________________
G
શાશ્વત સૌરભ ભાગ-૧
પર શ્રી લૂંઢા કલ્યાણના રાજ્યનો ઉલ્લેખ છે અને તેમના મંત્રી પૂનસિંહ વ. અમલદારોની જાણ માટે ધર્મશાસન-દાનપત્ર લખેલ છે, જેમાં આબુ પરના શ્રી વિમલ–વસહી ભ્રૂણ–વસહીમાં દેવ શ્રી આદિનાથ-નેમિનાથ પાસેથી (સંઘનું આગમન, કલ્યાણકાદિ પર્વોના ઉત્સવ-મહોત્સવ આદિ પ્રસંગે) જે કાંઈ કપડાં, દ્રમ્સ, ધાન્ય અને સાથવાનો કોળીઓ, પસલી ચંદ્રાવતીના ઠાકોર અને કુમારને મળતું હતું તે બધું મહારાવ શ્રી લૂંઢાજીએ રાજશ્રી વીજડબાઈ અને શ્રી નામલદેવીના શ્રેય માટે યાવત્ ચંદ્ર-દિવાકરૌ આપવા-લેવાની મનાઈ કરી છે.” ત્યારપછી આજ્ઞા લખી છે કે-“અમારા વંશનો અથવા બીજા વંશનો ભવિષ્યકાળમાં આ આબુનો જે રાજા થાય, તેને હું હાથ જોડીને કહું છું કે–મારા આ દાનનું સંપૂર્ણપણે પાલન કરવું......
લે. ૨૪૩ (સુરહી ત્રીજી)માં સં. ૧૩૭૨માં મહારાવ શ્રી સૂંઢાજીના રાજ્યનો ઉલ્લેખ કરી પઘારી જ્ઞાતિના કડૂઆના પુત્ર લૂણમાએ શ્રી વિમલવસહી અને શ્રી લૂણવસહીના કાર્યવાહકો પાસેથી પર્વ-મહોત્સવ પ્રસંગે કાપડ-દ્રમ્મ-ધાન્યસુખડી–વ. ભેટ લેવાનું બંધ કરી તે બંને મંદિરોને જ ભેટ કર્યું.
વીજડનો ઉલ્લેખ લેખ-૧માં છે, વીરધવલનો ઉલ્લેખ લે.નં. ૨૫૦-૨૫૧માં છે. વીરસિંહ લે. ૨૪૧માં છે.
વીસલદેવ-લે.નં. ૨, વિમલવસહીની ભમતીની ૧૩મી દેરીની બહારની દીવાલમાં ૨૪ પંક્તિનો લેખ, સં. ૧૩૫૦નો છે, તેમાં અણહિલ્લપુર-પાટણના મહારાજાધિરાજ સારંગ વાઘેલાનો ઉલ્લેખ છે, તેનો સામંત-મંડલિક રાજા વિસલદેવ આબુના પરમારોના વંશનો અને ચંદ્રાવતીનો રાજા હતો. વિસલદેવના આજ્ઞાપત્ર પ્રમાણે શ્રી વિમલવસહી તથા લૂણવસહી એ બે મંદિરોની પૂજા તથા નિર્વાહ માટે અમુક પ્રકારના વ્યાપારાદિ ઉપર લાગા નાખવાની વ્યવસ્થા તથા એ બંને મંદિરોના યાત્રાળુઓ તથા પૂજારીઓ પાસેથી કોઈ પણ જાતનો મુંડકાવેરો, ચોકી, વળાવું વ. કોઈ પણ નિમિત્તનો કર નહીં લેવાનું ફરમાન કરતો લેખ છે.
