________________
શાશ્વત સૌરભ ભાગ-૧
મહાન તપશ્ચર્યા સં. ૨૦૪૯માં પરમ શાસનપ્રભાવક પ.પૂ. આ.ભ. શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના પ્રશિષ્ય પૂ. મુનિરાજ શ્રી કીર્તિયશવિજયજી મ.સા. (હાલ આચાર્યશ્રી)ની નિશ્રામાં કરેલ.
(૪૯) અમદાવાદના તપસ્વી તેજસ્વી બાળશ્રાવકો
રામનગર સાબરમતીમાં સૌરભકુમાર સતીશભાઈ શાહ (ઉં.વ. ૮) તથા કમલ પ્રિયકાંત ઝવેરી (ઉં.વ. ૮) એ સં. ૨૦૫૦માં અઠ્ઠાઈ તપ કરેલ. કાળુશીની પોળમાં સોનલ નીતિનભાઈ શાહ (ઉં.વ. ૧૦) એ ૧૬ ઉપવાસની તપશ્ચર્યા કરેલ તથા કૌશલકુમાર જયેન્દ્રભાઈ શાહ (ઉં.વ. ૯) એ અઠ્ઠાઈ તપ કરેલ. તેણે પંચપ્રતિક્રમણ, ૪ પ્રકરણ આદિનો અભ્યાસ કરેલ છે તથા દર પર્યુષણમાં ૬૪ પ્રહરી પૌષધ કરે છે. રંગસાગર ઉપાશ્રય પાસે ૩. બિરવા એ ૮ વર્ષની ઉંમરે અટ્ટાઈ તપ કરેલ. શિવાંગી રોહિતભાઈ શાહે ૭ વર્ષની વયમાં ૫ પ્રતિક્રમણ તથા ૯ સ્મરણ કંઠસ્થ કરી લીધેલ. દેવકીનંદન સોસાયટીમાં એક બાળક ૭ વર્ષની વયે ૫ પ્રતિક્રમણ, ૪ પ્રકરણ તથા ૩ ભાષ્ય પોતાની માતા દ્વારા શીખેલ. જૈનનગરમાં ૫.પૂ. આ.ભ. શ્રી અશોકસાગરસૂરિજી મ.સા.ની નિશ્રામાં પ થી ૮ વર્ષનાં ૭ બાળકોએ અઠ્ઠાઈ તપ કરેલ. કૃષ્ણનગરમાં ૯ વર્ષના જિગરકુમાર કમલેશભાઈ શાહે પર્યુષણમાં સેંકડો શ્રાવકોની ઉપસ્થિતિમાં મોટા અતિચાર, બૃહત્ શાંતિ વગેરે સૂત્રો કડકડાટ બોલીને સહુને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
(૫૦) અમદાવાદમાં સૌરાષ્ટ્ર સોસાયટી-જૈન નગરમાં રહેતા તપસ્વી સુશ્રાવક શ્રી જસવંતભાઈ લાલભાઈ શાહ (ઉં.વ. ૭૬) છેલ્લાં ૩૬ વર્ષોથી દર પર્યુષણમાં અઠ્ઠાઈ તપ કરે છે.
(૫૧) કચ્છ-ચીઆસરના અને હાલ વડાલા-મુંબઈમાં રહેતા કિરણભાઈ વેરસી ગડા (ઉં.વ. ૪૭) ૧૦ વર્ષની બાલ્યવયથી દર વર્ષે અઠ્ઠાઈ તપ કરે છે. તેમણે ૨૫ વર્ષની ઉંમરે, કચ્છ-કેસરી અચલગચ્છાધિપતિ પ.પૂ. આ.ભ. શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ.સા.ની પાવન નિશ્રામાં સં. ૨૦૪૦માં નીકળેલ મુંબઈથી સમેતશિખરજી તથા સં. ૨૦૪૧માં નીકળેલ સમેતશિખરજીથી પાલિતાણાના વિરાટ છ'રી પાલક મહાયાત્રા સંઘોના કન્વીનર તરીકેની જવાબદારી પોતાના ૨ યુવા મિત્રો
Jain Education International
634
રામજીભાઈ શામજી ધરોડ તથા જતીનકુમાર મોરારજી છેડા સાથે મળીને ખૂબ જ સુંદર રીતે સંભાળી હતી. (૫૨) કાંદીવલી-મહાવીરનગરમાં રહેતી બાલિકાએ ૧૨ વર્ષની વયે માસક્ષમણ તપ કરેલ.
