________________
૬૩૬
ધન્ય ધરા:
દરમ્યાન તેઓશ્રીની પ્રેરણાથી નારણપુરા ચારરસ્તા પાસે ઉપાશ્રયનું નિર્માણ થયું અને સં. ૨૦૫૦નું ચાતુર્માસ પણ એ નૂતન ઉપાશ્રયમાં કર્યું. સં. ૨૦૫૧માં સર્વપ્રથમવાર ગિરનારજી મહાતીર્થની ચતુર્વિધ સંઘ સહ સામૂહિક ૯૯ યાત્રા ૯૦ દિવસીય યશસ્વી આયોજન પણ ગણિવર્યની નિશ્રામાં થયું. સં. ૨૦૧૩માં શંખેશ્વરજી મહાતીર્થમાં ચાતુર્માસ દરમ્યાન, પૂજયશ્રી દ્વારા સંપાદિત “બહુરત્ના વસુંધરા (ભાગ ૧ થી ૪) પુસ્તકના પ્રથમ બે ભાગમાં વર્ણવાયેલા વિશિષ્ટ કોટિના આરાધક રત્નોનું અત્યંત અનુમોદનીય બહુમાન ભા.સુ. ૧૫ના દિવસે પ000જેટલા ભાવિકોની હાજરીમાં, માલવભૂષણ, તપસ્વીરન, પ.પૂ. આ.ભ. શ્રી નવરત્નસાગરસૂરીશ્વરજી મ.સા. તથા પૂ. ગણિવર્યશ્રીની સંયુક્ત નિશ્રામાં યોજાયેલ. જેમાં ભારતના ૭ રાજ્યોમાંથી ૮૫ જેટલા ઉત્કૃષ્ટ આરાધકરત્નોનું બહુમાન થયેલ. સં. ૨૦૧પમાં ઉદયપુર (મેવાડ) શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘના ઉપક્રમે થયેલ ભવ્ય ચાતુર્માસ દરમ્યાન ત્યાંના અછલગચ્છીય ૧૫૦ વર્ષ પ્રાચીન શ્રી ઋષભાનન સ્વામી ગૃહ જિનાલય તથા ઉપાશ્રયનું પૂજ્યશ્રીની પ્રેરણાથી પાયાથી સંપૂર્ણ જીર્ણોદ્ધાર શરૂ થયું અને સં. ૨૦૫૯માં નવનિર્મિત ૨ માળના ભવ્ય શિખરબદ્ધ જિનાલયની પ્રતિષ્ઠા તથા અતિથિગૃહ, ઉપાશ્રય, ભોજનાલય, વ્યાખ્યાન હોલ આદિથી યુક્ત ૪ માળના ભવ્ય અચલગચ્છીય જૈન ભવનનું ઉદ્દઘાટન જેઠ સુદિ પના ગણિવર્યશ્રીની પાવન નિશ્રામાં થયું અને તેમાં પ્રથમ ચાતુર્માસ પણ એ જ વર્ષે પૂજ્યશ્રીનું થયું. સં. ૨૦૧૬માં પાલિતાણા-કચ્છીભવનમાં ચાતુર્માસ દરમ્યાન અધ્યાત્મયોગી પૂ.પૂ.આ.ભ. શ્રીમદ્ વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા. આદિ ૧૭ આચાર્ય ભગવંતોની નિશ્રામાં ત્રણેકવાર પ્રવચન આપવાનો મોકો પૂજ્યશ્રીને મળ્યો. સં. ૨૯૫૭માં મુંબઈ-માટુંગામાં તપસ્વીરત્વ, અચલગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ. શ્રીમદ્ ગુણોદયસાગરસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં ચાતુર્માસ દરમ્યાન ૮૨ દિવસીય ધર્મચક્ર તપની આરાધના પણ પૂજ્યશ્રીએ કરી.
કે સં. ૨૦૧૮માં દહિસર પૂર્વ (મુંબઈ)માં અચલગચ્છ જૈન
સંઘમાં વર્ષો બાદ પ્રથમવાર પૂજ્યશ્રીનું અવિસ્મરણીય આરાધનાપૂર્ણ યશસ્વી ચાતુર્માસ થતાં સંઘમાં દરેક ક્ષેત્રે અનેરી ધર્મચેતના જાગ્રત થતાં ત્યારથી દર વર્ષે સુંદર
ચાતુર્માસો થતા રહ્યા છે. સં. ૨૦૬૧માં કચ્છ-નાગલપુરમાં ચાતુર્માસ દરમ્યાન ત્યાંની
“આર્યરક્ષિત જૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠના બાળકો માટે દરરોજ પૂજ્યશ્રીએ ખાસ પ્રવચન ગોઠવી બાળકોનું સુંદર સંસ્કરણ કર્યું. સં. ૨૦૬૨માં શેષકાળમાં ૨ | મહિના સુધી કચ્છ-૭૨ જિનાલય મહાતીર્થ મળે ૫૦ જેટલા સાધુ-સાધ્વીજી ભગવંતો સમક્ષ “શ્રી ઉપમિતિ ભવ પ્રપંચ મહાકથા', જ્ઞાનસાર' વિગેરે ગ્રંથરત્નોના આધારે રોજ ૨ ટાઈમ ૩ કલાક સુધી ખૂબ જ અનુમોદનીય વાચનાઓ આપી. સં. ૨૦૬રના પોતાની જન્મભૂમિ મોટી ઉનડોઠ (તા. માંડવી-કચ્છ) જૈન સંઘમાં વર્ષો બાદ ચાતુર્માસ થયું. આ ચાતુર્માસમાં જૈનેતરોએ પણ સારી સંખ્યામાં વ્યસનોના ત્યાગ કર્યા તથા પર્યુષણમાં મુસલમાન વિગેરે જ્ઞાતિના લોકોએ પણ ઉપવાસ, ૧૦ ઉપવાસ વિગેરે તપશ્ચર્યા કરી. ૯ શ્રાવકોએ સકલ સંઘ સમક્ષ કેશલોચ કરાવ્યો. દેવદ્રવ્યસાધારણ દ્રવ્ય-જીવદયા-વૈયાવચ્ચ દ્રવ્ય વિગેરે રેકર્ડરૂપ આવક થઈ. ૬ સંઘપતિ પરિવારો તરફથી સકલ સંઘ તથા આવેલા હજારો મહેમાનો તથા ચૈત્ય પરીપાટીરૂપે પધારેલા ૧૦૦થી અધિક સંધોની સુંદર સાધર્મિક ભક્તિ કરવામાં આવી. રોજ સવારે સમૂહ દેવવંદને, ૨ ટાઈમ વ્યાખ્યાન, ૨ ટાઈમ સમૂહ પ્રતિક્રમણ તથા અનેકવિધ તપશ્ચર્યાઓ, અખંડ જાપ વિગેરેમાં ખૂબ સારી સંખ્યામાં ઉલ્લાસપૂર્વક જોડાયા. દીવાળી વેકેશનમાં ૧૮ દિવસ સુધી સુંદર શિબિર યોજાઈ. દેરાણી-જેઠાણી તથા મા-દીકરી વચ્ચેના અબોલા દૂર થયા. ૩ નગર પ્રવેશ દ્વાર આદિનું નવસર્જન થયું, ૯ લાખ નવકાર જાપ, ૩ કરોડવાર અહં નમઃ જાપ, જીવનમાં ૧૮ હજાર વાર ગુરુવંદન, ૪ મહિના સળંગ એકાસણા-બ્લાસણા વિગેરે પ્રતિજ્ઞામાં પણ ખૂબ સારી સંખ્યામાં લોકો જોડાયા. ૧૪ દંપતિઓ સહિત ૪૨ ભાગ્યશાળીઓએ વિધિપૂર્વક બ્રહ્મચર્યવ્રતનો સ્વીકાર કર્યો. પધારેલા ૧૦૦થી અધિક સંઘોને પૂજ્યશ્રીએ “સમતાની સુખડી' આપી...ઇત્યાદિ અનેક દૃષ્ટિએ પૂજ્યશ્રીના ૩૨
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org