________________
શાશ્વત સૌરભ ભાગ - ૧
જાકો રાખે સાંઈયા...
વાત નાની છે, પણ ક્યારેક જ બનતી જોવા મળે તેવી છે. કુદરત સ્વયં જેનું રખોપું કરે તેવું વ્યક્તિત્વ પૂજ્યશ્રીનું હતું. એક ઉર્દૂ શેર યાદ આવે છે :
“ફાનૂસ બન કે જિસકી હિફાજત હવા કરે। વો શમ્બ ક્યોં બુઝે જિસે રોશન ખૂદા કરે।।” કુદરત તેમને સાનુકૂળ થઈને રહેતી હતી તે દર્શાવતા અનેક પ્રસંગોમાંથી બે પ્રસંગો જોઈએ. તેઓ પોતાનું જીવન અન્યને માટે જીવતા હતા એ આ પ્રસંગો પરથી જણાઈ આવે છે.
વિ. સં. ૧૯૭૩નું ચોમાસું સાદડી (રાણકપુર-રાજસ્થાન)માં વિતાવ્યું. ચાતુર્માસ પછી, શિવગંજથી જેસલમેરનો છ'રી પાળતો સંઘ પૂજ્યશ્રીની નિશ્રામાં નીકળ્યો. નાકોડા તીર્થની આગળ તો બધો રણ-પ્રદેશ. નાનાં નાનાં ગામો રસ્તે આવતાં. વાસણા કરીને એક નાનું ગામ આવ્યું, ત્યાં સંઘનો મુકામ હતો. ગામમાંથી સંઘને આવકાર મળ્યો નહીં, એટલું જ નહીં, ગામવાળાંઓ કહેવા લાગ્યાં : “અહીં નહીં. બીજે જાઓ. તમે આટલા બધા અમારા ગામનું બે મહિનાનું પાણી એક જ બે દિવસમાં હડપ કરી જાઓ. પછી અમે પાણી વિના ટળવળતા થઈ જઈએ. ”
વાત પૂજ્યશ્રીના કાને આવી. તેમણે ગામલોકોને કહેવરાવ્યું : “ફિકર શા માટે કરો છે. તમે પાણી વિનાના નહીં રહો ”એમની આવી હૈયાધારણથી ગામલોકોને ધરપત થઈ. સંઘે ત્યાં પડાવ નાખ્યો. બધાં યાત્રિકો ઠરીને ઠામ થયા. બપોર સુધી તો આકાશ ચોખ્ખું અને કોરું હતું. વાદળનાં કોઈ નામ-નિશાન ન હતાં. એવામાં અચાનક ત્યાં વાદળ ચડી આવ્યા અને સારો એવો ચરસાદ પણ પડ્યો. ગામનું તળાવ ભરાઈ ગયું. ગામના લોકો દોડીને આવ્યાં અને કહેવા લાગ્યા :
Jain Education International
“બાપજીને કહો, જેટલું રહેવું હોય તેટલું અહીં રહે. ” એવો જ બીજો પ્રસંગ વિ. સં. ૧૯૮૯માં બન્યો.
૬૭
પૂજ્યશ્રી અમદાવાદ હતા ત્યારે આર્દ્રા નક્ષત્ર ચાલી રહ્યું હતું. આર્દ્રના છેલ્લા તેર દિવસ બાકી હતા. ચોમાસું બોટાદમાં નક્કી થયું હતું. બોટાદ જવા વિહારને રસ્તે, કોઠ-ગુંદી થઈને પૂજ્યશ્રી ફેદરા પધાર્યા. ફેદરાથી ખડોળ લાંબું થાય. ભાલનો પ્રદેશ સાવ વેરાન. સાંજે થોડો વિહાર કરી વચ્ચે સંથારો કરી, વળતે બીજે દિવસે ખડોળ પહોંચવું એમ નક્કી ઠરાવ્યું. જ્યાં
રાત્રિમુકામ કર્યો ત્યાં કોઈ ગામ-સીમ ન હતાં એટલે પાંચ પીપળા કહેવાય એવી જગ્યાએ તંબૂ-રાવટી નાખીને સ્થાન ઊભું કરાવ્યું. સાથે સાત ઠાણા હતા. આજુબાજુના ખેડૂતોએ આવીને કહ્યું કે “ઉનાળાની ગરમીના દિવસો છે એટલે વીંછીનો ઉપદ્રવ રહે છે.સંભાળજો. ”
કચ્છી મી ડી મી ડી મી
મહારાજ સાહેબે તંબૂ ફરતી પાળ કરાવી. સાધુઓને સૂચના કરી કે રાત્રે માત્રુ કરવા પણ આ પાળ ઓળંગવી નહીં. તે રાત્રે એક સાધુ મહારાજ પ્રમાદવશ બહાર ગયા, પાળ ઓળંગી ત્યાં જ વીંછીએ ડંખ દીધો. મહારાજ સાહેબે સહજ ઠપકો આપી, હળવેથી પ્રેમાળ હાથ ફેરવી વીંછીનો ડંખ ઉતાર્યો.
વહેલી સવારે હજુ તો ઘેરો અંધકાર હતો. થોડી વારે, હાથની રેખાઓ માંડ દેખાય એટલું અજવાળું થતાં વિહારની તૈયારી કરવા કહ્યું. સાથેના માણસો કહે, ૨ાત્રે વરસાદનું મોટું ઝાપટું આવ્યું જણાય છે. હજુ પણ ફર ફર ચાલુ છે. તંબૂ ફરતે પચાસ પચાસ ડગલાં દૂર વરસાદ અને તંબૂમાં પાણીનું એક પણ ટીપું નહીં ! તંબૂની અંદરનો ભાગ એકદમ કોરો કટ ! જોનારને આશ્ચર્ય થયું. કુદરત આ રીતે તેમનું રખોપું કરતી હતી.
For Private & Personal Use Only
www.jainelibrary.org