________________
શાશ્વત સૌરભ ભાગ-૧
કેળવણી મંડળના એમના વહીવટ દરમિયાન બંધાવેલ ભવન આજે પણ સૌરાષ્ટ્રનાં બાળમંદિરોનાં ભવનમાં શ્રેષ્ઠ અને દાખલારૂપ છે, ૧૯૬૫માં આફ્રિકાથી આવેલ ડૉ. મનસુખભાઈ સાથે ચક્ષુ-બેંકનું નિર્માણ કર્યું.
એ દરમિયાન જ એમના જીવનનું મહત્ત્વનું પાસું-ધાર્મિક સેવાપ્રવૃત્તિ ઉદય થઈ ચૂકી હતી. એમના અણુ-અણુમાં શ્રી સંઘની સેવાની ધગશ વ્યાપી રહી હતી. જીવદયા, સાધુસાધ્વીની વૈયાવચ્ચ, શુશ્રુષા અનેક મુમુક્ષુઓની દીક્ષા, સાધુસાધ્વીઓના જોગ-પદવી પ્રદાન ઉપરાંત અનેક જિનાલયોના જીર્ણોદ્ધાર, નૂતન જિન-મંદિરોનાં નિર્માણ, ઉપાશ્રયનાં નિર્માણ તથા આયંબિલ ભવન, પાઠશાળા, જ્ઞાનભંડાર વગેરે ભવનનાં નિર્માણ એમની સૂક્ષ્મ સૂઝ-બૂઝની પ્રતીતિ કરાવે છે. સુરેન્દ્રનગર સંઘમાં એમની રાહબરી હેઠળ અનેક મોટી તપશ્ચર્યાઓ થઈ, જેવી કે વરસીતપ, ઉપધાન તપ, આયંબિલની ઓળીઓ, માસ– ક્ષમણ, સોળભત્તા અઠ્ઠાઈ, અઠ્ઠમ ઉપરાંત વિધવિધ પ્રકારની તપશ્ચર્યાઓ કરાવી જૈન શાસનનું નામ હંમેશાં અગ્રેસર રાખ્યું. શ્રી સિદ્ધાચલ તેમજ શ્રી શંખેશ્વર તીર્થના છ'રી પાળતા સંઘ કઢાવ્યા. શત્રુંજય ગિરિરાજની ફાગણ સુદ ૧૩ની છ ગાઉની યાત્રા ૩૫ વર્ષ સુધી અવિરત પ્રમાણે કરાવી. વર્ષો પહેલાં યાત્રિકોને સિદ્ધવડથી પાલિતાણા આવવા તકલીફ પડતી એ માટે એમના પ્રયત્નથી હવે આ યાત્રા આતપરમાં પૂરી થાય છે. ત્યાંથી પાલિતાણા આવવા બસની વ્યવસ્થા કરાવી. વર્ષો સુધી યાત્રા કરી આવતાં યાત્રિકોની દહીં, દૂધ, ચા-પૂરી, ઢેબરાં વગેરેથી ભક્તિ કરતાં. છ-ગાઉની યાત્રા દરમિયાન દિવસો સુધી તેઓ પાલિતાણા રહેતા. સિદ્ધગિરિ પ્રત્યે એમનો ગહન-ભક્તિભાવ આમ પ્રદર્શિત કરતા.
એમના ૫૦-૫૦ વર્ષના સંઘસેવક તરીકેના દીર્ઘકાળ દરમિયાન તેઓ સંઘના ઉત્કર્ષનું નિમિત્ત બન્યા. ઉત્તરોત્તર વૃદ્ધિ પામતો સુરેન્દ્રનગર શ્વે. જૈન સંઘ આજે ૧૪૦૦ ઘરનો ઘેઘૂર વડલો બન્યો એમાં શ્રી બાપાલાલભાઈનો વિશદ ફાળો છે. એક નાનકડા દેરાસરમાંથી એમણે ૨૪ જિનાલય નિર્માણ કરાવ્યું તથા દેરાસર સંકુલમાં અનેક ભવનોનાં નિર્માણ કરાવ્યાં. સંવત ૨૦૧૫માં સિદ્ધાંત મહોદધિ આચાર્ય પૂ. શ્રી પ્રેમસૂરીશ્વરજીના ચાતુર્માસ દરમિયાન આચાર્યશ્રીએ એમની પ્રશંસા કરતાં કહ્યું હતું કે સંઘનો વહીવટ આવો હોવો જોઈએ. એજ વર્ષમાં સાધુસાધ્વીઓના વૈયાવચ્ચનો એક યાદગાર પ્રસંગ ઉલ્લેખનીય છે. પૂ. આચાર્યશ્રીના શિષ્ય પૂજ્ય શ્રી પદ્મવિજય મહારાજનું કેન્સરના દર્દનું સફળ ઓપરશન કરાવ્યું અને મહારાજશ્રી પૂર્ણ
Jain Education International
રીતે સ્વસ્થ થઈને ઘણાં વર્ષો સુધી વિચરતા રહ્યા. સુરેન્દ્રનગરના જ્ઞાનભંડારના સંગ્રહમાં વર્ષો વર્ષ અમૂલ્ય ગ્રંથોનો વધારો થતાં આ જ્ઞાનભંડાર શ્રી સંઘના શણગારરૂપ બન્યો. અનેક લહિયાઓને ત્યાં બેસાડી સુવર્ણાક્ષરે હસ્તલિખિત તાડપત્ર-ગ્રંથો લખાવ્યા. આજે આ સંગ્રહ અમૂલ્ય બન્યો છે. આ ઉપરાંત આચાર્ય શ્રી દેવેન્દ્રસાગર સૂરીશ્વરજીની નિશ્રામાં ઉપધાન તપ દરમિયાન ૪૫ આગમોના કળામય છોડનું નિર્માણ કરાવી ભવ્ય ઉજમણું કરાવ્યું. શ્રી શંખેશ્વર તીર્થમાં ભવ્ય આગમ મંદિરના નિર્માણમાં તામ્રપતૢ એમણે જાતે પસંદ કરી એના પર સૂત્રોનું કોતર કામ કરાવ્યું એ વિશિષ્ઠ કાર્ય ત્યાં સદાકાળ મોજૂદ રહેશે.
મંદિરોનાં નિર્માણ દરમિયાન જાતે વારંવાર રાજસ્થાન જઈને ઉત્તમ આરસની પરખ કરતા. મૂર્તિ-વિધાનમાં પણ એમનાં જ્ઞાન અને સૂઝ વિશિષ્ઠ હતાં. અનેક મુનિ–મહારાજો સાથે આ માટેના સલાહકાર બનતા.
એમના સેવા–જીવનનો ઉત્કૃષ્ટ પ્રસંગ અને શ્રી વાસુપૂજ્ય સ્વામી જિન–પ્રાસાદનો શતાબ્દીમહોત્સવ, આ પ્રસંગ ૫.પૂ. આચાર્યશ્રી ચંદ્રોદય સૂરીશ્વરજી, પ.પૂ. આચાર્યશ્રી અશોકચંદ્રસૂરીશ્વરજી તથા પન્યાસપ્રવર પૂ. દાનવિજયજીની નિશ્રામાં ઊજવ્યો. આ પ્રસંગને ખૂબ જ ઓપ આપવા એમણે વર્ષો અગાઉથી પ્રવૃત્તિ શરૂ કરી હતી. આ પ્રસંગ દરમિયાન હજારો–ભાવિકોને એમણે સુરેન્દ્રનગર આમંત્ર્યા હતા અને લાખ્ખો જૈન-જૈનેતરની હાજરીમાં આ શતાબ્દીમહોત્સવ દબદબાપૂર્વક ઊજવાયો હતો. આ પ્રસંગમાં પણ સખાવત કરવામાં પોતે પ્રથમ હતા. રૂપિયા એક લાખનું ઉદાર દાન આપી પોતે આ મહોત્સવના નિમંત્રક બન્યા હતા. આ પ્રસંગ એમના જીવનનો આ શિરમોર પ્રસંગ બની રહ્યો. તા. ૨૬-૯-૯૪ના રોજ રાત્રે ૯-૧૫ કલાકે નવકારમંત્રનું શ્રવણ-રટણ કરતાં એમણે નશ્વર દેહ છોડ્યો.
સ્વ. શ્રી મણિલાલ નરસીદાસ દોશી,
૮૫૫
આણંદ
જન્મ : ૨૭-૨-૧૮૯૭. દેહત્યાગ : ૨-૬-૧૯૭૩.
“આત્માનો સંબંધ શરીર સાથે છે નહીં, હોવો જોઈએ પણ નહીં, હું પણ મારી સ્થિતિ એ રીતે
For Private & Personal Use Only
www.jainelibrary.org