SearchBrowseAboutContactDonate
Page Preview
Page 776
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ વિશાળ સમિયાષામાં ઉપસ્થિત ભાવિકજનો સમા તલતોની રજૂઆત. મંચસ્થ મહારાજશ્રીઓ પ્રસન્નવદને શ્રવણ કરતા જણાય છે. જૈનસમાજમાં સફળ સંગીતકાર તરીકે નામના મેળવી છે. છેલ્લાં ૪૫ વર્ષથી પૂજા-ભાવના અંજનશલાકા, પ્રતિષ્ઠામહોત્સવોમાં ઉત્તમ ખ્યાતિ પામ્યા છે. તેઓ ભક્તિભાવના અને અંજનશલાકા પોતાની આગવી સંગીતશૈલીમાં કરે છે, જે તેમની આગવી વિશેષતા છે. આ વિશિષ્ટ શૈલીએ તેમને લોકપ્રિય બનાવ્યા છે. જૈન સંગીતકાર તરીકેની સેવાઓ સાથે કાપડના વેપારમાં વ્યસ્ત છે. જૈનસમાજમાં સંગીતકાર તરીકે આદરભર્યું સ્થાન પામી-સમ્માન પામ્યા છે. વતન : પાટણ હાલ : મુંબઈ (ચેમ્બુર). શ્રી આસુતોષ વ્યાસ નાની વયે સંગીતના શોખીન હોવાથી સંગીતકળા હસ્તગત કરવાની પ્રબળ ઇચ્છા ધરાવતા હતા. આપબળે સંગીત સાધના કરી. જિનભક્તિસંગીત હસ્તગત કર્યું. સૂરીલો અવાજ ધરાવે છે. કંઠમાધુર્યને લીધે તેમનું ભક્તિસંગીત વધુ લોકભોગ્ય બન્યું અને પૂજા, ભાવના, પૂજનો અને અંજનશલાકામહોત્સવોમાં સફળ સંગીતકાર તરીકે ખ્યાતિ પામ્યા. આચાર્ય ભગવંતો અને ગુરુભગવંતોના આશીર્વાદ પામી અનેક સંઘો દ્વારા સુંદર જિનભક્તિસંગીત માટે સમ્માન પામ્યા છે. જૈન સમાજમાં લોકચાહના મેળવી ભક્તિ સંગીતક્ષેત્રે સુંદર પ્રગતિ કરી રહ્યા છે. સરનામું : ૯૧, ‘શિલાલેખ', પોલીસ સ્ટેડિયમ સામે, શાહીબાગ, અમદાવાદ. ફોન : ૦૭૯-૨૫૬૨૭૦૧૪, સ્વ. શ્રી વિનોદચંદ્ર નરેન્દ્રકુમાર નાયક શ્રી વિનોદભાઈને બાળપણથી જ સંગીતની લગની લાગી હતી. ધો. ૧૦ સુધી અભ્યાસ કર્યો. ખાનગી હોસ્પિટલમાં Jain Education International કમ્પાઉન્ડર તરીકે ૧૦ વર્ષ સુધી સેવા આપી. પંડિત બાલકૃષ્ણ ચીમનલાલ તથા ફોઈ કમળાબહેન પાસે સંગીતની તાલીમ લીધી. બાળપણથી જ સ્વરજ્ઞાન ધરાવે છે. પ્રવેશિકા પૂર્ણ સુધી સંગીતનો અભ્યાસ તેમણે કર્યો છે. જૈન તીર્થ બામણવાડાજી (રાજસ્થાન)માં સંગીતકાર તરીકે તેમણે પાંચ વર્ષ સેવા આપેલ છે. ત્યારબાદ પોતાના વતન વડનગરમાં આવીને સંગીતરત્ન શ્રી હીરાલાલ દેવીદાસ ઠાકુર તથા સંગીતરત્નશ્રી ગજાનનભાઈ ઠાકુર સાથે નાનપુરાની સંગતથી સંગીતની વિધિસરની કારકિર્દીનો પ્રારંભ કર્યો અને જિનભક્તિસંગીતનો અનુભવ મેળવ્યો. આકાશવાણી અમદાવાદ પર બી ગ્રેડમાં સ્થાન મળ્યું. ધન્ય ધરાઃ શ્રી વિનોદભાઈ ઘણાં વર્ષોથી જૈનસમાજમાં સંગીતકાર તરીકે સેવા આપે છે, પૂજા, ભાવના, અંજનશલાકામહોત્સવોમાં સુંદર ભક્તિસંગીત આપી, સુવર્ણ પ્રતીકોથી સમ્માન પામ્યા છે. સરનામું : ૯૯/૧૧૮૮ લક્ષ્મીકૃપા સોસાયટી, એ.ઇ.સી. ચાર રસ્તા, રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે, નારણપુરા, અમદાવાદ. ફોન : ૯૮૨૫૩૫૬૬૪૭ શ્રી મલયભાઈ દામોદરદાસ ભોજક વતન : રાધનપુર જન્મસ્થળ : મોયણીનીર્મ શંખેશ્વર મહાતીર્થ ખાતે મોટાભાઈ શ્રી દિલીપભાઈની સાથે સંગીતકાર તરીકે છેલાં ૨૫ વર્ષધી સેવા આપે છે, મલ્લિનાથદાદાની ભૂમિ (મોપણી) પર જન્મ થવાને લીધે–તેમનું ‘મલય’ નામ રાખવામાં આવ્યું. સંગીતનો શોખ તેમજ પિતાજી પાસેથી સંગીતની તાલીમ લીધી. શાસ્ત્રીય સંગીતનું તલસ્પર્શી જ્ઞાન ધરાવે છે. પુજા, ભાવના અને ધાર્મિક મહોત્સવોના કાર્યક્રમોમાં સ્વતંત્ર કમ્પોઝીશન તથા ભક્તિપદ રચનાઓ દ્વારા ભાવવાહી સંગીત પીરસે છે. ભગવાન મહાવીરનું જીવનચરિત્ર કાવ્યાત્મક સંગીતબદ્ધ આલેખન કર્યું છે. તેમની ઓડિયો કેસેટ અને ઓડિયો સીડી રેકર્ડ થયેલ છે. તેમણે કારકિર્દીનો પ્રારંભ તબલાંવાદક તરીકે (૧૦ વર્ષો) કર્યો. પ્રસિદ્ધ સંગીતકારો સાથે તબલાં પર સંગત કરી, નિપુણતા મેળવી. શંખાર દાદાના ચરણોમાં ય સંગીત દ્વારા આવન સેવાની ઝંખના ધરાવે છે. સરનામું : ફોન : ૦૨૭૩૩-૨૭૩૪૨૩ પેટ્રોલપંપ પાસે, શંખેશ્વર જિ. પાટણ-૩૮૪૨૪૬ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy