SearchBrowseAboutContactDonate
Page Preview
Page 774
Loading...
Download File
Download File
Page Text
________________ ૦૫૪ ધન્ય ધરા સ્વ. રમણલાલ શિવલાલ નાયક વતન : વડનગર કર્મભૂમિ : અમદાવાદ. ૧૦ વર્ષની નાની વયે બાલ્યકાળમાં નાટ્યક્ષેત્રે કારકિર્દીનો પ્રારંભ કર્યો અને સફળ કલાકાર બની માસ્ટર રમણ તરીકે જાણીતા થયા. કેટલાંક વર્ષો બાદ અભિનય ક્ષેત્રનો ત્યાગ કરી સંગીતના શોખને લીધે સંગીતક્ષેત્રે પ્રવેશ્યા. કારકિર્દીનો પ્રારંભ સંગીતરત્ન શ્રી હીરાલાલ ઠાકુર તથા સંગીતરત્ન શ્રી ગજાનનભાઈ ઠાકુર સાથે તાનપુરાની સંગતથી કર્યો અને શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી. તેઓ પૂજા, ભાવના અને મહોત્સવોમાં શાસ્ત્રીય ભક્તિ સંગીત દ્વારા જૈન સમાજમાં કુશળ સંગીતકાર તરીકે ખ્યાતિ પામ્યા. ૨૫ વર્ષના જૈન સંગીતકાર તરીકેના સેવાકાળ દરમ્યાન તેમની જિનભક્તિ ખૂબ પ્રશંસા પામી. તેમની શાસ્ત્રીય સંગીતભક્તિને સૌ યાદ કરે છે. સ્વ. ચમનલાલ કસ્તુરચંદ ભોજક વતન : પાટણ, જન્મભૂમિ : ગુજરાત રાજ્યનું અણહિલપુર પાટણ. સદી પૂર્વેના પ્રાચીન યુગના શ્રેષ્ઠ જૈન સંગીતકાર. વર્તમાન જૈન સંગીતકારોની પ્રેરણામૂર્તિ હતા. સંગીતક્ષેત્રે મુંબઈને કર્મભૂમિ બનાવી. શ્રી મહાવીર પંચકલ્યાણકની પૂજા શાસ્ત્રીય રીતે સંગીતમય ભણાવનાર તરીકે ખ્યાતિ પામી લોકપ્રિય બન્યા. તેમની આ શાસ્ત્રીય રીતે ભણાવાયેલ શ્રી મહાવીર પંચકલ્યાણક પૂજાનું રેકોર્ડિંગ થયેલ, જેણે જૈનસમાજમાં ખૂબ લોકપ્રિયતા મેળવી. માદરે પાટણ ખાતે તેમણે ધાર્મિક ઉદ્યાપન (ઉજમણું) મહોત્સવ કરેલ. તે સમયે તેમણે વાસણનો મંડપ બંધાવ્યો હતો, જે મહોત્સવનું અનેરું આકર્ષણ બની રહ્યો હતો. વર્તમાન પેઢીના શ્રાવકો–એ રેકોર્ડિંગના ભક્તિસંગીતનું શ્રવણ કરી આ સંગીતકારને ભાવાંજલિ આપી રહ્યા છે. જૈફવયના સંગીતકાર શ્રી અંબાલાલ હરિલાલ ભોજક (પાટણવાળા) વતન : પાટણ હાલ : મુંબઈ. શ્રી અંબાલાલબાઈ જૈફવયના એક વિશિષ્ટ સંગીતકાર છે. જૈન સ્તુતિસ્તવન, ભજન, ભાવના વ.માં એમણે પ્રાણ પૂરીને સૂર પૂર્યા. આ જ કારણે એમના સૂર શ્રોતાજનોને આધ્યાત્મિક અનુભૂતિ કરાવે છે. શ્રી અંબાલાલભાઈ માત્ર સંગીતકાર જ નહીં, પરંતુ સાહિત્યના જીવ છે. એમણે કેટલીય કાવ્યરચનાઓ કરી તેમજ સંગીતમાં મઢી છે. તેમણે મુંબઈના ભાતબજાર–ખારેક બજારમાં આવેલા શ્રી અનંતનાથજી જિનેશ્વર પ્રભુની ૬૨ વર્ષ સંગીતમય સેવા કરી છે. તેમની આ સેવા માટે સંસ્થાએ તેમને પ્રશસ્તિપત્ર પણ આપ્યું છે. પિતાશ્રી હરિલાલભાઈ તથા ગુરુજી ગોરધનદાસ મારવાડી તેમજ દેવધર સંગીત વિદ્યાલયમાં મનહર બર્વે પાસે તેમણે સંગીતની તાલીમ લીધી હતી. જૈફવયે પણ અંબાલાલભાઈ ભાવપૂર્વક ભક્તિસંગીત રેલાવી રહ્યા છે. સૌજન્ય : પ્રો. રમેશ હ. ભોજક જૈફવયના સંગીતકાર શ્રી વાસુદેવભાઈ ધનસુખરામ નાયક અમદાવાદ ખાતે નિવાસ કરી છેલ્લાં ૧૦ વર્ષથી જૈન– સંગીતકાર તરીકે પૂજા, ભાવના, અંજનશલાકામહોત્સવોમાં જૈન-ધાર્મિક સંગીતના કાર્યક્રમો આપી રહ્યા છે. કર્ણપ્રિય સ્વર ધરાવે છે. જૈફવયના સંગીતકાર તરીકે જિનશાસનભક્તિનો બહોળો અનુભવ ધરાવે છે. સરળ સ્વભાવી વાસુદેવભાઈ અમદાવાદ નગરના જૂના સંગીતકાર તરીકે જાણીતા છે. સરનામું : ફોન નં. ૨૭૪૭પ૩૬૬. નરસિંહપાર્ક સોસાયટી, નારણપુરા, વિજયનગર ચાર રસ્તા પાસે, અમદાવાદ-૧૩ જૈફવયના સંગીતકાર શ્રી વસ્તીલાલ વિઠ્ઠલદાસ ભોજક વતન : રાધનપુર હાલ : શંખેશ્વર. હાલ શંખેશ્વર ખાતે આગમમંદિરમાં સંગીતકાર તરીકે સેવા આપે છે. ૪૫ વર્ષના જૈન સંગીતકાર તરીકેના સેવાકાળ દરમ્યાન રાજસ્થાન, ગુજરાતના વિસ્તારોમાં પૂજ઼-ભાવનામહોત્સવોના કાર્યક્રમોમાં સંગીતકાર તરીકે સેવાઓ આપી. શંખેશ્વર ખાતે આગમમંદિરમાં સંગીતકાર તરીકે સ્થિર થયા છે. લોકભોગ્યશેલીમાં ધાર્મિક કથાગીતની સંગીતમય રજૂઆત એ તેમની વિશેષતા છે. જીવનસંધ્યાના દિવસોમાં આગમ મંદિર (શંખેશ્વર)માં મહાવીરસ્વામી ભગવાનની ભક્તિ કરી વિતાવી રહ્યા છે. સરનામું : ઠે. જૈન આગમ મંદિર સંસ્થા, શંખેશ્વર–પીન-૩૮૪૨૪૬ જિ. પાટણ. Jain Education Intemational For Private & Personal Use Only Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy