________________
૫૮
ધન્ય ધરા
S
મહોલ્લાને, શેરી-ચૌટાને શણગારવામાં મશગૂલ છે. પોતે પણ બધાં નવાં નવાં વસ્ત્રો અને અલંકારથી સજ્જ થયાં છે. જાણે કોઈ મોટો તહેવાર!
ચોરે ને ચૌટે, ચકલે ને ચોકે, બજારે ને ગંજમાં બધે લોકો લાંબા લાંબા હાથ કરી એક જ વાત કરતાં હતાં. માન્યામાં ન આવે એવી વાત હતી. “અરે ! સાંભળ્યું? નગરમાં આજે હાથી ફરવાનો છે ! પાટણની ગલીઓમાં હાથી ન પ્રવેશે એવો કાયદો છે!”
કોઈએ કહ્યું: “હૃદયનો ઊછળતો ઉલ્લાસ કાયદાને ગણકારતો નથી. આજ તો સમસ્ત ગુજરાત ગૌરવભેર મસ્તક ઉન્નત રાખીને ફરે તેવું બન્યું છે!” | ગુજરાતના એક સપૂત, મૂર્ધન્ય વિદ્વાને માત્ર એક વર્ષના સમયમાં પોતાના સાધુ-જીવનની બધી આચાર-સંહિતાના પાલન કરવા પૂર્વક સવા લાખ શ્લોક પ્રમાણ નવીન વ્યાકરણ – પંચાંગી પૂર્વક - રચી આપ્યું, તેની આજે સમ્માન-યાત્રા છે. હાથીની અંબાડી ઉપર તે પધરાવવામાં આવશે અને સમગ્ર શહેરના માર્ગો પર તેને ફેરવવામાં આવશે. નગરનાં હજારો નર-નારીઓ સમેત સાધુ ભગવંતો પણ એ યાત્રામાં જોડાશે. આજનો દિવસ ધન્ય બનશે. ઇતિહાસમાં અમર બનશે.
રાજા સિદ્ધરાજપણ આ યાત્રામાં જોડાયા. વિરલ રચના કરનાર આચાર્ય શ્રી હેમચન્દ્રસૂરિ મહારાજા પણ જોડાયા.
અભુત દશ્ય રચાયું. જ્યાં જ્યાંથી આ ગ્રન્થની સ્વાગત-યાત્રા પસાર થઈ ત્યાંથી તેને મોતીથી વધાવ્યા, ઓવારણાં લીધા; એનાં ગીતો ગાયાં, વાજિંત્રના મધુર લય સાથે તાલબદ્ધ રાસ લીધા. એવી ધામધૂમ થઈ કે આખું નગર હિલોળે ચડ્યું. | ગુજરાતમાં સારસ્વત યુગનાં પગરણ મંડાયાં. મા શારદાનું સિંહાસન સ્થપાયું. રાજા સિદ્ધરાજે પણ વિદ્યાનું ઉત્તમ અને અનેરું સમ્માન કરી અનેક અન્ય રાજ્યોને રાહ ચીંધ્યો. વિદ્યા એતો લાખેણું વરદાન છે. વિદ્યાની દેવી કોઈકના જ ગળામાં વરમાળ આરોપ છે. એવી સુભગ પળ મળે ત્યારે તેને વધાવી લેવી જોઈએ. વિદ્યા તો સદા સન્માન પામે છે. ધન-સંપત્તિથી પણ અદકેરું બહુમાન કરવું જોઈએ. વિદ્યા તો દીવો છે. વિદ્યા વિવેકને પ્રગટાવે છે. દીપ
જ્યોતની જેમ જીવનને ઊર્ધ્વગામી બનાવે છે અને સદા ઉન્નત રહે છે.
અજબ શક્તિના ભંડાર સમી આ વિદ્યા અને ગુજરાતમાં તેનું પ્રથમ સોપાન સ્થાપન કરનાર શ્રી હેમચન્દ્રાચાર્ય અને શ્રી સિદ્ધરાજ જયસિંહ બન્નેને અમર કરતું “શ્રી સિદ્ધ હેમ શબ્દાનુશાસન” ચિરકાળ જયવંતું વર્તો !!!
000
પરમાહર્ત રાજા કુમારપાળે ગિરનાર અને ગિરિરાજ શત્રુંજયનો છ'રી પાળતો સંઘ પાટણથી કાઢ્યો છે. કલિકાલ સર્વજ્ઞ વગેરે અનેક આચાર્ય ભગવંતોની નિશ્રા છે. આ વિશાળ સાજન-માજન સાથેનો સંઘ પ્રામાનુગ્રામ મુકામ કરતો વલ્લભીપુર નગરની બહાર આવ્યો છે. ત્યાં પાદરમાં ઈસાળવો અને થાપો નામના બે પહાડ ઊભા છે. આજે આ બે પહાડ ચમારડી ગામના સીમાડામાં આ જ નામે ઓળખાય છે. ત્યાં જ આ સંઘનો પડાવ છે. - હાથી, ઘોડા, ઊંટ, રથ, ગાડાં સાથે હજારો ભાવનાશાળી અને ભાગ્યવાન યાત્રિક વર્ગ સાથે શતાધિક સાધુ વર્ગ, વિશાળ સાધ્વી વૃન્દ; આમ સમગ્ર સંઘ તથા સેવક વર્ગ બધાં જ ત્યાં રાત્રિ રોકાણ કરીને રહેલાં છે.
વળતે દિવસે વહેલી સવારે સંઘ આગળના મુકામે જવા પ્રયાણ કરવા તૈયારી કરી રહેલો છે. સૂરજ દેવ ઉદયાચલ પર્વત પર ઊગું ઊગું થઈ રહ્યા હતા. હજુ મશાલચીઓએ મશાલોથી પ્રકાશ પાથરવાનું ચાલુ રાખ્યું હતું. તે વખતે પરમાહર્ત શ્રી કુમારપાળ રાજા પૂજ્ય કલિકાલ સર્વજ્ઞને વિનંતી કરવા આવ્યા. કલિકાલ સર્વજ્ઞને નિશ્ચલ પ્લાનાવસ્થામાં જોઈ રાજા ભાવવિભોર બની ગયા, તેમના હૃદયમાં પ્રમોદભાવનો ઊછાળો આવ્યો.
બે મોટા પહાડોની વચ્ચેની પટ-કુટીમાં - તંબુમાં -પદમાસનમાં વિરાજિત ગુરુદેવ પ્રસન્ન મુદ્રાથી ધ્યાન ધરી રહ્યા હતા. આ દશ્ય જોઈ કુમારપાળ રાજાના હૃદયમાં ગુરુ મહારાજ પ્રત્યેના સદૂભાવની સરવાણીએ સરોવરનું રૂપ ધરી લીધું. ક્ષણવાર મૌન ઊભા રહી ભક્તિ-નમ્ર બની નમન કરી રહ્યા. આ સુભગ પળ હતી. દશ્યની હૃદય પર અંકિત થયેલી આનંદાનુભવની સુખદમૃતિની છાપને ચિરંજીવી બનાવવા આપસના બન્ને પહાડ પર ક્રમશઃ એક પહાડની ટોચ પર ત્રિલોકના નાથ પરમાત્મા શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર અને બીજા પહાડની ટોચ પર પરમ સૌભાગ્યના ભંડાર શ્રી ઋષભદેવ ભગવાનનું મંદિર બનાવવાનો નિર્ણય કર્યો, અને એ રીતે મંદિરો બની ગયાં. વર્ષો સુધી પ્રભુ ત્યાં પૂજાતા પણ રહ્યા.
કાળનો ક્રમ છે. કાળની થપાટ આ મંદિરોને લાગી. અન્ય લોકો પ્રતિમાજીના મસ્તકને પોતાના ઈષ્ટદેવ માની પૂજતા હતા. બન્ને પહાડ વચ્ચે અત્યારે મોટો રસ્તો અને ખુલ્લી જગ્યા થઈ ગઈ છે.પરિવર્તન એ આ સૃષ્ટિનો અફર નિયમ છે. તેને આધીન ઘણું બદલાયું છે. પરંતુ આ સ્થાન તો અડગ છે !
આ ભૂમિમાં યોગેશ્વરના ધ્યાન પરમાણુ પ્રસર્યા તેથી તે જગ્યા
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org