SearchBrowseAboutContactDonate
Page Preview
Page 733
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૧ ૧૧. ગીતા પ્રેસ ગોરખપુરના ૩૧મા વર્ષના વિશેષાંક કલ્યાણ નિશંકમાં લાસને અષ્ટાપદ અને તેને સિદ્ધક્ષેત્ર લખવામાં આવ્યું છે અને ત્યાં કોઈ સમયે જૈન મંદિર હતું, જે હવે લુપ્ત થઈ ગયું છે એવું પણ લખ્યું છે (પાનાં નં. ૫૪૩), ૧૨. ડૉ. દેવીપ્રસાદ મિશ્રાનું પુસ્તક જૈન પુરાણોં કા સાંસ્કૃતિક અઘ્યયન'. આ પુસ્તકના પ્રકરણ ભૌગોલિક દશા'ના પાનાં નં. ૪૪૦માં કૈલાસ પર્વતને અષ્ટાપદ અને તેનું સ્થાન હિમાલયના દક્ષિણ ભાગમાં દર્શાવ્યું છે. ડૉ. એસ. એમ. અલીની વતી પાનાં નં. ૫૬ પ્રમાણે એ બંધબેસતું આવે છે. ૧૩. લૉસ એંજેલસ કાઉન્ટી મ્યુઝિયમ ઑફ આર્ટ્સના શ્રી પ્રતાપાદિત્ય પાલનું પુસ્તક “ધ પીસફુલ લિબરેટર્સ—જૈન આર્ટ ડ્રોમ ઇન્ડિયા.' આ પુસ્તકમાં પણ લેખકે કૈલાસને અષ્ટાપદ માન્યો છે. (પાનાં નં. ૬૫). મારી બીજી અને ત્રીજી યાત્રા દરમ્યાન શ્રી કૈલાસ એજ અષ્ટાપદજી છે એની શક્યતા બાબત મેં સંશોધન કરવાની વિનમ્ર કોશિશ કરી છે. યાત્રાના નિર્દિષ્ટ માર્ગથી હટીને જે જગ્યાઓના મેં દર્શન કર્યાં અને ફોટોગ્રાફ્સ તેમજ સ્લાઇડ્સ લીધી છે તેનાં પરિણામો ઉત્સાહપ્રેરક છે : ૧. શ્રી કૈલાસના દક્ષિણાભિમુખ પાસે એક કંડારેલ (મારો અભિપ્રાય) પર્વત છે, એને નંદી પર્વત માનવામાં આવે છે. એના મધ્ય ભાગમાં શિલ્પ કામ દેખાય છે. એ શિલ્પકૃત્યમાંની એક આકૃતિના હાથમાં સિતાર જેવા વાઘનો સ્પષ્ટ આભાસ છે. એ પર્વતની ટોચ ઉપર સિંહ બેઠો હોય એવી આકૃતિનો સ્પષ્ટ આભાસ છે. એના પૂર્વ ભાગના મધ્યમાં પ્રાણીની એક વિશાળ મુખાકૃતિ કંડારેલી લાગે છે જે કદાચ સિંહની અથવા વાનર (હનુમાન)ની હોઈ શકે. ૨. 'ત્રિષષ્ઠી શલાકા પુરુષ ચરિત્ર'માં સિંહ નિધ્યા પ્રાસાદનું વર્ણન આવે છે. આ પર્વત એ વર્ણનને અનુરૂપ એક ભાગ જણાય છે. આ પર્વતની બાજુમાં અમુક પર્વતોની ટોચો પણ એક સમાન જણાય છે. પર્વતો દેખાવે દક્ષિણ ભારતનાં મંદિરોગોપુરમ્ જેવા લાગે છે. ૩. નજીકની એક પર્વતમાળામાં એક ગવાક્ષ (મંગળ મૂર્તિ માટેનો ગોખ) સ્પષ્ટ દેખાય છે. (ન્યારી ગોમ્પાની સામેનો પર્વત... Jain Education International ૦૧૩ ઇજિપ્તમાં ‘ફીકસ’ના નામે ઓળખાતી માનવસર્જિત કૃતિ જેવું એક પર્વતમાં ત્યાં પણ દૃષ્ટિગોચર થાય છે. (ન્યારી ગૌમ્યાની સામેનો પર્વત). ૫. આ પર્વતમાળામાં ઘણા ભાગોમાં ઉપર કિલ્લાની દીવાલોનો સ્પષ્ટ આભાસ છે. જૂનાં તીર્થો પર્વતો ઉપર અને કિલ્લેબંધીમાં અત્યારે પણ હયાત છે. દા.ત. શ્રી શત્રુંજય મહાતીર્થ, શ્રી ગિરનારજી, શ્રી સમ્મેતશિખરજી, જેસલમેર ઇત્યાદિ. ઉપરોક્ત દશ્યોથી એવું માનવાને પ્રેરિત થાય છે કે, કોઈક કાળે આ પ્રદેશમાં વિશાળ પાયા પર માનવસર્જિત કામ થયાં હશે. દીર્ઘ કાળ દરમ્યાન વાતાવરણની અસર થકી આ સર્જનોને ઘસારો લાગ્યો છે. શું જૈન ધર્મમાં ઉલ્લેખિત અષ્ટાપદવિવરણમાં આવતાં મંદિરો, ચૈત્યો, સ્તૂપોના આ સંકેતો જણાય છે? અહીં એ ઉલ્લેખ કરવો યોગ્ય છે કે આજે પણ જૈન સંતો અતિ વિદ્વાન છે, પણ એમની દૈનિક ક્રિયાઓ અને ગોચરીપાણી થકી, શ્રી કૈલાસ માનસરોવરની પાળા એમના માટે કઠિન છે, જૈન સંતો વાહનનો ઉપયોગ કરતા નથી. એમનાં આહારપાણી પણ ધર્માનુસાર નિર્દિષ્ટ હોય છે, જે આ યાત્રા દરમ્યાન જાળવવાં અતિ કઠિન છે. જૈન ધર્મના આગેવાનોને આ બાબતે વિચારવા અને યોગ્ય કરવા મારી હાર્દિક વિનંતી છે, જેથી કરીને વિદ્વાન સંતો સમાજને અષ્ટાપદ વિષે યોગ્ય અભિપ્રાય આપી શકે. તિબેટી ધર્માનુસાર વીસમા તીર્થંકર મુનિસુવ્રત સ્વામી પણ આ કૈલાસ ભૂમિમાં વિચર્યાં છે. તેમજ સંત મિલારા સૂર્યનાં કિરણો પકડીને કૈલાસ પર્વત ઉપર પહોંચ્યા છે. જૈન ધર્મ ગ્રંથોમાં અનંતલધ્ધિનિધાન ગૌતમ સ્વામીની અષ્ટાપદ યાત્રા આવી જ રીતે વર્ણવવામાં આવી છે.. કેટલાક સાંયોગિક પુરાવાઓ પણ અત્રે રજૂ કરું છું : ૧. કૈલાસ પર્વત ઉપર ચઢવું અતિ કઠિન જણાય છે. શ્રી અષ્ટાપદજીના વિવરણ સાથે આ બંધબેસતું છે. ૨. કુંવારાના દક્ષિણ મુખ પાસેનો કંડારેલો પર્વત નંદીના નામે ઓળખાય છે. નંદી એટલે બળદ, જે આદિનામ ઋષભદેવનું લાંછન (ચિહ્ન) છે. ૩. અનાદિકાળથી હિન્દુ ધર્મ પ્રમાણે કૈલાસને મહાદેવનું સ્થાન માનવામાં આવે છે. વાહન નંદી છે. આદિનાય ઋષભદેવની નિર્વાણ તિથિ પોષ વદ તેરસ છે. વદ તેરસને For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy