________________
શાશ્વત સૌરભ ભાગ-૧
શ્રાદ્ધવર્ય શ્રી હીરાલાલભાઈ મણિલાલભાઈ શાહ (ગિરધરનગર-અમદાવાદ).
(૨૬) અક્રમના પારણે અમથી ૯૯ યાત્રા, છઠ્ઠના પારણે કકમી ર વાર ૯ યાત્રા, એક જ વર્ષમાં સમ્મેતશિખરજી ગિરનાર તથા સિદ્ધાચલજી મહાતીર્થની ૯૯ યાત્રા, કુલ ૨૫થી અધિક વાર ૯૯ યાત્રા, ૧૦૮ દિવસ સુધી રોજ શંખૈયાર મહા તીર્થના પ૨ જિનાલયની બહારથી ૧૦૮ પ્રદક્ષિણાઓ, કે ગાઉંની ૯ ચાત્રા, ૩ ગાઉની તથા ૧૫ ગાઉની ૯૯ યાત્રા, તળાજા તથા કદંબગિરિની તેમજ હસ્તગિરિની ૯ યાત્રા, ૩ ઉપધાન, ૧૦૮ અઠ્ઠમ, ૪ વર્ષીતપ, છઠ્ઠના પારણે છરથી ૧ વર્ષીતપ, માસક્ષમણ-સિદ્ધિ તપ, વીશસ્થાનક, બ્રહ્મચર્ય વ્રત, ભવાલોચના ઇત્યાદિના આરાધકરત્ન દંપતી યુબહેન ટોકરશીભાઈ દેવજી દેઢિયા (કચ્છ-લારાજા ગોરેગામ-મુંબઈ ફોન : ૦૨૨૨૮૭૩૭૭૨૧-૨૮૭૩૩૪૨૨)
સદા
(૨૭) ૧૭ વર્ષની ઉંમરે આજીવન બ્રહ્મચર્યવ્રત સ્વીકારી, દીક્ષા ન લઈ શકાય ત્યાં સુધી મિષ્ટાન્ન તથા ઘીના ત્યાગની પ્રતિજ્ઞા સ્વીકારી, વિશિષ્ટ પ્રભુભક્તિ, સાધુ-સાધ્વીજી ભગવંતોની વૈયાવચ્ચ, સાધર્મિક ભક્તિ, વદયા, માનવરાહત, જૈન આચારોનો પ્રસાર, સત્સાહિત્યનું પ્રકાશન ઇત્યાદિ અનેકવિધ સત્પ્રવૃત્તિઓ નિઃસ્પૃહભાવથી કરનારા. સાજોડ પ્રેરણાદાયી વ્યક્તિત્વ ધરાવનારા, શાસનન, શ્રાદ્ધવર્ય શ્રી કુમારપાળભાઈ વી. શાહ (શ્રી વર્ધમાન સેવા કેન્દ્ર, ૩૯ લિકુંડ સૌસાયટી, ધોળકા, જિ. અમદાવાદ પીન : ૩૮૭૮૦, ફોન : ૦૨૭૧૮-૨૨૨૮૨).
(૨૮) મુંબઈમાં રહેવા છતાં સંડાસ-બાથરૂમ તથા સલૂનનો ઉપયોગ ટાળનારા, પોતાના ૨ સુપુત્રોને થયેલ ડૉક્ટરોથી અસાધ્ય બ્લડ કેન્સરની જીવલેણ બિમારીને મ.સા.ની પ્રેરણાનુસાર ધર્મચક્રની આરતીનો ચડાવો લઈ ભાવોલ્લાસપૂર્વક આરતી ઉતારવા દ્વારા મટાડનારા સુશ્રાવક શ્રી અરવિંદભાઈ દોશી (૧૨ ‘આનંદમંગલ’, જાંબલી ગલી, બોરીવલી (વે.) મુંબઈ– ૨૨).
(૨૯) ૩ વર્ષ સુધી નિરંતર ઊમાં ઊમાં આત્મસાધના કરવારા, ૬ વર્ષ સુધી ફક્ત રોટલા અને દાળથી ભોજન
Jain Education International
૭૩૩
કરનારા, ૩ વર્ષ સુધી ઠામ ચોવિહાર એકલઠાણા તપ, ૫૦ વર્ષથી દર શનિવારે સંપૂર્ણ મૌન, ૪૫ વર્ષથી આજીવન બ્રહ્મચર્ય-વ્રત, ૫૦ વર્ષોથી રોજ ૧ કલાક નવકાર-જાપ તથા ૧| કલાક નાડી બંધ કરીને ધ્યાન
કરનારા શ્રાદ્ધવ બંસીલાલજી ઉમેદમલજી ચોરડિયા (ગણેશ પેઠ, પૂના-મહારાષ્ટ્ર).
(૩૦) સળંગ ૧૮ વર્ષ સુધી મૌનવ્રત ધારણ કરી, ૨ માસક્ષમણ, ફક્ત એક જ દ્રવ્યથી કાયમ એકાસણા તથા તપ-જપ-ભક્તિ-સ્વાધ્યાય-ધ્યાન અને આત્મસ્વરૂપના નિદિધ્યાસન દ્વારા સ્વસ્વરૂપની અનુભૂતિ પ્રાપ્ત કરનારા સાધકરત્ન અમરચંદભાઈ નાહર (ઝવેરી બજારજયપુર (રાજ.).
(૩૧) માતાના અતિ આગ્રહથી ન છૂટકે લગ્ન કરવા છતાં, ધર્મપત્નીની રાજીખુશીથી સંમતિપૂર્વક આબાલબહાચર્ય વ્રતનું સુવિશુદ્ધ પાલન કરનારા આત્મસાધક ભાસ્કરભાઈ (કચ્છ-લાલા/ઘાટકોપર-મુંબઈ).
(૩૨) ૩૨-૩૫ વર્ષની વયે આધ્વન બ્રહ્મચર્ય વ્રત સ્વીકારી તેના સુવિશુદ્ધ પાલન માટે અણિશુદ્ધ બ્રહ્મગુપ્તિનું પાલન કરનારા તથા સસ્કારી અધિકારી હોવા છતાં ધર્મપત્નીની પ્રેરણા મુજબ લાંચ-રુશ્વતથી સદા અલિપ્ત રહેનારા ગુણવંતભાઈ દીક્ષા લઈ બન્યા છે. હાલ પૂ. પં. પ્રવર શ્રી ગુણસુંદરવિજયજી મ.સા. (૩૩) આજીવન બ્રહ્મચર્યવ્રતના શુભ સંકલ્પના પ્રભાવે
ધર્મપત્નીની અસાધ્ય બિમારી ચમત્કારિક રીતે દૂર થતાં બ્રહાવ્રત સ્વીકારતા હસમુખભાઈ (અમદાવાદ). (૩૪) ૮૧ આયંબિલ સાથે બ્રહ્મચર્ય વ્રતપાલનના શુભ સંકલ્પથી
સગર્ભા પત્નીની અસાધ્ય બિમારી દૂર થતાં લગ્ન બાદ ૨ વર્ષના ટૂંકા ગાળાથી આજીવન બ્રહ્મચર્ય-વ્રત સ્વીકારનારા હરામુખભાઈ (અમદાવાદ)એ નાર પુત્રવધૂ સાથે તથા જમાઈ સાથે પોતાની દીકરી માટે કાયમી નવકારશી-ચોવિહાર તથા અચિત્ત પાણી પીવાની શરત માન્ય થયા બાદ જ લગ્નની સંમતિ આપી. (૩૫) ૩૨ વર્ષની વયથી આજીવન બ્રહ્મચર્ય વ્રત સ્વીકારવાની તીવ્ર તમન્ના હોવા છતાં ગુરુ મહારાજની પ્રેરણા મુજબ દર વર્ષે ૧-૧ વર્ષની પ્રતિજ્ઞા સ્વીકારતાં ૭-૮ વર્ષથી સુવિશુદ્ધ બ્રહ્મચર્ય-વ્રતનું પાલન કરનાર દંપતી.
For Private & Personal Use Only
www.jainelibrary.org