SearchBrowseAboutContactDonate
Page Preview
Page 731
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૧ અષ્ટાપદજીની આછી ઓળખાણ || શ્રી અાપવતીર્થ निर्वाण यत्र संजात-मादिनारथ मुक्तिदम् । गिरिमष्टापदं वन्दे सदानन्दं सताम् ॥ Jain Education International જંબુદ્રીપના ભરત ક્ષેત્રની વર્તમાન ચોવીશીના પ્રથમ તીર્થપતિ પરમાત્મા આદિનાથ પ્રભુ એક માત્ર એવા તીર્થંકર છે, જેઓ આજે અદૃશ્ય ગણાતા શ્રી અષ્ટાપદતીર્થથી મોક્ષે ગયા છે. આજે ઠેર ઠેર શ્રી અષ્ટાપદ તીર્થની રચના, —પ. પૂ. જ્યદર્શનવિજયજી મ.સા. જિનાલયો તથા ચિત્રપટો જોવા મળે છે, ઉપરાંત ગૌતમ સ્વામીજી સૂર્યનાં કિરણોને અવગાહી તેજ તીર્થની જાત્રા કરી આવ્યા, પાછા વળતાં તાપસોને પ્રતિબોધિત કર્યા વગેરે અનેક માહિતીઓ ઉપરાંત કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી રચિત ‘ત્રિષષ્ઠીશલાકા પુરુષ ચિરત્ર' વગેરે અનેક ગ્રંથોમાં શ્રી અષ્ટાપદજીનું વર્ણન સ્પષ્ટ જોવા મળે છે. તે બાબત સંશોધન કરતાં મુંબઈ-મુલુંડ નિવાસી શ્રી ભરતભાઈ હંસરાજ શાહના મિત્ર તે બાબત ચર્ચા-વિચારણા કરવા અનેકવાર મુલુંડ–ઝવેર રોડના વિ.સં. ૨૦૬૧ના ચાતુર્માસ દરમ્યાન મને સંપર્ક કરતા રહ્યા. તે તીર્થની જાણકારી માટે મારી પણ સવિશેષ જિજ્ઞાસા હોવાથી મેં તેમની પાસે તે સ્થાનની પરિક્રમા કર્યા પછી તેમના દ્વારા લેવાયેલ તે સ્થાનના ફોટા વગેરે તપાસ્યા. બહુ દૂરથી ખેંચાયેલ તે તસ્વીરોમાં અતિ ઉત્તુંગ શિખરો ઉપર તીર્થંકરોની કાઉસગ્ગ મુદ્રાની કલાકૃતિઓ તથા અનેક અન્ય કંડારાયેલ રચનાઓ દેખી આશ્ચર્ય થયું કે આવા ઊંચા કૈલાસપર્વતના વિભાગ નંદી પર્વત ઉપર કોણે આવી તે પ્રમાણે સર્જન કર્યું હશે! શ્રી અષ્ટાપદજી તીર્થના સંશોધનમાં સહાયક બની શકે તેવો એક નાનો તેમનો જ આનુભવિક લેખનો સાર અત્રે પ્રસ્તુત કરતાં હર્ષ પણ અનુભવાય છે કે વધુ તપાસ કરતાં પુરુષાર્થ વડે ફરી તીર્થનો પરિચય વિશેષથી મેળવી શકાશે. —૫. પૂ. જયદર્શનવિજયજી મ.સા. For Private & Personal Use Only ૧૧ www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy