SearchBrowseAboutContactDonate
Page Preview
Page 730
Loading...
Download File
Download File
Page Text
________________ ૦૧૦ ધન્ય ધરાઃ લેખ-૧૫૩ : સં. ૧૨૪૫, વૈશાખ વદ-૫ ગુરુવારનો છે. પોરવાલવંશી મંત્રી આનંદના બીજા પુત્ર ઇ. નાના અને તેના પુત્ર ઠ. નાગપાલે પોતાની માતા ત્રિભુવનદેવીના કલ્યાણ માટે ભમતીની ૪૮મી દેરીમાં મૂ.ના શ્રી મહાવીર સ્વામીનું બિંબ ભરાવ્યું તે અંગેનો છે. તે વિમલશાહના વંશજોમાં થયેલો. લેખ-૧૬૯: સં. ૧૨૧૨ના માઘ શુદી-૧૦ને બુધવારે મહામાત્ય શ્રીમાન આનંદ અને તેમની ભાર્યા શ્રી સલુણાના પુત્ર ઠ. નાનાએ પોતાના પુત્ર દંડનાયક શ્રી નાગાર્જુનના કલ્યાણ માટે ભમતીની પ૩મી દેરીના મૂ.ના શ્રી સંભવનાથ ભ.ની મૂર્તિ ભરાવી. લેખ-૨૩૩ : શ્રી વિમલમંત્રીશ્વરની હસ્તિશાળામાં જે સુંદર કોરણીદાર આરસના હાથીઓ છે તે દરેક હાથીઓના પગ નીચેની આરસની શિલામાં તે હાથીઓ ક્યા સંવતમાં કોને માટે કરાવ્યા તેની વિગત છે. જો કે હાથી/લેખો ખંડિત થવાથી લેખ પૂરા વાંચી શકાતા નથી છતાં– છેલ્લો હાથી મહામાત્ય ધનપાલે પોતાના ભાઈ/પુત્રી કુટુંબીના નામથી સં. ૧૨૩૭માં કરાવ્યો હશે. આમાંના પ્રથમના ૭ હાથીઓ, મહામાત્ય-(૧) નીના (૨) લહર (૩) વીર (૪) ને (૫) ધવલક (૬) આનંદ (૭) પૃથ્વીપાલ માટે સં. ૧૨૦૪ ફાગણ સુદ-૧૦ને શનિવારે મહામાત્ય પૃથ્વીપાલે કરાવ્યા. (પોતાના કુટુંબીઓના સ્મારક તરીકે આ હસ્તિશાળા પણ એ જ સં.માં મ.મા. પૃથ્વીપાલે કરાવેલી.) આઠમો અને નવમો હાથી, મહામાત્ય પીપાલના પુત્ર મહામાત્ય ધનપાલે સં. ૧૨૩૭ના અષાઢ સુદી ૮ને બુધવારે પોતાના મોટાભાઈ ઠ. જગદેવ અને પોતાના માટે કરાવેલ. ધાંધુક : લેખ ૨૨૯ : શ્રી વેલાપલ્લી (વેરાવળ?) નિવાસી, ઓસવાલ જ્ઞાતિના મંત્રી ધાંધૂકે સં. ૧૨૧૨ના જેઠ વદ-૮ને મંગળવારે શ્રી વિમલમંત્રીની હસ્તિશાળામાં શ્રી આદિનાથ ભગવાનનું સમવસરણ કરાવ્યું. નાથ : લેખ–૨૪૮માં. પૂનાસિંહ : લેખ નં. ૨૪૦૨૪૨માં. મંડન-સગર-સુંદર-ગદા : માટે જુઓ લે. નં. ૪૦૭, ૪૦૮, ૪૧૦. પિત્તલહરનો લે. ૪૧૧-મંત્રીશ્વર ગદા ભાર્યા શ્રાવિકા આસુએ મૂળનાયકજીના પરિકરમાં શ્રી વાસુપૂજ્ય ભ.