________________
શાશ્વત સૌરભ ભાગ-૧
ચંડ તથા તેના વંશજોનું વર્ણન અગાઉના લેખ નં. ૨૫૦૨૫૧માં છે. (લે. ૯) સં. ૧૨૭૮ના ફાગણ વદ-૧૧ ને ગુરુવારે.....મંત્રી માલદેવના કલ્યાણ માટે તેમના ભાઈ મંત્રી વસ્તુપાળે શ્રી મલ્લિનાથ ભગવાનયુક્ત ગોખલો કરાવ્યો. મં. વસ્તુપાળના નાનાભાઈ મં. તેજપાળે અહીં લૂણવસહી નામનું મંદિર બંધાવ્યા પહેલા આ ગોખલો કરાવ્યો છે.
(લેખ-૨૫૬) સં. ૧૨૮૭ના લૂણવસહીના ત્રૂટક લેખ પ્રમાણે-“મંત્રી વસ્તુપાળ અને મંત્રી શ્રી તેજપાલ......પૂર્વજોના શ્રેય માટે આ અર્બુદગિરિ ઉપર શ્રી........ વંચાય છે.
(લેખ-૨૬૦) સં. ૧૨૮૭ના લૂણવસહીના લેખમાં મંત્રી તેજપાલે પુત્ર લૂણસિંહના કલ્યાણ માટે આ શ્રી ભ્રૂણવસહીમાં શ્રી નેમિનાથ ભ.નું મહાતીર્થ કરાવ્યું એમ લખ્યું છે જો કે તેમાં પૂર્વજો અને ભાઈઓની વિગત પણ છે.
લૂણવસહીનો લેખ નં. ૨૬૧ : અહીંની નવચોકીઓમાં ગૂઢમંડપના મુખ્ય દરવાજાની બેઉ બાજુએ અતિ ઉત્તમ કોતરણીવાળો એકેક ગોખલો છે જે બંનેને દેરાણી-જેઠાણીના ગોખલા' નામે ઓળખાવાય છે, વાસ્તવમાં એ બંને ગોખલા મહામાત્ય તેજપાલે જ પોતાની બીજી ભાર્યા મહાદેવીના કલ્યાણ માટે કરાવેલા છે. (બંને ગોખલાઓમાં વિરાજમાન કરેલ તીર્થંકર ભગવાનના નામ સિવાયની તે બંને લેખોની સર્વ હકીકત અક્ષરશઃ સરખી જ છે.)
આ લેખોમાં તેજપાલના પૂર્વજો પિતા આસરાજ-સોમા
6. ચંડપ્રસાદ-ચંડપની હકીકતો આપેલ છે.
લૂણવસહીની મંદિરની ભમતીમાં ૪૮ દેરીઓ પૈકી ૪૩ દેરીઓના દ્વાર (દરવાજાના ઉત્તરંગા) પર લેખો કોતરેલા છે, તેમાંથી ૨૮ દેરીઓ ઉપર તો અમુકના શ્રેય માટે દેરીઓ કરાવ્યા અંગેના મહામાત્ય તેજપાલના જ પોતાના લેખો છે. ૯ દેરીઓનાં દ્વારો ઉપર મહામાત્ય વસ્તુપાલ–તેજપાલના સગાસંબંધીઓ અને મિત્રોએ દેવકુલિકાઓ કરાવ્યા સંબંધીના લેખ છે. ૨૮ લેખો ટૂંકા છે. જેમ કે—
લે. ૨૬૫—મંત્રી તેજપાલના મોટાભાઈ મં. માલદેવની પુત્રી સદમલના શ્રેય માટે દેરી પહેલી.
લે. ૨૬૯—મં. માલદેવના પુત્ર પુનસિંહની ભાર્યા આલ્હણ દેવીના શ્રેય માટે દેરી બીજી.
લે. ૨૭૦—મં. માલદેવની ભાર્યા પાતુ (પ્રતાપદેવી)ના કલ્યાણ માટે દેરી ત્રીજી.
Jain Education International
bato
લે. ૨૭૧-મં. માલદેવની પ્રથમ ભાર્યા લીલૂ (લીલાદેવી)ના કલ્યાણ માટે દેરી ચોથી.
લે. ૨૭૨–મં. માલદેવના પુત્ર પુનસિંહના પુત્ર પેથડના શ્રેય માટે દેરી પાંચમી.
લે. ૨૭૪—મં. માલદેવના પુત્ર પુનસિંહના શ્રેય માટે દેરી છઠ્ઠી. લે. ૨૭૫—મં. માલદેવના કલ્યાણ માટે દેરી સાતમી.
લે.
૨૭૬—મં. માલદેવના પુત્ર પુનસિંહની પુત્રી બાઈ વલાલદેવીના કલ્યાણ માટે દેરી આઠમી.
લે. ૩૬૩—મં. વસ્તુપાલની દ્વિતીય ભાર્યા સોખુકાદેવીના શ્રેય માટે મૂ.ના શ્રી સુપાર્શ્વનાથ ભ.ના બિંબયુક્ત દેરી ૪૨મી. લે. ૩૬૫—મં. વસ્તુપાલની પ્રથમ ભાર્યા લલિતાદેવીના શ્રેય માટે દેરી ૪૩મી.
લે. ૩૬૬—મં. વસ્તુપાલના પુત્ર જયવંતસિંહ (જૈતસિંહ)ના શ્રેય માટે દેરી ૪૪મી.
લે. ૩૬૮, ૩૭૦, ૩૭૨માં વસ્તુપાલના પુત્ર જયંતસિંહની ત્રણ ભાર્યા નામે ૧ જયતલદેવી ૨ સુહવદેવી અને ૩ રૂપાદેવીના કલ્યાણ માટે અનુક્રમે દેરી ૪૫મી, ૪૬મી, ૪૭મી.
લે. ૩૭૪—મં. માલદેવની પુત્રી સહજલના શ્રેય માટે દેરી ૪૮મી.
લે. ૨૯૫-૨૯૬-મં. તેજપાલના પુત્ર લૂણસિંહની (૧) રયણાદેવી અને (૨) લખમાદેવી નામની બે ભાર્યાના કલ્યાણ માટે અનુક્રમે દેરી ૧૭મી અને ૧૮મી.
લે. ૨૯૮—મં. તેજપાલની ભાર્યા અનુપમદેવીના કલ્યાણ માટે શ્રી મુનિસુવ્રતસ્વામિના બિંબયુક્ત દેરી ૧૯મી.
લે. ૩૦૨-મં. તેજપાલની પુત્રી બઉલદેવીના શ્રેય માટે દેરી ૨૦મી.
લે. ૩૦૪—મં. તેજપાલના પુત્ર મં. લૂણસિંહની પુત્રી ગઉરદેવીના શ્રેય માટે દેરી ૨૧મી.
લે. ૩૨૫ થી ૩૨૭—પોતાની સાત બહેનોના શ્રેય માટે
(.....જિનબિંબયુક્ત) સાત દેરીઓ : ૨૬-૨૭-૨૮
૨૯-૩૦-૩૧-૩૫મી મહામાત્ય તેજપાલે કરાવી.
લે. ૩૩૫—પોતાના મામાના પુત્રો ભાભા અને રાજપાલના કહેવાથી મહામાત્ય તેજપાલે પોતાના મામા મંત્રી
For Private & Personal Use Only
www.jainelibrary.org