________________
o ૩૬
ધન્ય ધરા:
પ્રવચન આપતા, કરોડ નવકારના આરાધક કચવનકુમાર નરેન્દ્રભાઈ રામજી નંદુ તથા તેમના ભત્રીજા બાળ વિધિકારો જયકુમાર તથા મેઘકુમાર નંદુ. (કચ્છ-વાંઢ/ઇલ-મુંબઈ ફોન :
૯૮૨૦૩૯૮૪પ૬ (૬૦) પોતાના જાનના જોખમે ઘોડા તથા અનેકવાર
માછલીઓને અભયદાન અપાવનાર વિશિષ્ટ જીવદયાપ્રેમી સુશ્રાવક શ્રી રતિલાલભાઈ જીવણ
અબજી (વઢવાણ)ના ૮ વિશિષ્ટ પ્રસંગો. (૬૧) ૧૫00 ભૂંડને બચાવનાર જીવદયાપ્રેમી સુશ્રાવક શ્રી
બાબુભાઈ-કટોસણવાળા સં. ૨૦૩૮માં આગમપ્રજ્ઞા પૂ. મુનિરાજ શ્રી જંબૂવિજયજી મ.સા. પાસે દીક્ષા લઈ બાહુવિજયજી મ.સા. બન્યા. આજીવન એકાસણાથી ઓછું નહીં કરનાર આ મહાત્માએ એકાંતરા ૫૦૦ આયંબિલ-એકાસણા, નવપદની ૮૦ ઓળીઓ, દીક્ષાના
પ્રથમ વર્ષે જ માસક્ષમણ આદિ તપશ્ચર્યા કરી છે. (૬૨) દર વર્ષે સેંકડો બકરાંઓની સામૂહિક બલિપ્રથાને
બંધ કરાવનાર શ્રાદ્ધવર્ય શ્રી સુમતિભાઈ રાજારામ
શાહ નિપાણી, જિ. બેલગામ (કર્ણાટક)]. (૬૩) જે દિવસે એક પણ પશુને અભયદાન અપાવી ન શકાય
તેના બીજા દિવસે ચોવિહાર ઉપવાસ કરવાની પ્રતિજ્ઞા છેલ્લાં ૩૦ વર્ષથી પાલી રહેલા જીવદયાપ્રેમી સુશ્રાવક બાપુલાલભાઈ મોહનલાલ શાહ જીવદયાના પ્રભાવે જ મૃત્યુના મુખમાંથી પાછા ફર્યા. દર મહિને ૧૦૦ જેટલા પશુઓને તેઓ બચાવે છે. ચિમનગઢ વગેરે ૩ ઠેકાણે પાંજરાપોળોની સ્થાપના તેમણે કરાવી છે. કુલ ૫ પાંજરાપોળ સ્થાપવાની તેમની ભાવના છે. આજીવન એકાસણાની પ્રતિજ્ઞા ૩૦ વર્ષથી પાળી રહ્યા છે. તદુપરાંત ૨ વર્ષીતપ, ૫00 આયંબિલ આદિ તપશ્ચર્યા પણ તેમણે કરી છે. (ચિમનગઢ, તા. કાંકરેજ, જિ. બનાસકાંઠા-ઉ.
ગુજરાત). (૬૪) ખાડામાં પડેલી ભેંસને બહાર કાઢવા માટે ૩ રેલ્વે
એન્જિન, ૩ રેલ્વેના ડબ્બા તથા ૨૫ માણસોનો સ્ટાફ ગોઠવીને ભેંસને બચાવનાર જીવદયાપ્રેમી સુશ્રાવક શ્રી અશોકભાઈ શાહના ધર્મપત્ની તથા ૨ સુપુત્રોએ પણ દીક્ષા લીધેલ છે. (ગણેશ પેઠ, પૂના-મહારાષ્ટ્ર).
(૬૬) ૧૩૦થી અધિક સાધુ-સાધ્વીજી ભગવંતો તથા
મુમુક્ષુઓને નિઃશુલ્કપણે B.A. તથા M.A. સમકક્ષ હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત તથા ગુજરાતી ભાષાના વિવિધ વિષયોનો અભ્યાસ કરાવનાર આદર્શ શિક્ષક શ્રી જસવંતભાઈ ડી. દક્તરી એ સ્થાનકવાસી હોવા છતાં શત્રુંજય મહાતીર્થની ૨ વાર ૯૯ યાત્રા, ૩ વાર તલેટીની ૯૯ યાત્રા, મુંબઈ આદિથી ૧૦૮ વાર પાલિતાણાની યાત્રા કરી છે. ૩૧ જણાને સ્વદ્રવ્યથી પાલિતાણાની યાત્રા કરાવી છે. ૨૯ વર્ષની વયથી બ્રહ્મચર્ય-વ્રતનું પાલન તથા ઉપવાસ-આયંબિલ-એકાસણાથી ૩ વાર ૨૦ સ્થાનક તપની આરાધના, ૧૧ ઉપવાસ, સળંગ ૭ ૬, ૬૨૫ એકાસણા આદિ અનેકવિધ તપશ્ચર્યા કરી છે. અનેક ધાર્મિક શિબિરોનું સંચાલન પણ કરેલ છે. (૬/૨૫ પોદાર પાર્ક સોસાયટી, મલાડ (પૂર્વ)-મુંબઈ-૯૭ ફોન :
૨૮૮૩૪૮૮૨. (૬૭) સરકારી બાંધકામના નિરીક્ષક અધિકારી એન્જિનિયર
હોવા છતાં કદી ૧ રૂા.ની પણ લાંચ-રુશવત નહી લેનાર શ્રી શાંતિલાલભાઈ શિવલાલ શાહની અભુત પ્રામાણિકતા. (વિજયનગર-અમદાવાદ ફોન : ૦૭૯
૨૭૪૮૨૩૧૩. (૬૮) ૩૨ વર્ષની વયે આજીવન બ્રહ્મચર્ય તથા એકાસણાની
પ્રતિજ્ઞા સ્વીકારી આજીવન ૫ વિગઈઓનો ત્યાગ, સંથારા પર શયન, સળંગ ૫૦૦/૧૦૦૮ આયંબિલ, ૧ માસક્ષમણ, ૩ વર્ષીતપ, ૨ સિદ્ધિ તપ, ૨૧ ઉપવાસ, ૨ વાર ૧૬ ઉપવાસ, ૨ વાર ૧૧ ઉપવાસ, ૬ વાર અટ્ટાઈ, વર્ધમાન તપની ૮૨ ઓળીઓ ઇત્યાદિ અનેકવિધ આરાધના કરનાર સુશ્રાવક શ્રી છોટાલાલભાઈ ભીખાભાઈ મશ્કારિયા (૯૭/૫૮૦ વિજયનગર
અમદાવાદ. ફોન : ૦૭૯-૨૭૪૧૯૨૩૩). (૬૯) (૧) ૧૨૨ ઉપવાસ, (૨) ૧૦૮ ઉપવાસ, (૩) ૭૨
ઉપવાસ, (૪) ૬૮ ઉપવાસ, (૫) ૩ વાર ૪૫ ઉપવાસ, (૬) ૩૬ ઉપવાસ, (૭) ૬ વાર માસક્ષમણ, (૮) શંખેશ્વર તીર્થમાં ૩૦૦ અટ્ટમ ઇત્યાદિ ભીખ તપશ્ચર્યા કરનાર કચ્છી પંડિત નરેશભાઈ લાલજીભાઈ શાહ
(વિક્રોલી પૂર્વ-મુંબઈ). (૭૦) પ૭ વર્ષની વયે વર્ધમાન આયંબિલ તપનો પ્રારંભ કરીને
સળંગ ૧૦૩ ઓળીઓ કરનારા વીરમગામના
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org