SearchBrowseAboutContactDonate
Page Preview
Page 734
Loading...
Download File
Download File
Page Text
________________ ૦૧૪ ધન્ય ધરાઃ શિવરાત પણ કહે છે. શું મહાદેવ એ જ આદિનાથ છે? કૈલાસ પર્વતની સામે લગભગ 80 કિલોમીટર દૂર બરફાચ્છાદિત અને જાજરમાન પર્વત છે, એનું નામ ગુરલામાન્ધાતા છે. માધાતા એ સગરચક્રવર્તીની સાધનાભૂમિ છે. ૫. માનસરોવરનો ઉલ્લેખ જૈન શાસ્ત્રોમાં છે. કૈલાસ માનસરોવર અને ગુરલામાન્ધાતા પર્વતની વચ્ચે એક બીજો વિશાળ અતિ સુંદર પર્વત છે, જેનું નામ રાકાશતાલ અથવા રાવણતાલ છે. જૈન ધર્મમાં રાવણનો ઉલ્લેખ સુવિદિત છે. અષ્ટાપદ પર્વત પાસે રાવણમંદોદરીનું વીણા વાદન અને નૃત્ય જૈન ધાર્મિક પુસ્તકોમાં ઉલ્લેખાયાં છે. આ પ્રદેશમાં અનુભવાતી Vibration) અનુભૂતિ અવર્ણનીય છે. શબ્દોમાં એ અભિવ્યક્ત કરી શકાય એવું નથી. આસ્તિક એને દિવ્ય અનુભૂતિ કહે છે. વૈજ્ઞાનિકોએ પણ આ ભૂમિમાં ઉત્તમ ધાતુ-ખનિજોનું ભરપૂર પ્રમાણ શોધવાથી આવા અનુભવને સમર્થન આપ્યું છે. ૮. એ ધરતી, સરોવરો, પર્વતો, વાદળાં અને આકાશનું સંયોજન અલૌકિક, અતિ ભવ્ય દૈવી જણાય છે. હું ધર્મે જૈન છું પણ ધર્મનું જ્ઞાન મને નહીંવત્ છે, પણ જ્યારે-જ્યારે જૈન ધર્મ અને એની તીર્થ ભૂમિઓનો વિચાર કરું જો આપણે સિદ્ધાચલ મહાતીર્થ પાલિતાણાને શાશ્વત તીર્થ જાણતાં હોઈએ, જો આપણે બિહાર પ્રદેશના સમેત શિખરજી મહાતીર્થને વીસ તીર્થકરોની નિર્વાણભૂમિ જાણતાં હોઈએ, જો દિલ્હીથી સવા સો કિલોમીટર દૂર આવેલ હસ્તિનાપુરને પ્રથમ તીર્થકર ઋષભદેવના વરસીતપની પારણાં– ભૂમિ તરીકે પૂજતાં હોઈએ અને, જો ધર્મગ્રંથોમાં વર્ણિત બીજી બધી તીર્થભૂમિઓને જાણતાં-પૂજતાં હોઈએ તો શું આ કૈલાસ પર્વત જ અષ્ટાપદજી છે? જૈન ધર્મના પૂજનીય સંતો અને વિદ્વાનોને મારી વિનમ્ર વિનંતી છે કે આ બાબત માર્ગદર્શન આપે. પુરાતત્ત્વવિદોને મારી નમ્ર વિનંતી કે આ બાબત સ્પષ્ટ અભિપ્રાય આપે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy