SearchBrowseAboutContactDonate
Page Preview
Page 775
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૧ o૫૫ જૈફ વયના સંગીતકાર શ્રી બાલકૃષ્ણ ચંપકલાલ નાયક વતન : પાટણ કર્મભૂમિ : અમદાવાદ. શ્રી બાલકૃષ્ણભાઈ જૈફ વયના સંગીતકાર છે. તેમના પિતાશ્રી ચંપકલાલ હવેલી સંગીત માટે જાણીતા હતા. તેમના પિતાશ્રી આકાશવાણી કલાકાર હતા. તેમને પિતાજી પાસેથી સંગીતકલા વારસામાં મળી છે. તેઓ અમદાવાદ ખાતે કાલુપુરમાં ભાતખંડે સંગીત વિદ્યાલય ચલાવતા હતા. યુ. કોર્પોરેશન સંચાલિત પ્રાથમિક શાળામાં સંગીતશિક્ષક તરીકે સેવા આપી નિવૃત્ત થયા છે. તેમના માર્ગદર્શન હેઠળ ઘણા સંગીતપ્રેમી યુવકોએ તાલીમ લીધી છે. સૂરીલો અવાજ અને પદ્ધતિસરના શાસ્ત્રીય સંગીતની જાણકારી ધરાવે છે. પૂજા, ભાવના અને મહોત્સવોમાં જૈન સંગીતકાર તરીકે સેવાઓ આપે છે. તેમની જિનભક્તિ સંગીતની સેવાઓ પ્રશંસનીય રહી છે. સરનામું : નાયકનગર, સરદાર પટેલ કોલોની સામે, પો. નવજીવન અમદાવાદ, પ્રસિદ્ધ સંગીતકાર શ્રી બળવંત ઠાકુર વતન : રાધનપુર કર્મભૂમિ : મુંબઈ મુંબઈ ખાતે સ્થિર થઈ સંગીતકાર તરીકે સેવા આપનાર પિતાજીને પગલે સંગીતકાર બનવાની પ્રેરણા મળી. આપબળે સંગીતની આરાધના કરી, જૈન સમાજમાં અનેક સુવર્ણચંદ્રકો દ્વારા સન્માન પામી, પ્રસિદ્ધ સંગીતકાર તરીકે સ્થાન પામ્યા છે. અંજનશલાકા મહોત્સવમાં સંગીતકાર તરીકે તેમનું આગવું પ્રદાન છે. મહોત્સવો, અંજનશલાકા મહોત્સવમાં ચડાવા–બોલી માટે લાભ લેવા ઇચ્છતા ભાગ્યશાળીઓને પ્રેરિતપ્રોત્સાહિત કરી, દેવદ્રવ્યની ઊપજમાં વૃદ્ધિ કરાવનાર તરીકે તેમણે લોકચાહના મેળવી છે. તેમણે ગાયેલાં ગીતોની ઓડિયો કેસેટ તેમજ વીડિયો સીડી પ્રસિદ્ધિ પામી છે. જેનસમાજમાં લોકપ્રિય સંગીતકાર તરીકે સન્માનભર્યું સ્થાન પામી, ભક્તિસંગીતક્ષેત્રે સિદ્ધિનાં શિખરો સર કરી રહ્યા છે. શ્રેષ્ઠીવર્યો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિશિષ્ટ સન્માન પામી સફળ કર્તૃત્વ દ્વારા ખ્યાતિ મેળવી છે. સરનામું : શ્રી બળવંત ઠાકુર/નીરવ-નિકુંજ, ૧૨મી ખેતવાડી ક્રોસ લેન, ૧૩–સોનાવાલા કમ્પાઉન્ડ, બીજે માળે, ફ્લેટ નં. ૪, મુંબઈ-૪0000૪ ફોન : ૦૨૨-૨૩૮૨૪૩૧૬, મો. નં. ૯૩૨૨૧૨૧૬૫૩, ૯૩૨૨૨૨૭૮૩૫, ૯૩૨૪૨૬૯૬૮૪ શંખેશ્વર મહાતીર્થના સુપ્રસિદ્ધ સંગીતકાર શ્રી દિલીપભાઈ રમણીકલાલ ઠાકુર વતન : રાધનપુર કર્મભૂમિ : શંખેશ્વર-મહાતીર્થ શંખેશ્વરદાદાને ચરણે ભક્તિસંગીતમાં જીવન સમર્પિત કરનાર પિતાજીને પગલે, પિતાજીના સ્થાને શંખેશ્વર મહાતીર્થમાં જૈન સંગીતકાર તરીકે ૨૫ વર્ષથી સેવા આપી રહ્યા છે. સુમધુર સૂરીલો ઓડિબલ અવાજ અને શાસ્ત્રીય સંગીતની વિશેષ જાણકારી ધરાવે છે. પૂજા, ભાવના, અંજનશલાકામહોત્સવોના ભરચક કાર્યક્રમોમાં ખૂબ પ્રસિદ્ધિ પામ્યા છે. શંખેશ્વર મહાતીર્થની રાત્રિભાવના એ શંખેશ્વર મહાતીર્થની આગવી વિશેષતા છે. દિલીપભાઈની ભક્તિગીતોની સંગીતમય ભક્તિ રાત્રિભાવનામાં સાંભળવા યાત્રિકો ખાસ રાત્રિરોકાણ કરે છે. તેમના દ્વારા ગવાતાં ભક્તિગીતો સાંભળવા એ જીવનનો લહાવો છે. તેમ આવનાર યાત્રિકો માને છે. શંખેશ્વરદાદાની ભાવનામાં ગવાતાં તેમનાં સ્વરચિત ભક્તિગીતો જૈનસમાજની ભાવનાઓમાં ખૂબ ગવાય છે. અન્ય સંગીતકારો અને જૈન ભક્તિમંડળો માટે તે પ્રેરણારૂપ બન્યાં છે. દુનિયાભરના જિનભક્તિસંગીતપ્રેમીઓના ઘરમાં તેમની ભક્તિગીતોની ઓડિયો કેસેટ અને ઓડિયો સીડી MP3 ખૂબ પ્રસિદ્ધિ પામી છે. તેમના સેવાકાળ દરમ્યાન અનેક સંગીતપ્રેમીઓ, શ્રેષ્ઠીવર્યો અને સંઘો દ્વારા અનેકવાર સમ્માન પામ્યા છે. તાજેતરમાં તેમનાં ભક્તિગીતોની ‘ઊંચા અંબરથી' શીર્ષકવાળી ઓડિયો સીડી મોન્ટેક્ષ ગ્રુપ ઓફ મુંબઈના સૌજન્યથી તૈયાર કરાઈ હતી, જે એટલી પ્રસિદ્ધિ પામી કે તેની પ000 પાંચ હજાર ઓડિયો સીડીની પ્રભાવના કરવામાં આવી હતી. તેમનું ભક્તિસંગીત એ શાસ્ત્રીય સંગીત, સુગમ સંગીત અને પ્રાચીન ભક્તિપદોનો ત્રિવેણી સંગમ છે. તેઓ શંખેશ્વર દાદાના ચરણોમાં આજીવન ભક્તિની ઝંખના ધરાવે છે. સરનામું : ૨, પાર્શ્વનાથ સોસાયટી, પેટ્રોલપંપ પાછળ, શંખેશ્વરમહાતીર્થ પીન-૩૮૪૨૪૬ જિ. પાટણ (ગુજરાત) ફોન : ૦૨૭૩૩-૨૭૩૩૬૧ મોબાઈલ નં. ૯૪૨૭૫૪૪૦૪૧ શ્રી જયંત રાહી જૈન સંગીતકાર તરીકેની કારકિર્દીનો પ્રારંભ પાટણથી કર્યો. આપબળે સંગીતક્ષેત્રે પ્રગતિ કરી મુંબઈને કર્મભૂમિ બનાવી Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy