________________
૬૦
ધન્ય ધરાઃ
કરી સાથે સાથે ધાર્મિક અભ્યાસ સુંદર રીતે કરી પોતાના જીવનની નૈયા બદલીને બાલબ્રહ્મચારી સંયમમાર્ગે જવાનું પસંદ કરી ૨૩મા વર્ષ ચિકપેટ, બેંગ્લોર ખાતે પ્રથમ દીક્ષા શ્રી આદિનાથ જૈન સંઘ લેવાઈ, જે જયા પ્રભાશ્રીજીની પ્રેરણાથી.
પ.પૂ. આ. દેવશ્રી નીતિસૂરી સમુદાય આજ્ઞાવર્તી પ.પૂ. અરિહંતસૂરીશ્વરજી મ.સા. સમુદાયમાં આજ્ઞાવર્તી લવ્યાણશ્રીજી સમુદાયમાં પરાયશાશ્રીજી મ.સા.નાં શિષ્યા બની દીક્ષા અંગીકાર કરી તરલાબહેનના બદલે સાધ્વીજી તન્વયશાશ્રીજી નામ ધારણ કરી બેંગ્લોર તેમ જ સમાજનું નામ રોશન કરી અત્યારે સંયમને ૪૦ વર્ષ થયાં પોતાનું સંયમજીવન વિતાવે છે.
તેમનું મનોબળ એકદમ મક્કમ હોવાથી ચારિત્ર સુંદર રીતે પાળી સાથે સાથે તપમાં તેમણે માસક્ષમણ-સિદ્ધિતપ- વરસીતપ-શ્રેણિકતપ, ૨૦ ઉપવાસ, ૨૦ સ્થાનકની ઓળી, સોળ ઉપવાસ, અઠ્ઠાઈ તેમ જ ૧૦૮ અઠ્ઠમતપ અને ૩ નવ્વાણું યાત્રા એવી નાની મોટી અન્ય તપશ્ચર્યા કરી હતી.
સંકલન : પ્રવિણભાઈ એમ. શાહ બેંગ્લોર
૨૮૩ ઓળી તપનો વિશ્વવિક્રમ સાધ્વી ભગવંત હંસકીર્તિશ્રીજી મ.સા.
કચ્છ વાગડ સમુદાયના ૫.પૂ. સાધ્વીજી ભગવંત શ્રી હંસકીર્તિશ્રીજી મ.સા.એ ૧૨ વર્ષની ઉંમરે દીક્ષા લીધી હતી અને ૧૫મા વર્ષથી આયંબિલની ઓળીનો પ્રારંભ કર્યો હતો. અત્યારે તેમની ૬૭ વર્ષની ઉંમર છે. આયંબિલ તપ એટલે કે જેમાં ઘી, ગોળ, દૂધ, દહીં વિગેરે તેમજ લીલા શાકભાજી, મેવો, મીઠાઈ, ફુટ-ફળ વગેરે કશું જ ખવાય નહીં, ૪૮ મીનીટ એક જ જગ્યા પર બેસી દિવસમાં એક જ વાર સુકુ-બાફેલું અને મરચુ, હળદર, જીરૂ વિગેરે મસાલા વગરનું ખાવાનું હોય છે. ૧ થી ૧૦૦ ઓળી પૂર્ણ કરતા ૧૪ વર્ષ લાગે તેવી જ રીતે ૨૮૭ ઓળી પૂર્ણ કરતાં ૪૦ વર્ષ લાગે. પૂ. સાધ્વી ભગવંત હંસકીર્તિશ્રીજી મ.સા.એ ૪૦ વર્ષથી કોઈપણ પ્રકારનો સ્વાદિષ્ટ કે શક્તિવાળો ખોરાક ખાધો નથી. વર્તમાનમાં જિનશાસનમાં ૮000 જૈન સાધુ-સાધ્વી ભગવંત છે જેમાંથી માત્ર પૂ. સાધ્વી ભગવંત શ્રી હંસકીર્તિશ્રીજી મ.સા. એક જ છે જેઓ ૨૮૭ ઓળી કરી શક્યા છે. આ પહેલા ૨૮૯ ઓળી પ.પૂ.આ.ભ.શ્રી રાજતિલકસૂરિજી મહારાજાએ કરી હતી. વર્તમાનમાં તેઓ હયાત નથી. પૂ.સા. હંસકીર્તિશ્રીજી મ.સા. પણ તપ-જપ-ત્યાગમાં, જ્ઞાનમાં અગ્રેસર છે.
અગ્નિકાપલી કથા
હે મહાસતી ! વરસતા વરસાદમાં તમે ગોચરી કેવી રીતે લાવ્યા?
ગુરુદેવ! જ્યાં જ્યાં સચિત્ત પાણી હતું તેને ઉપયોગ રાખી ગોચરી લાવી
એટલે....પુષ્પચુલા સાધ્વી વૈયાવચ્ચ કરતાં અપ્રતિપાતિગુણના કારણે કેવળી થયા હતા. ....
કેવલી તોય આચાર્યની, કીધી વૈયાવચ્ચ અપાર, પુષ્પચૂલા સ્વયં તરી તમે, અર્ણિકાપુત્રને કીધા પાર.
*
*
'
/ Inni
રેખાંકન : સવજી છાયા, દ્વારકા
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org