ની ઊભી મૂર્તિ કરાવી. પિત્તલહરનો લે. ૪૧૨-મંત્રી ગદાની ભાર્યા આસૂના પુત્ર શ્રીરંગે મૂળનાયકજીના પરિકરમાં શ્રી અભિનંદનજિનની બેઠી મૂર્તિ કરાવી. પિત્તલહરનો લે. ૪૧૩-મંત્રી ગદાની ભાર્યા આસૂના પુત્ર મંત્રી વાઘાએ મૂળનાયકજીના પરિકરમાં શ્રી સંભવનાથ જિનની બેઠી મૂર્તિ કરાવી. લેખ નં. ૪૧૦ થી ૪૧૩માં પ્રતિષ્ઠિક તરીકે તપાગચ્છીય શ્રી લક્ષ્મીસાગરસૂરિજી છે. ચશોવર–અગાઉના લેખ ૧૫૦-૧૫૧-૩૫૯-૩૬૧ (ઉદયવીર મંત્રી) માં જુઓ. વરાહુ-વિ.વ.નો લેખ . ૨૦૬ જુઓ. મંત્રી વરાહ વ.એ ગુરુ (શ્રી કૃષ્ણર્ષીય ગચ્છના ભટ્ટારક શ્રી ધર્મચંદ્રસૂરિ વ.)ની સાથે . ૧૬૧૬ના મહા સુદ-૧૧એ જાત્રા કરી. વાધુય-લે. ૨, વિમલવસહીની ભમતીની ૧૩મી દેરીની બહારની દિવાલમાં છે. અર્જુનદેવ વાઘેલાના પુત્ર-પાટણના રાજાધિરાજ-શ્રીમાન સારંગદેવના સેવા તત્પર મહામંત્રી વાઘેય હતો. સારંગદેવના સામંત-મંડલિક રાજા શ્રી વિસલદેવે તેને શ્રી વિમલવસહી તથા લુણવસહી એ બે મંદિરોના પૂજા અને નિર્વાહ માટે અમુક વ્યાપારાદિક ઉપર લાગાની વ્યવસ્થા અને એ બંને મંદિરોના યાત્રાળુઓ-પૂજારીઓ પાસેથી કોઈ લાગો/કર ન લેવો એવું આજ્ઞાપત્ર સં. ૧૩૫૦માં આપ્યું હતું. (વધુ માટે અગાઉનો લેખ નં. ૨ જુઓ-સારંગદેવ અને શ્રી વિસલદેવ.) શાન્તિ–વિ.વ.નો લેખ નં. ૬૩નું રાજા સોમ અને મંત્રી શાંતૂ સાંતૂમંત્રી અંગે અગાઉનું લખાણ જુઓ. સહસા–વિ.વ.નો લેખ નં. ૪૬૪-૪૭૧-૪૭૩૪૭૪-૪૮૨-૪૮૩-૪૮૪માં જુઓ. સાલ્હા-વિ.વ.નો લેખ-૪૬૭ જુઓ. તે રાજા સોમદાસનો પ્રધાન હતો. અચલગઢનો લેખ-૪૭૨ જુઓ. આમ આબુ પરના જૈન મંદિરોના શિલાલેખો/ અભિલેખોમાં ઉલ્લેખિત અનેક અમાત્યો/મંત્રીઓ જૈન ધર્મ પ્રત્યે ઉદાર, આસ્થાળુ હતા.....મંત્રી ઉદયસિંહ, ચંડ તથા તેના વંશજો : વસ્તુપાલ-તેજપાલ-જેત્રસિંહ-લાવણ્યસિંહ ઉપરાંત યશોવર અને શાનૂ વ.તો ઇતિહાસના પાને અમર થઈ ગયા. “આબુની કોરણી, તારંગાની ઉભણી અને રાણકપુરની બાંધણી' આજે પણ સર્વોત્તમ છે. [નોંધ : સ્કેચ સહયોગ માટે જિતેન્દ્ર માસ્ટર (જંબુસર)નો આભાર.] Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy