________________
૮૧૮
બેન્ક, વિકલાંગ સહાય, ન્યૂરોથેરપિ વગેરે સાથે અનેક કાર્યોમાં તેઓ સક્રિય રીતે સંકળાયેલા છે.
ગ્રામીણ વિદ્યાર્થી યુવકો માટે નિઃશુલ્ક છાત્રાલયનો પ્રારંભ કર્યો, જેમાં રહેવા-જમવા, વાંચવા–રમવાની સુવિધા છે. તદુપરાંત તેઓ સાચા ગૌપ્રેમી છે. ગૌવધ–વિરોધના સમર્થનમાં તેઓ સહી–ઝુંબેશ ચલાવે છે. એક આદર્શ સ્વયંસેવક તરીકે જાણીતા છે. ‘વિવિધ ભાષા વૈજ્ઞાનિક'ના બિરુદ દ્વારા તેઓ સમ્માનિત થયા છે. આમ આ ઉંમરે પણ તેઓ વિવિધ પ્રવૃત્તિઓમાં સતત નિમગ્ન રહે છે.
દાનવીર : સેવાભાવી
શ્રી પ્રવીણભાઈ લાલભાઈ શાહ–બેંગ્લોર ગુજરાતનું મુખ્ય શહેર અમદાવાદ ખાતે તા. ૨૭-૪૧૯૪૨ના શુભદિવસે પ્રવીણભાઈનો જન્મ થયેલ. નાનપણથી હોંશિયાર મહેનતું હોવાથી તેઓનો અભ્યાસ સુંદર હોવાથી શૈક્ષણિક ક્ષેત્રે તેઓ B.A., B. Com., M.Com. જેવી પરીક્ષા આપી ઉત્તીર્ણ થઈ શૈક્ષણિક લાયકાત પ્રાપ્ત કરી હતી.
તેઓશ્રી સને ૧૯૬૮માં બેંગ્લોર ખાતે આવેલ અને તેમની પોતાની પ્રવીણતા અને બુદ્ધિ સાથે કુનેહપૂર્વક સને ૧૯૭૦માં ધંધામાં જોડાયા અને ત્યારપછી સને ૧૯૭૮માં પોતાના સ્વતંત્ર ધંધાની શુભ શરૂઆત શ્રી પ્રવીણ મેટલ એન્ડ એલોયલ નામની પેઢી દ્વારા ધંધો ચાલુ કર્યો. સમયની રફતારની માફક પ્રગતિના સોપાન સર કરવા લાગ્યા તેમ તેમ દરેક સંસ્થાઓમાં પોતાની સુવાસ ચારેબાજુ ફેલાવા લાગી.
તેઓશ્રી શ્રી ગુજરાત સેવા મંડળ (રજી)માં કારોભારી કમીટી સભ્ય તરીકે ઉમદાપૂર્વક સેવા આપી પોતાનું નામ ગુંજતું કરેલ. તેનામાં એક ખાસ વિશેષતા કે તેઓ જે કામ હાથમાં લે તે કદી પૂર્ણ ન થાય ત્યાં સુધી તે કાર્યમાં જોડાઈ રહેતાં. સંઘર્ષ સાથે પરિપૂર્ણ કરતાં સને ૧૯૮૦માં તેઓ ચીકપેટ ખાતે નિવાસસ્થાને રહેતા. તે મંદિરથી નજીક હોવાથી તેઓ શ્રી મંદિરના કાર્યમાં સંપૂર્ણ સહયોગ આપતાં. તેઓ શ્રી મહાવીર સ્વામી જૈન શ્વે. મંદિર ચીકપેટ ખાતે કમીટી મેમ્બરમાં પોતાની યોગ્ય સેવા આપી રહ્યા છે.
Jain Education International
ધન્ય ધરા
સને ૧૯૮૫માં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન શ્વે. મંદિરરાજાજીનગર બેંગ્લોર ખાતે ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા હતા. તેઓશ્રીની કામ કરવાની ધગશ કુનેહપૂર્વક હોવાથી તેઓશ્રી આ મંદિરના મંત્રીપદનો હોદ્દો સુંદર રીતે સંભાળી રહ્યા છે.
સમાજના કોઈપણ કાર્યમાં તેમની હાજરી અવશ્ય રહેતી. મંદિર હોય કે પાઠશાળા કે પછી આરાધના ભવન ખાતે કોઈપણ સ્ટેજ પ્રોગ્રામ (કાર્યક્રમ) હોય તો અવશ્ય હાજરી આપી લોકોને કાર્યમાં જોડાવા પ્રેરણા આપી દરેકનું મન જીતી લઈ કાર્ય સરળ બનાવા પ્રયત્ન કરતાં. સંસ્થાનું કોઈપણ અઘરું કામ તે કુનેહપૂર્વક સંભાળી સામાન્ય કરી લેતાં. તેઓ લોક પ્રત્યે પ્રેમભર્યા વર્તનથી લોકચાહના મેળવી લઈ સાથે રહી કાર્યને દિપાવા બહુ જ મહેનત કરવાની એમનામાં આવડત છે.
તેઓ બેંગ્લોર ખાતે શ્રી ગુજરાતી અન્ય સંસ્થાઓ તેમ જ પ્રાદેશિક સંસ્થાઓ પોતાનું યોગ્ય દાનપ્રવાહ અને સેવાનો સુંદર યોગદાન આપી રહેલ.
⭑ શ્રી કર્ણાટકા મેટલ મરચન્ટ એસોસિએશન રજી. બેંગ્લોર પાંચ વર્ષ-ખજાનચી.
*
★
★
★
*
★
★
*
*
શ્રી ગણેશા હાઇસ્કૂલ-બેંગ્લોર બે વર્ષ-ખજાનચી.
શ્રી કર્ણાટકા મેટલ મરચન્ટ એસોસિએશન રજી, બેંગ્લોર પ્રમુખ તરીકે દોઢ વર્ષ સેવા આપી.
દાનપ્રવાહ આપેલ તેવી સંસ્થાઓ.
શ્રી સલોત જૈન આરાધના ભવનમાં મેઝેલેન્ડ ફ્લોરમાં નામકરણ કરી આદેશ લીધો.
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન મંદિર અંજનશલાકા પ્રતિષ્ઠા વખતે.
શ્રી ગોડીજી પાર્શ્વનાથ પરમાત્માની પ્રતિષ્ઠા કરેલ.
શ્રી પદ્માવતી દેવી મૂર્તિ ભરાવેલના આદેશ લીધેલ.
શ્રી દેરાસર પરના શિખર ઉપર સોનાના કળશનો આદેશ લીધેલ.
તેમ જ અન્ય આદેશો લીધા હતા.
ઇ.સ. ૧૯૬૬માં ગુજરાત અમદાવાદમાં રમખાણો ફાટી નીકળેલ તે સમયે શ્રીએ અપના બજારમાં સ્વયં સેવા આપી સમાજ સેવા કરેલ તે બદલ ગુજરાત રાજ્ય સરકાર તરફથી બહુમાન સાથે સર્ટીફિકેટ પ્રાપ્ત થયું હતું. --સંકલન : પ્રવીણભાઈ એમ. શાહ ઉણ, બેંગ્લોર.
For Private & Personal Use Only
www.jainelibrary.org