(૫૩) રાજસ્થાનમાં દેશનોક ગામમાં સં. ૨૦૪૯માં કુ. સમતા બાંઠિયાએ ફક્ત ૧૧ વર્ષની વયે માસક્ષમણની મહાન તપશ્ચર્યા કરેલ.
(૫૪) કુ. રિદ્ધિ હરીશભાઈ (દિઓરા) એ ૪ વર્ષની બાલ્યવયમાં સં. ૨૦૨૯ માં મુંબઈ-મલાડમાં પૂ.પૂ. આ.ભ. શ્રી પૂર્ણાનંદસૂરીશ્વજી મ.સા.ની નિશ્રામાં અઠ્ઠાઈ તપ કરેલ.
(૫૫) મલાડ (પૂર્વ) મુંબઈમાં રત્નપુરી ઉપાશ્રયમાં સં. ૨૦૩૯
માં વૈરાગ્યદેશનાદક્ષ ૫.પૂ. આ.ભ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં ફકત ૭ વર્ષના જિજ્ઞેશકુમારે ૪૭ દિવસીય ઉપધાન તપ કરીને સહુને આશ્ચર્ય ચકિત કરી દીધેલ.
(૫૬) કુ. કિમી તથા કુ. હર્ષિતાએ ૫૫ વર્ષની વયે ૫.પૂ.
આ.ભ. શ્રી અશોકસાગરસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં ગિરિરાજની ૯૯ યાત્રા વિધિપૂર્વક પૂર્ણ કરેલ. (૫૭) ઘાટકોપરમાં ૠષભકુમાર બિપિનભાઈ મહેતાએ
૧૦ વર્ષની વયે ફક્ત ૩ કલાકમાં એકી બેઠકે સાંભળી સાંભળીને ભક્તામર સ્તોત્ર કંઠસ્થ કરેલ. આજ બાળકે રત્નાકર પચીશી (૨૫ શ્લોક), અરિહંત વંદનાવલિ (૪૯ શ્લોક) તથા સકલાર્હત્ સ્તોત્રનો ગુજરાતીમાં પદ્યાનુવાદ (૩૪ શ્લોક) પણ વિવિધ મુનિરાજોની પાસેથી સાંભળી સાંભળીને ફક્ત ૨– ૨ કલાકમાં જ કંઠસ્થ કરી લીધેલ. (પંકજ B બ્લોક નં. ૮૦, હોટલ એરવેઝની પાસે, એલ.બી. શાસ્ત્રી માર્ગ, ઘાટકોપર-મુંબઈ-૮૬ ફોન : ૨૫૧૪૯૦૭૮).
(૫૮) ૪૧ દિવસની ઉંમરથી નિયમિત જિનપૂજા, વર્ષની
ઉંમરથી રાત્રિભોજન ત્યાગથી ઉકાળેલા અચિત્ત પાણીનો ઉપયોગ તેમ જ ૪ વર્ષની ઉંમરથી દર વર્ષે ૨ વાર નવપદજીની આયંબિલ ઓળી અચૂક કરનાર ભાઈ-બહેન કુમારપાલ તથા મયણા (મુંબઈ). (૫૯) ૧૧ વર્ષની વયે પ્રતના આધાર વિના મૌખિક રીતે સિદ્ધચક્ર મહાપૂજનાદિ ભણાવતા, વિદેશોમાં અંગ્રેજીમાં
For Private & Personal Use Only
www.jainelibretry.org