________________
શાશ્વત સૌરભ ભાગ-૧
૮૧૯
દૂદમલજી સરતાનમલજી બાલર (સરત)
કાર્યસિદ્ધિ માટે સતત ઝૂઝનારા અને સાર્થકતાનાં મોતી શોધી લાવનાર એવા એક તેજોમય વ્યક્તિત્વના સ્વામી છે દૂધમલજી સરતાનમલજી બાલર, જેઓ રાજસ્થાનના મરુ પ્રદેશના સરતના મૂળવતની અને જેમણે લગભગ સાઠ વર્ષ પહેલાં બેંગ્લોર આવી પરિવારના આર્થિક ઉપાર્જન માટે સાડીઓનો વ્યવસાય શરૂ કર્યો. પોતાની દઢ ઇચ્છાશક્તિ અને મહેનતના પરિણામે પોતાના વ્યવસાયમાં નિરંતર પ્રગતિ સાધતાં તેમણે આજે પોતાના વ્યવસાયને એવા ઉચ્ચસ્તરે લઈ જવામાં સફળતા મેળવી છે કે જેનો જવાબ નહીં.
એમના પરિવાર પર શ્રી લક્ષ્મીદેવીની અસીમ કૃપા છે. જ્યારે લક્ષ્મી આવે છે અને તેનો સદુપયોગ થાય છે ત્યારે તે ત્યાં જ સ્થિર થઈ જાય છે. લક્ષ્મીની ચંચળતા અંગે વિચારતાં એમણે લક્ષ્મીનો સારાં કાર્યોમાં ઉપયોગ કરવાનું શરૂ કર્યું. એમણે પોતાનાં સહધર્મચારિણી ડાયીદેવીની પ્રેરણાથી બેંગ્લોર પાસે હોસુરમાં સ્વદ્રવ્યથી શ્રી અજિતનાથ જૈન મંદિર સહ ધર્મશાળા અને આરાધનાગૃહનું નિર્માણ કરાવ્યું. એમણે પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી ભુવનભાનુ સૂરીશ્વરજીની પાવન નિશ્રામાં કુંભોજગિરિથી બેંગ્લોરના છરીપાલિત સંઘમાં સામુહિક આયોજકનો લાભ લીધો. એમના પરિવારે બેંગ્લોરની શાન ભગવાન મહાવીર હોસ્પિટલના ઓ.પી.ડી. વિભાગના નામકરણનો લાભ લીધો. એમણે પોતાના સ્વદ્રવ્યથી સિદ્ધિતપના તપસ્વીઓને પારણાં કરાવી એમને કુલપાકજી, ભાંડુકજી અને ઉવસગર તીર્થ વગેરેની યાત્રા કરાવી. એમણે દેવનહલ્લીમાં દેવલી બનાવડાવવાનો લાભ લીધો. તેઓ પોતાની લોકપ્રિયતાના કારણે ૧૨ મંદિરોના ટ્રસ્ટી બની ચૂક્યા છે. તેઓ બેંગ્લોરના અક્કીપેટ મંદિરજીમાં ત્રણ વર્ષ સુધી માનદ્ સચિવપદે પોતાની સેવા આપી ચૂક્યા છે. તેમનાં પત્ની એક ધર્મપરાયણ મહિલા છે. જેમની પ્રેરણાથી તેઓ નિરંતર ધર્મકાર્યોમાં હંમેશાં અગ્રણી રહ્યા છે. એમને શાસનદીપક શ્રી સુરેન્દ્રભાઈ ગુરુજીનું અનન્ય સમર્થન પ્રાપ્ત છે. પરમ પિતા પરમાત્મા આવા ધર્મવીરને શતાયુ બનાવે, જેથી ધર્મકાર્યોમાં નિરંતર અગ્રેસર રહીને જિનશાસનની અનુપમ સેવા કરી શકે એ જ મંગલકામના સહ.
સંઘવી ચંપાલાલજી સુમેરમલજી સિંધી
- (ચેલાવાસ) ધ્યાનથી જીવનને ઊર્જા મળે છે અને સાધનાથી સંકલ્પશક્તિ દૃઢ થાય છે. આવી દઢ સંકલ્પશક્તિના સ્વામી બેંગ્લોરનું એક એવું પ્રભાવશાળી વ્યક્તિત્વ સંઘવી ચંપાલાલજી છે, જેઓ રાજસ્થાનના ચેલાવાસના નિવાસી છે. સંઘવી નામ જ એવું તે સાંભળીને જ સમજી જવાય છે. કે એમના પરિવારે સંઘ કાઢીને પોતાના સ્વધર્મી ભાઈઓને પ્રભુભક્તિ કરાવી હશે. તેઓ મિલનસાર વ્યક્તિત્વના માલિક છે. ઉંમરના ઊંચા પડાવે પહોંચીને પણ તેમનું બાલસુલભ સ્મિત એમના વ્યક્તિત્વની સૌમ્યતાનું પરિચાયક છે.
એમણે પોતાના ધર્મક્ષેત્રને બેંગ્લોરથી ચેલાવાસ સુધી વિસ્તાર્યું છે. તેમણે પોતાના નાનકડા ગામમાં શ્રી નેમિનાથ જૈન મંદિરના નિર્માણ અને ઐતિહાસિક પ્રતિષ્ઠાનો સારો લાભ લીધો. એમના પરિવારે પાલિતાણામાં નવ્વાણું યાત્રા કરાવી. એમના પરિવારે સમેતશિખરજી, ગિરિરાજ શત્રુંજય, કચ્છ મહેશ્વરનો રેલગાડીમાં સંઘ કાઢ્યો હતો. એમના પરિવારે શાંતિસૂરીશ્વરજી મંદિરજીમાં શાંતિસૂરિજીને બિરાજમાન કરવાનો લાભ પણ લીધો હતો. તેઓ અનેક જગ્યાએ ટ્રસ્ટી તરીકે સેવા પ્રદાન કરી રહ્યા છે. એમનાં આવાં મહાન કાર્યોમાં એમના પુત્રો સહિત સમગ્ર પરિવાર સાથ આપે છે. પાલિતાણાની ઓમ શાંતિ ધર્મશાળામાં પણ એમના પરિવારે યથેષ્ટ લાભ લીધો છે. એમણે શ્રી સંભવનાથ જૈનમંદિર, દાદાવાડીમાં જીવંત મહોત્સવ સાથે મહાપૂજાના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરીને જિનશાસન પ્રત્યે સાચી શ્રદ્ધા અર્પિત કરી છે. પરમાત્મા એમને દીર્ધાયુ બનાવે એવી મંગલકામના સાથે......
શ્રી વસંતભાઈ ઓટમલજી વેદમથા
રાજસ્થાની ધન્યધરા જાલોર જિલ્લાના રેવતડા ગામની પાવન ધરતકી પર વસંતભાઈનો જન્મ થયો. માબાપ અને દાદા-દાદીના ધાર્મિક અને નિર્મળ વ્યવહારથી જીવનમાં દેવગુરુ-ધર્મનો સમાગમ થયો.
જ્યારે પ્રથમ તપોનિધિ આચાર્યશ્રી ભુવનસૂરીશ્વરજી તથા
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org