SearchBrowseAboutContactDonate
Page Preview
Page 695
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૧ o૫ પ.પૂ. આ. દે. શ્રીમદ્વિજય જગતુચંદ્રસૂરીશ્વરજી મ.સા. ૫. પૂ. આ. દેવશ્રીમદ્વિજય ગુણરત્નસૂરીશ્વરજી મ.સા. ઇત્યાદિ આચાર્યો તથા પંન્યાસજી અનેક ગણિવર્યો તથા દ્વિશતાધિક શ્રમણશ્રમણીની પાવન ઉપસ્થિતિ તેમ જ હજારોની જનમેદની સમક્ષ પ.પૂ. ગચ્છાધિપતિશ્રીનાં જ વરદ હસ્તે પ. પૂ. ગુરુદેવશ્રી પુણ્યરેખાશ્રીજી મ.સા. ને ઉત્તમ શ્રેષ્ઠ પ્રવર્તિની પદ ઉપર આરૂઢ કરાયાં. આવાં પ્રશાંતમૂર્તિ, વાત્સલ્યદાત્રી, ઉત્કૃષ્ટ ત્યાગી-વૈરાગી અને ૨૧૭ શિષ્યા-પ્રશિષ્યાઓનો વિશાળ શ્રમણી વૃંદ ધરાવતાં પૂ. સાધ્વીશ્રી પુણ્યરેખાશ્રીજીને કોટિ કોટિ વંદન હો! સૌજન્ય –પ્રવર્તિની સાધ્વી શ્રી ગુણજ્ઞરેખાશ્રીજી મહારાજની પ્રેરણાથી સંઘવી ભેરૂમલજી પરિવાર સાધ્વીશ્રી અપિતગુણાશ્રીજી મ.સા. સંકલન : પ્રવીણભાઈ એમ. શાહ ઉણ-બેંગ્લોર. ભારત વર્ષમાં કાંકરેજી ગાયો માટે પ્રખ્યાત એવું ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લામાં આવેલું કાંકરેજ તાલુકામાં સુંદર રળિયામણું ગામ ઉણ જે જીવ વિચાર ગ્રંથ રચનાકાર વાદીવેતાલ શ્રી શાંતિસૂરીશ્વરજી મ.સા.ની જન્મભૂમિ-પ્રાચીન મહા મહિમ ઉણ તીર્થ મંડન શ્રી ધર્મનાથ પ્રભુના જિનાલયથી સુશોભિત ઉણ ગામે રહેતા સંઘમાં આગેવાની સંભાળતા શ્રી માનચંદલાલ નગીનદાસ શાહના ઘેર માતા કેશરબહેનની કુક્ષિએ ઈ.સ. ૧૯૬૮ની મે માસની પાંચમી તારીખે કુલદીપિકા અંજનાનો જન્મ થયો. સમયની રફતાર પૂરજોશમાં જઈ રહી હતી. બાલ્યવસ્થામાં દાદી મણિબહેનના સુસંસ્કારો સિંચન કર્યું હતું. છોડને વાવીએ ત્યારે તેને પાણી ખાતરની જરૂર પડે છે તેમ અંજનાને ધર્મરૂપી સંસ્કારનું સિંચન મળ્યું હતું. ધર્મના રંગે રંગાયેલ ધીરે ધીરે યુવાવસ્થા આવ્યા પછી ધાર્મિક અભ્યાસ શરૂ કરી પોતાનું મનોબળ એકદમ નક્કી કર્યું કે મારે સંસારમાં રહેવું નથી, સંયમયાત્રા કરવી છે.' સાધુ-સાધ્વીના સમાગમમાં આવ્યા પછી તો વધારે મનોબળ મક્કમ થયું. સમય કોઈની રાહ જોતો નથી. તેવી જ રીતે ચારિત્રસાધના, જ્ઞાનસાધના, તપસાધના, યાત્રાસાધનામાં અડગ રહી તેમણે પરિપૂર્ણ કરી. વ્યાવહારિક અભ્યાસ સાધારણ કર્યો હતો. પરિપકવતા જોઈ એમના માતા-પિતાએ દીક્ષાની રજા આપી ત્યારે કલદીપિકા અંજનાના હર્ષનો પાર ન રહ્યો. ઝમી ઊઠી અને ત્યારપછી પ.પૂ. આ. દેવશ્રી નીતિસૂરિજી મ.સા. સમુદાયવર્તી પ.પૂ. આ.દેવશ્રી હેમપ્રભસૂરિ પાસે દીક્ષાપ્રયાણનું મુહૂર્ત કઢાવેલ. દીક્ષાનું શુભમૂહુર્ત સૂર્યકિરણે ઝળહળતો દિવસ હતો. સંવત ૨૦૪૫ની સાલ ફાગણ સુદ ત્રીજ આવેલ. સકલ સંઘને જાણ કરી. આ વખતે સકલ સંઘે કહ્યું કે “તમે કોઈ ચિંતા ન કરશો. અમે બધી જ વ્યવસ્થા કરીશું. તમે કોઈ જાતની ચિંતા ન કરશો.” આ સમયે ત્રણ દીક્ષા હોવાથી મહોત્સવનું આયોજન કરવામાં આવેલ ત્યારે વાલપુરાથી મુમુક્ષુ કિરીટભાઈ, ઉણથી મુમુક્ષુ અંજનાબહેન, ઉણથી મુમુક્ષુ રસીલાબહેન એમ એક સાથે દીક્ષાના ભવ્ય વરઘોડા નીકળેલ. સિદ્ધચક્રપૂજન ભણાવેલ. સ્વામીવાત્સલ્યનું આયોજન કરવામાં આવેલ. પ.પૂ. આ. દેવશ્રી હેમપ્રભસૂરીની નિશ્રામાં દીક્ષા અંગીકાર કરેલ. પૂ. સાધ્વીજી શુંભકરાશ્રીજીના શિષ્યા બની તેમનું નામ શ્રી સાધ્વીજી અર્પિતગુણાશ્રી મ.સા. જાહેર કરવામાં આવેલ તે પ્રસંગે તેમના ભાઈઓ બહુ જ યાદ આવ્યા. તે વખતે અંજનાને મોટાભાઈ પ્રવીણભાઈએ ઉપાડી ફૂદરડી ફેરવી ત્યારે ભાન ભૂલાવી શકે તેવું દૃશ્ય હતું. સંયમ જીવન લીધા પછી કુળ દીપાવી પ્રગતિના સોપાન સર કરી આગળ વધ્યા. ચારિત્રસાધના–ચોસઠ પ્રહરી પૌષધ, શેત્રુંજય તીર્થે ચોમાસાં, ઉપધાન તપ. તપસાધના–વર્ષીતપ, આયંબિલતપ, નવપદજી, વર્ધમાન તપની ઓળી, અઠ્ઠાઈતપ, સિદ્ધિતપ, અન્ય વિશેષ તપશ્ચર્યા કરી. યાત્રાસાધના–શત્રુંજય યાત્રા છ'રીપાલક સંઘ નવ્વાણુ યાત્રા, સમેતશિખરજી, ગિરનાર વગેરે યાત્રા કરેલ. પૂ. સાધ્વીજી મ.સા. શિષ્યા છે. સાધ્વી તત્ત્વયશાશ્રીજી મ.સા. બેંગ્લોર ખાતે રહેતા શ્રી જેચંદભાઈ લલ્લુભાઈ શાહ માદરે વતન રાજપરા (તણસા–ભાવનગર)વાળાના ઘરે માતા રસીલાબહેનની કુક્ષિએ પુત્રીનો જન્મ થયો તેનું નામ તરલાબહેન પાડ્યું. નાનપણથી ઘરમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન હોવાથી તરલાબહેને ઈંગ્લિશ હાઇસ્કૂલ ભણી સુંદર રીતે S.S.C. પાસ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only ation International For Private & Personal Use Only
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy