SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ - ૧ . ‘ચાર્જ’ થઈછે અને એટલે જ આટલાં વર્ષો પછી પણ ત્યાં શાન્તિનો અનુભવ થાય છે. કલિકાલ સર્વજ્ઞે જ એક સ્થળે એવું લખ્યું છે તે શબ્દો આ ઘટનાથી પવિત્ર થયેલી જગ્યા માટે પણ અનુરૂપ છે ઃ " भुवे तस्यै नमो यस्यां तव पादनखांशवः । चिरं चूडामणियन्ते ब्रूमहे किमतः परम् ॥” અર્થઃ તે ભૂમિને નમસ્કાર હો જ્યાં આપના ચરણનખનાં કિરણો લાંબા કાળ સુધી મસ્તકના મણિ-મહિમાને ધારણ કરે છે; આથી વધારે શું કહીએ ! ૦૦૦ અખિલાઈના પૂર્ણ ઉદ્ગાતા વિચક્ષણ સૂરીશ્વરજી વિ. સં. ૧૧૯૮ની સાલનું ચાતુર્માસ કલિકાલસર્વજ્ઞ કર્ણાવતીમાં બિરાજમાન હતા. ચાતુર્માસ પૂર્ણ થતાં વિ. સં. ૧૧૯૯ના કાર્તિક સુદિ ત્રીજના દિવસે સિદ્ધરાજ જયસિંહ સ્વર્ગવાસી થયા. આ સમાચાર મળ્યા પછી હવે શું બને છે તે માટે બધા એક કાને અને એક નજરે પાટણ તરફ મીટ માંડીને બેઠાં હતાં. ઘણી ઘણી વાટાઘાટો અને મંત્રણાઓને અંતે, કાર્તિક વદ બીજ, રવિવારે ભૃગશીર્ષ નક્ષત્રમાં કુમારપાળને રાજા તરીકે ઉદ્ઘોષિત કરવામાં આવ્યા. એક અટકળનો અંત આવ્યો. પાટણ એ ગુજરાતની રાજધાની હતી એ વિધાન તો અધૂરું લાગે. પાટણ તો સમગ્ર ભારતની રાજધાની થવાની તૈયારીમાં હતું એ વાક્ય સત્યની વધુ નજીક છે! અને, વિ. સં. ૧૧૯૯ માગસર વદ ચોથ – રવિ-પુષ્યમાં ભારે દબદબાપૂર્વક કુમારપાળનો મહારાજા પદે અભિષેક થયો. ચક્રવર્તીની જેમ રાજા શોભી રહ્યા. રાજ્યની સુરક્ષા, રાજ્યના સીમાડાનો વિસ્તાર, પાડોશી રાજાઓની રંજાડ – આ બધી બાબતો પર ધ્યાન આપવાનું ગોઠવાતું હતું. આ બધા સમાચાર બરાબર મળતાં રહે તેવી જોગવાઈ – ગોઠવણ થયેલી અને તેથી હવે પાટણ જવું જોઈએ એમ વિચારીને પાટણ તરફ વિહાર કર્યો. વિહાર વખતે શુકન સારા થયા, ઉત્સાહ વધ્યો. નિરાબાધપણે પાટણ પહોંચ્યા. મંત્રીશ્વર ઉદયનના હૃદયમાં સમર્પિત ભક્તિ ઘૂઘવતી હતી. બારમા સૈકાના પ્રભાવક શ્રાવકોનાં નામની યાદી કરીએ તો પહેલાં ત્રણ નામ તો મંત્રીશ્વર ઉદયન, બાહડ અને આમડના જ લખવાં પડે તેવા આ ત્રણે પિતા-પુત્ર હતા! બાહોશ, નીડર, ચાણક્ય-બુદ્ધિ અને સમર્પિત રાજ્ય-ભક્ત તેમજ શાસન ભક્ત હતા. મંત્રીશ્વર ઉદયન તરફથી સામૈયું ઠાઠથી થયું. કલિકાલ Jain Education International ૫૯ સર્વજ્ઞ શિષ્ય-પરિવાર સહિત પોસાળમાં વિરાજ્યા. કુમારપાળ પરિચયમાં તો આવ્યા હતા. એમની પાછળ જ્યારે મારાઓ પડ્યા હતા; જીવ-સાટોસાટના ખેલ ખેલીને એક ગામથી બીજે ગામ ભટકતા હતા ત્યારે જ એકવાર ખંભાતમાં, મારાઓથી બચવા, કલિકાલ જે ઉપાશ્રયમાં હતા ત્યાં જ, બાવરા અને વિહ્વળ થયેલા, આવી ચડ્યા. હૃદય ધધ થઈ રહ્યું હતું. શ્રી હેમચન્દ્રાચાર્યે સમયસૂચકતા વાપરી, તેમને તાડ-પત્રના ઢગલા પાછળ છુપાવી દીધા હતા. મારાઓ ત્યાં આવ્યા તો ખરા પણ કોઈ અકળ બળથી કુમારપાળ બચી ગયા ! બહાર નીકળ્યા ત્યારે સાવ નિરાશ અને હતાશ થયેલા બેસી પડ્યા. કલિકાલસર્વજ્ઞે તેમનામાં આશા અને હિંમતનો સંચા૨ થાય તેવાં વચનો કહ્યાં. એ સમયે મંત્રીશ્વર ઉદયન પણ ત્યાં આવી ચડ્યા. તેમણે પણ આ આશાભર્યાં વેણ સાંભળ્યાં. પછી સર્વજ્ઞે તાડ-પત્રનો એક ટુકડો લઈ તેના પર લખી આપ્યું કે તમને આ દિવસે રાજ્યગાદી મળશે. આવાં જ વચનો લખેલો બીજો એક ટુકડો ઉદયન મંત્રીને પણ આપ્યો. કુમારપાળ આવો ભાવિ-સંકેત જાણી ભાવવિભોર થઈઊઠ્યા અને સહસા બોલ્યાઃ “હે પ્રભુ ! જો આપનું કથન સાચું પડશે તો રાજ્ય આપને જ સમર્પિત કરી આપનાં ચરણ-કમળની સેવા કરીશ. ” કુમારપાળમાં કૃતજ્ઞતા નામનો ગુણ ઊંચી કક્ષાએ ખીલેલો હતો. ઉદયન મંત્રીને એટલે જ પૂછ્યું કે રાજ-ગાદીએ બેઠાં પછી કુમારપાળે ક્યારેય પેલી ખંભાતવાળી વાત યાદ કરી હતી ? મંત્રીશ્વરે કહ્યું : “ના, એ વાત બોલ્યાં નથી. બાકી એ રઝળપાટ સમયે એમને સહાયક ઘણી વ્યક્તિઓને તેમણે સંભાર્યા હતા. આલિગ કુંભાર, વણિક-પુત્ર દેવલ, ભીમસિંહ ખેડૂત, બટુક વોર –એ બધાને બોલાવી બોલાવીને ઉચ્ચ સન્માન કર્યાં છે ! કેટલાકને તો અંગ-રક્ષક તરીકે રાખી લીધા છે. પણ આપને યાદ કર્યા નથી. " સામર્થ્યસંપન્ન વિચક્ષણ સૂરીશ્વરે મંત્રીશ્વરના વિશાળ લલાટ ૫૨ ક્ષણ પૂરતી નજર નાખી; એમની રજૂઆતના કારણમાં ન ગયા અને કાંઈક ચિંતન કરી કહ્યું : “તમે અહીંથી જતાં કુમારપાળરાજાને મારું નામ ઉચ્ચાર્યા વિના કહેજો કે આજની રાત તેઓ રાણીના મહેલમાં શયન કરવા ન જાય. પછી કાલે પૂછે ત્યારે જ નામ આપજો. ”રાજા મંત્રીની સલાહ મુજબ રાણીના મહેલમાં ન જતાં, પોતાના સ્થાને જ સૂતાં. સવારે ખબર પડી કે રાત્રે આકાશમાંથી વીજળી પડી અને રાણીનો મહેલ ભસ્મીભૂત થઈ ગયો, રાણી પણ ખાખ થઈ અવસાન પામ્યાં ! શોક અને હર્ષ મિશ્રિત લાગણીથી સ્તબ્ધ રાજા વિહ્વળ થઈ વિચારતાં રહ્યા ! ક્યારે મંત્રીશ્વર આવે અને આવી સચોટ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy