SearchBrowseAboutContactDonate
Page Preview
Page 726
Loading...
Download File
Download File
Page Text
________________ હ૦૬ આબુના જૈનમંદિરોના શિલાલેખોમાં ઉલ્લેખિત અમાત્યો/મંત્રીઓ આબુના જે શિલાલેખમાં નામની પહેલા મહામાય, અમાત્ય, મહામંત્રી કે મંત્રીમાંથી કોઈપણ શબ્દ સ્પષ્ટ રીતે લખ્યો હોય અથવા બીજા ગ્રંથો કે અન્ય સાધનોથી જે મંત્રી હોવાનું સ્પષ્ટ થતું હોય તેમનો અહીં ઉલ્લેખ કર્યો છે છતાં (અભિ-) લેખોમાંનાં ઘણાં નામોની પૂર્વે “મહં'/“મં.' શબ્દનો અર્થ “મહત્તમ = ઘણો મોટો/અધિકારી’ એવો થાય છે. પણ તે પોતે જ મંત્રી હોય કે મંત્રીના કુળનો હોય તેવી ખાત્રી નહીં થવાથી અહીં તેમનો સમાવેશ કર્યો નથી. મંત્રી ઉદયસિંહ –લેખ નં. ૧૫૦–૧૫૧. વિમલવસહીની ૪૫મી દેરીના આ બંને લેખો એક જ ધણીના અને લગભગ એકસરખી મતલબના છે. લે. ૧૫૦-સં. ૧૨૪૫ના વૈશાખ વદી પને ગુરુવારે શ્રી સંડેરક ગચ્છીય અને શ્રી ધર્મવંશમાં ઉત્પન્ન થયેલા દોસી શ્રી ઉદયસિંહના પુત્ર મંત્રી યશોવીરે પોતાની માતા ઉદયશ્રીના કલ્યાણ માટે ૪૫મી સુંદર દેરી અને શ્રી નેમિનાથ ભ.ની પ્રતિમા ધન્ય ધરાઃ કરાવી, તેની પ્રતિષ્ઠા શ્રી દેવચંદ્રસૂરિજીએ કરી તે બાબતનો છે. લે. ૧૫૧-જેનું દુર્જયપણું રાજાઓને પણ આનંદ આપનારું થાય છે અને વિવિધ પ્રકારના વીરોમાં અગ્રેશ્વરી એવો ઉદયસિંહ નામનો મંત્રી થઈ ગયો, તેનો પુત્ર “કવીન્દ્રબંધુ'ના ઉપનામને ધારણ કરનારો હતો. લક્ષ્મી અને સરસ્વતીએ તેને ત્યાં એક સાથે નિવાસ કર્યો તે યશોવીર નામનો મંત્રી પ્રસિદ્ધ છે. . ૩પ૯ થી ૩૬૨ :–પૈકીના બે લેખો બે દેવકુલિકા સંબંધમાં અને બે લેખો તે તે દેરીઓ કરાવ્યાના છે જે મંત્રી યશોવીરના, એક જ સંવતના અને લગભગ એક જ હકીકતના છે. લેખ ૩૫૯-મંત્રી યશોવીરે પોતાના પિતાના શ્રેય માટે મૂ.ના શ્રી સુમતિનાથ ભ.ના બિબયુક્ત ૪૦મી દેરી કરાવેલી. (લે. ૩૬૧) માતાના શ્રેય માટે મૂળનાયક શ્રી પડાપ્રભદેવથી અલંકૃત ૪૧મી સુંદર દેરી કરાવેલી. યિશોવર, જાલોરના ચૌહાણ મહારાજા ઉદયસિંહનો મુખ્યમંત્રી હતો. કદાચ તે જાલોરનો જ વતની હશે. માતાનું નામ ઉદયશ્રી, પિતાનું નામ ઉદયસિંહ (મંત્રી) અને ગોત્ર ધર્કટ હતું. અટક “દોસી’ હતી. બુદ્ધિશાળી હોવાથી ‘મંત્રીગુરુ’ અને વિદ્વાનોને આશ્રય આપનારો હતો એટલે કવીન્દ્રબંધુ' જેવાં બિરુદો મળેલા. મહામાત્ય વસ્તુપાલતેજપાલ સાથે તેને ખૂબ મિત્રાચારી હતી.] કવડિકપર્દિ-(લેખ નં. ૨૩૬) :-મહામાત્ય કવડિનું સંસ્કૃત ભાષામાં નામ “કપર્દિ હતું. સં. ૧૨૨૬ના વૈશાખ સુદ ૩ને સોમવારે શ્રી અર્બુદગિરિ મહાતીર્થમાં મહામંત્રી કવડિએ. પિતા ઠ. શ્રી આમપરા અને માતા ઠકુરાણી સીતાદેવીની મૂર્તિનું જોડલું કરાવીને શ્રી ઋષભનાથજીની સામે સ્થાપન કર્યું, અખાત્રીજે આ. શ્રી ધર્મઘોષસૂરિજીએ પ્રતિષ્ઠા કરેલી. (6. = ઠક્કર/ઠાકુર, જમીનદારને કહેતા.) જૈિનધર્મી કવડિ મહારાજા કુમારપાલનો ઘણો માનીનો મહામંત્રી હતો. તે મહાન પરાક્રમી અને વિદ્વાન હતો. કુમારપાલના મૃત્યુ પછી વિ.સં. ૧૨૩૦માં અજયપાળ ગાદીએ બેઠો. તેણે કવડિને મહામંત્રી બનાવી તે જ દિવસે તેના પર ખોટા આરોપો મૂકી કકડતા તેલના કડાયામાં તેને નખાવીને મારી નાખ્યો!]. લૂણવસહીના લે. ૨૫૦ની ૪૯મી પંક્તિમાં “........આશ્ચર્યના સ્થાનસ્વરૂપ જે તેજપાલને જોઈને (નીતિસાર ગ્રંથના કર્તા) કામદકિ પોતાના ગુણસમૂહને તુચ્છ માને છે તથા ચાણક્ય પણ માણસોના હૃદયમાં ચમત્કાર ઉત્પન્ન કરી શકતો નથી.” એમ જણાવ્યું છે. વિમલ-વસહીની હસ્તિશાલામાં ઘોડેસ્વાર વિમલ મંત્રીશ્વર Jain Education Intemational ducation Intermational For Private & Personal use only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy