SearchBrowseAboutContactDonate
Page Preview
Page 840
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨૦ ધન્ય ધરાઃ શિષ્ય ગુણસુંદરવિજયજીની પ્રેરણાથી એક સંસ્થા “બેંગ્લોર જૈન સેવા મંડળની રચના થઈ અને સચિવ તરીકે એમને નિયુક્ત કરવામાં આવ્યા. એ વખતે બેંગ્લોરમાં યાંત્રિક કતલખાનાનું કામ અટકાવવું એ મુખ્ય ઉદ્દેશ હતો. આ ભયંકર યોજનાને રોકવા માટે બેંગ્લોરના અન્ય સંઘ-સંસ્થાઓનો સહયોગ મેળવી લગભગ પચાસ હજાર લોકોની ભવ્ય રેલી, સત્યાગ્રહ, જેલભરો ધરણાં વગેરે અનેક કાર્યવાહીના પરિણામે દેવ-ગુરુ-ધર્મની કૃપાથી દરરોજ દસેક હજાર અબોલ પ્રાણીને કતલ કરવાની યોજનાને રોકવી પડી. પછી મીડ ડે મિલ રૂપે અંડે આપવાની યોજનાઓના વિરોધમાં સભા-સરઘસ વગેરે કરતાં કરતાં એના બદલે બે કેળાં આપવાનો પ્રસ્તાવ રખાયો. આચાર્યશ્રી પાસાગરસૂરિ, જયંતસેન સૂરિ, કલાપૂર્ણસૂરિ, અરુણવિજયજી, જિનરત્નસાગરજી, નિત્યાનંદસૂરિ, મોક્ષરતિ વિજય વગેરે સાધુસંતોની નિકટ રહેવાથી ધીરે ધીરે બધી જગ્યાએ સંસ્કાર-શિબિરનું આયોજન થયું. જેમાં મુંબઈ, પુના, દાવણગેરે, હુબલી, બેલગામ વગેરે અને બેંગ્લોરની ધાર્મિક પાઠશાળાઓમાં જ્ઞાન-શિબિર, મહાવીર મંદિરજીમાં શિબિરોનાં આયોજના થતાં રહ્યાં. શ્રી કન્ટોન્ટમેન્ટ મંદિરજી અને મહાવીર મંદિરજીમાં પર્યુષણ પર્વમાં કલ્પસૂત્રવાચન છેલ્લાં છ વર્ષથી ચાલતું રહ્યું છે. ચિપેટ જૈન ધર્મશાળા અને ભોજનશાળામાં ટ્રસ્ટી તરીકે સુચારુ વ્યવસ્થા ચલાવી રહ્યા છે. શ્રી નયપાસાગરજીની પ્રેરણાથી શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક યુવક મહાસંઘમાં છેલ્લાં સાત વર્ષોથી ઉપાધ્યક્ષ તરીકે રાષ્ટ્રીય સ્તરે કામ કરી રહ્યા છે, જેની ૩૦થી વધારે શાખાઓ રાષ્ટ્રભરમાં છે. અરુણવિજયજીની પ્રેરણાથી બેંગ્લોરમાં શાકાહાર સંમેલન, જેમાં અને જૈન સમુદાયનાં દસ હજાર લોકો દ્વારા શાકાહારનો ભવ્ય પ્રચાર થયો. અરિહંત દેવની અસીમકૃપાથી ગૃહસ્થજીવન, પારિવારિક જીવન, શાકાહાર માનવજીવનનો માર્ગદર્શન, રાજેન્દ્રગુરુ જીવનપરિચય વગેરે પુસ્તકો પ્રકાશિત કરી પ્રચારનો લાભ લીધો. જીવનમાં સદાચાર, સરળતા, ગુરુ આજ્ઞા, દેવકૃપા, વડીલો પ્રત્યે આદર મુખ્ય ઉદ્દેશ્ય છે. ગુરુદેવ સ્થૂલિભદ્રસૂરિ, રાજયશસૂરિના શુભઆશિષથી અનેક ધાર્મિક સ્પર્ધાઓ, ક્વિઝ પ્રોગ્રામ કરવાનો મોકો મળ્યો. | મુખ્યત્વે સુરેન્દ્રગુરુજીનું માર્ગદર્શન સમયે સમયે સોનામાં સુગંધ જેવું કાર્ય કરતું રહ્યું. આજે બેંગ્લોર સમસ્તની ધાર્મિક પાઠશાળાઓની જાણકારી અને ઉન્નતિ માટે પણ શ્રી લબ્ધિસૂરિ જૈન ધાર્મિક શિક્ષણ ઉત્કર્ષ ટ્રસ્ટમાં સહસચિવ તરીકે કાર્યરત છે. મુખ્ય ઉદ્દેશ્ય-સ્વાધ્યક્ષ, શિક્ષણ, સંસ્કાર, પરોપકાર ભાવના સાથે પોતાના જીવન અર્પણ કરવાની તમન્ના સાથે ધર્મમય જીવન નૈયા ચાલી રહી છે.. – પ્રવીણ એમ. શાહ, ઉણ શ્રી અશોકભાઈ જશરાજજી સંઘવી દક્ષિણ ભારતમાં આવેલ કર્ણાટકા પ્રાંતમાં આવેલ ફૂલોની નગરી સાથે સાથે ટેમ્પલ સીટી બેંગ્લોરમાં રહેતા શ્રીયુત ધર્મપ્રેમી જશરાજજી ખુમાજી સંઘવીના ઘેર કસ્તુરબહેનની કુક્ષીએ તા. ૨૧૧૨-૧૯૫૦ના શુભદિને પુત્રનો જન્મ થયો. તે પુત્રરત્ન જન્મથી જ તેજસ્વી તારલાની જેમ ચમકતા સિતારા જેવા શ્રી અશોકભાઈ સંઘવી. સમયના ચક્ર મુજબ બાળવયમાં ધર્મના સંસ્કારનું સિંચનરૂપી ધાર્મિકજ્ઞાન માતાપિતા આપતા હતા. જેમ જેમ સૂર્યના કિરણોની અવસ્થા બદલી રૂપ બદલે છે તેમ બાલ્યવયમાંથી યુવાનવયમાં આવતાની સાથે તેઓ ધાર્મિક અભ્યાસ સાથે વ્યવહારિક અભ્યાસ હોંશિયાર અને નિપૂણ હોવાથી તેઓ B.Com. સુધી ભણી પદવી પ્રાપ્ત કરી. ત્યારબાદ સાંસારિક રીતે એમને વિમળાબહેન સાથે લગ્નગ્રંથિથી જોડાઈ ઘરસંસારની જવાબદારી આવી ત્યારે તેમના પિતાજીની પેઢીમાં કાપડના ધંધામાં જોડાયા અને ધંધા પ્રત્યેની લગની એકદમ સુંદર હોવાથી પ્રગતિના સોપાન સર કરવા લાગ્યા અને તેમની પ્રવીણતા શિખરે પહોંચતા તેમણે ક્રિકેટમાં ઝંપલાવ્યું તેઓ રોજ સવારે ક્રિકેટ રમવા જતાં ધીરે ધીરે મોટી ટીમમાં જોડાયા પછી રણજીત ટ્રોફીમાં પ્રવેશ મળ્યો. એક દિવસ તેમણે ફાસ્ટ બોલીંગ કરીને સૌથી વધારે વિકેટ લીધી ત્યારે તેમના કેપ્ટને સાથીદારોએ પુછ્યું કે તું Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy