાં અનેક પ્રવૃત્તિ કરી રહ્યા છે તે સૌને સુવિદિત હશે.'
તેમના સુપુત્ર શ્રી નગીનભાઈ વડોદરા રહે છે અને તાજેતરમાં તેમણે “જનની’ બુકલેટ અને ‘પ્રેરણા પુસ્તિકા પ્રગટ
કરેલ છે. શ્રી નગીનભાઈના પુત્ર શ્રી જીતુભાઈની પુત્રી કુ. મોનાએ તાજેતરમાં “સ્ત્રી ભૃણ હત્યા સમાજનો સળગતો પ્રશ્ન અને તેનો ઉકેલ' સંબંધી નિબંધ લખેલ અને પ્રમાણપત્ર મેળવેલ.
આ રીતે તેમનું ધાર્મિક કુટુંબ ધર્મસાહિત્યમાં આગવું શક્ય તમામ કાર્ય કરી રહેલ છે. એક જૈનેતર શ્રી નંદલાલભાઈ દેવલુક ધાર્મિક સાહિત્ય પીરસી શાસનની શોભા વધારી રહ્યા છે તેમને ખૂબ ખૂબ શુભેચ્છા. સર્વદા સૌ સુખી થાવ તેવી ઉત્તમ ભાવના સાથે.
વડોદરા. શ્રી છોટાલાલ મણિલાલ શેઠ
શ્રી છોટાલાલ અને તેમનું કુટુંબ જિનશાસને પ્રબોધેલા રંગે રંગાયેલું છે. સાવરકુંડલાના વતની શ્રી છોટાલાલ મણિલાલ બેચરદાસ મુંબઈમાં કાપડ લાઇનમાં ખૂબ જ યશકીર્તિ પામેલા આગેવાન વેપારી છે. ધંધાના પ્રભાવજનક વિકાસની સાથે ધર્મક્ષેત્રે એમનું અને એમના પરિવારનું ઘણું મોટું પ્રદાન છે. સાવરકુંડલા દેરાસરના વહીવટમાં પણ એમનું માર્ગદર્શન રહ્યું. દોઢસો વર્ષ પહેલાં મોતીશા ટૂંકમાંથી ધર્મનાથ સ્વામીની પ્રતિમા લઈ આવ્યા ત્યારે એ વખતની પ્રતિષ્ઠા વખતે શરૂથી અંત સુધી આ શેઠ કુટુંબ મોખરે હતું, જે ધર્મપ્રભાવનાની પરમ્પરા આ પરિવારે આજ સુધી જાળવી રાખે છે. સં. ૨૦૦૨માં શ્રી મણિલાલભાઈના સ્વર્ગવાસ પછી વહીવટ શ્રી માનચંદભાઈએ કર્યો અને તે પછી શ્રી છોટાલાલભાઈ ધર્મ-આરાધનાનાં કાર્યોમાં રાહબર બની રહ્યા. ભારતના દક્ષિણ સિવાયના મોટાભાગનાં જૈનતીર્થોની યાત્રાએ સહકુટુંબ જઈ આવ્યા છે. શાન્તિસ્નાત્ર, ચાતુર્માસ, ઉપધાનતપ, અને કુટુંબમાં વર્ધમાનતપની ઓળી જેવાં વ્રતો થયેલાં છે. એમની સાધર્મિક ભક્તિ હંમેશાં આજ સુધી ચાલી રહી છે, જે એમની ધર્મનિષ્ઠાની પ્રતીતિ કરાવે છે. શ્રી છોટુકાકાના નામે સૌરાષ્ટ્રમાં તેમજ મુંબઈમાં તેઓ જાણીતા છે. પાંચ પુત્રોનો પરિવાર છે. સંયુક્ત કુટુંબમાં આનંદકિલ્લોલથી સૌ સાથે રહે છે. સૌરાષ્ટ્રના જૈન સમાજના જે અગ્રગણ્ય જૈન શ્રેષ્ઠીઓ ગણાવાયા છે તેમાં શ્રી છોટાલાલભાઈની પ્રથમ હરોળમાં ગણના થાય છે. સાધુ-સાધ્વીઓની શુશ્રુષા-વૈયાવચ્ચ સુંદર રીતે કરવામાં આ પરિવાર મોખરે રહ્યો છે.
શ્રી છોટાલાલભાઈની ઉચ્ચતમ ભાવના અને મિલનસાર સ્વભાવને કારણે બહોળા જનસમૂહમાં સૌના પ્રીતિપાત્ર બની રહ્યા છે. દિલની અમીરાતવાળા શ્રી છોટાલાલભાઈએ ઉત્તરોત્તર વિકાસ અને પ્રગતિ સાધી તેમાં તેના સગુણોએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. સમ્પત્તિના પોતે ટ્રસ્ટી છે, એમ માનીને જ્યાં-જ્યાં
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org