વીસા (દેવડા) : લેખ નં. ૪૦૭ (કુંભા દેવડા)માં જુઓ. સગર ચક્રવર્તી : લેખ નં. ૨, ૨૪૦. ‘વ્યાસ ભગવાને કહ્યું છે કે–સગર ચક્રવર્તી વ. ઘણા રાજાઓએ પૃથ્વી ભોગવી છે પણ દાન કરતી વખતે તે ભૂમિ જેની હોય-જે ભૂમિતિ હોય તેને જ તે દાનનું શુભ ફળ મળે છે.” આવો ઉલ્લેખ સં. ૧૩૫૦ના પાટણના રાજા શ્રી સારંગદેવના લાગા વ્યવસ્થા સંબંધી લેખમાં છે, જે વિમલવસહીની ભમતીની ૧૩મી દેરીની
Jain Education International
૦૫
બહારી દિવાલમાં છે, વધુ માટે જુઓ લેખ નં. ૨, વિસલદેવનો સંદર્ભ. સંવત્ ૧૩૭૩ના લેખ નં. ૨૪૦માં પણ ‘સગર’નો ઉલ્લેખ અગાઉ પ્રમાણે જ છે. સમરસિંહ : લેખ નં. ૧માં ઉલ્લેખ.
સરજ્યુરાવ|સરયૂરાવ : લે. નં. ૬૬૪-અચલગઢમાં શ્રી કુંથુનાથ પ્રભુજીના દેરાસરની બહારના જમણી તરફના ચોતરાના ખુણામાં એક ‘ગધૈયો’ (ગધેગાળના) પથ્થરમાં સં. ૧૬૩૪નો લેખ છે, જે ખૂબ ઘસાઈ ગયેલો છે. સિરોહીના મહારાવ સરજ્યુરાવજીના રાજ્યમાં જૈનમંદિરને લગતો કોઈ દાનપત્ર સંબંધી લેખ છે.
સામંતસિંહ (મેવાડપતિ) : લેખ નં. ૨૫૦માં જુઓ. સારંગદેવ : લે. ૨માં.
સાંડા : લેખ નં. ૨૪૮માં જુઓ.
સોમદાસ : તેમનો ઉલ્લેખ ૩ લેખમાં છે. નં. ૪૬૭માં જુઓ. લેખ નં. ૪૬૯, સં. ૧૫૧૮નો છે. શ્રી ડુંગરપુર નગરમાં, રાવળ સોમદાસના વિજયવંતા રાજ્યમાં શાહ સાભાના પુત્ર, ડુંગરપુરના મહારાજા રામદાસના પ્રધાન શહ સાલ્હાએ ૧૨૦ મણ ધાતુની એક મનોહરમૂર્તિ ડુંગરપુરમાં કરાવી, તેની શ્રીમાન્ લક્ષ્મીસાગરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી હતી.
સં. ૧૫૨૯ના વૈશાખ વદ-૪ને શુક્રવારે, શ્રી ડુંગરપુર નગરમાં રાજા શ્રી સોમદાસના વિજયવંતા રાજ્યમાં, તેના પ્રધાનોમાં મહાપ્રતાપી મુખ્ય પ્રધાન શાહ સાલ્હા વ. શ્રીસંઘના પ્રયાસથી આ (ધાતુમય મનોહર) શ્રી આદિનાથ ભગવાનની મૂર્તિ બની અને તેની પ્રતિષ્ઠા તપાગચ્છના શ્રી લક્ષ્મીસાગરસૂરિજીએ કરી હતી.
લે. નં. ૪૬૯ અને ૪૭૨વાળી ધાતુની મનોહર મૂર્તિઓ ડુંગરપુરથી લાવીને અચલગઢના ચૌમુખજી મંદિરમાં ગોઠવવામાં આવી.
સોમસિંહદેવ-આ રાજાનો ઉલ્લેખ લે. નં. ૨૫૦૨૫૧માં આવી ગયો છે.
નોંધ : આ યાદીમાં ખાસ મહારાજાઓ અને રાજાઓનાં નામો જ એકંદરે આવેલ છે, તે સિવાયના અપ્રસિદ્ધ દેવડા, રજપુત, ઠાકોર, દરબાર અને જાગીરદારોનાં નામો આબુના લેખોમાં આવે છે પણ આ સંક્ષિપ્ત લખાણમાં તેનો ઉલ્લેખ કર્યો નથી.
For Private & Personal Use Only
www.jainelibrary.org