________________
શાશ્વત સૌરભ ભાગ-૧
પર ડગલાં માંડી રહ્યા. ગ્રંથોનું વાચન અને અવગાહન. ગ્રંથના એકેએક શબ્દને ઓળખવાનો. એના મર્મને જાણવાનો.
ને
દાદાગુરુના ગ્રંથો વંચાતા ગયા. ઊંડું ચિંતન થતું ગયું. ઉજાસ પ્રગટતો ગયો. તપ વધતું ગયું. ધ્યાન અવિરત ચાલુ વિજાપુરના શ્રીમદ્ બુદ્ધિ-સાગરસૂરિ જૈન મંદિર ખાતે સકળ સંઘની હાજરીમાં મુનિશ્રી ઉદયકીર્તિસાગરને ધામધૂમપૂર્વક પંન્યાસપદવીથી અલંકૃત કરવામાં આવ્યા. ઉમેશમાંથી ઉદયકીર્તિસાગરને મુનિ ઉદયકીર્તિ-સાગરમાંથી પંન્યાસ શ્રી ઉદયકીર્તિસાગર મહારાજ સાહેબ.
આજ દિન સુધીમાં પંદરેક પુસ્તકોનું અર્પણ એમણે ગુજરાતી સાહિત્યનાં ચરણે કર્યું છે. આજથી વીસેક વર્ષ પૂર્વે એમણે કલમ ઉપાડી ને શરૂ થઈ ગઈ એમની સર્જનયાત્રા. જૈન ધર્મની જીવનવાચક કથાઓ એમની કલમ દ્વારા કંડારાતી ગઈ અને યુવાનવર્ગમાં આંદોલનો જગાવી ગઈ.
પંન્યાસપ્રવર શ્રી ઉદયકીર્તિસાગર મહારાજે વર્ણવેલા પ્રસંગો પ્રેરણાના ધોધ સમાન છે. જેને જેટલું જોઈએ એટલું પ્રેરણાજળ લઈ શકે છે, પી શકે છે, સંતૃપ્ત થઈ શકે છે. આવા તો અનેક વિષયો આ ગ્રંથ શ્રેણીમાં આલેખાયા છે, જે વાંચનારના જીવનમાં પરમ ઉદ્યોત્ કરી દે છે!
એમની પ્રાસાદિક અને પ્રવાહી વાધારા એમનાં વ્યાખ્યાનો સાંભળવાં એ પણ જીવનનો મહામૂલો લહાવો છે. પ્રેરણાત્મક ઘરેલુ ઉદાહરણોને કારણે એમની વાણી સૌનાં હૃદયને સ્પર્શી જાય છે. એમનો અસ્ખલિત વાપ્રવાહ જૈનો જ નહીં જૈનેતરોને પણ સ્પર્શી જાય છે. એમનાં શિષ્યરત્નો : મુનિ શ્રી વિશ્વોદયકીર્તિસાગર અને મુનિ વિદ્યોદય કીર્તિસાગર.
પંન્યાસ શ્રી ઉદયકીર્તિસાગર મહારાજ પાસે જગત અને જિવાતા જીવનને જોવાની અને મૂલવવાની આગવી દૃષ્ટિ છે. પૂજ્ય પંન્યાસ પ્રવરશ્રી અજિતશેખરવિજયજી મહારાજ
પૂજ્ય પંન્યાસ પ્રવરશ્રી અજિતશેખરવિજયજી મહારાજ વર્તમાનકાલીન જૈન શાસનમાં અગ્રગણ્ય વિદ્વાન મહાત્માઓની હરોળમાં ગણાય છે. પૂજ્ય આચાર્ય શ્રી પ્રેમ-ભુવનભાનુ– જયઘોષ ધર્મજિત-જયશેખર-અભયશેખરસૂરિ આદિ પવિત્ર ગુરુવર્યોના પરમ કૃપાપાત્ર શિષ્ય છે. જ્ઞાન-સાધના કરવી તથા જ્ઞાન-સાધક અન્યને સહાયક થવું, રુચિ-રસ ઊભાં કરવાં અ પૂજ્યશ્રીનો શ્રેષ્ઠ ગુણ છે. જ્ઞાનાવરણીયના અદ્ભુત ક્ષયોપશમથી
Jain Education International
૬૩૫
શાસ્ત્રના કઠિન-જટિલ ગણાતા પદાર્થોને સહેલાઈથી બીજાના મગજમાં ઉતારવાની હથોટી ધરાવનાર પૂજ્યશ્રી શ્રેષ્ઠ પ્રવચનકાર છે. જ્યાં જ્યાં વિચરણ કરે છે ત્યાંની વ્યક્તિને પૂજ્યશ્રીના નિર્દભ–નિષ્કપટ, શાંતિપ્રિયતા વગેરે ગુણવૈભવ પ્રત્યે આકર્ષણ સાહજિક થઈ જાય છે. વકતૃત્વકલાની જેમ લેખનકલામાંય પૂજ્યશ્રી માહિર છે. બાળ-યુવાન–વૃદ્ધ દરેક પૂજ્યશ્રી દ્વારા લિખિત ૩૫ જેટલા પુસ્તકોનું રસપૂર્વક વાચન કરે છે. સ્યાદ્વાદમંજરી–પ્રતિમાશતક, ધર્મસંગ્રહણી ભાગ-૧ તથા ભાગ-૨ આ ગ્રંથોના કરેલ સુંદર અનુવાદનું વાચન ચતુર્વિધ સંઘમાં થઈ રહ્યું છે.
આગમાભ્યાસી, ધ્યાનપ્રિય, મધુરવક્તા,
પૂ. ગણિવર્ય શ્રી મહોદયસાગરજી મ.સા.
કચ્છ-ચાંગડાઈ એમની
જન્મભૂમિ. જન્મ દિવસ વિ.સં. ૨૦૦૮, અષાઢ સુદિ ૭, રવિવાર, તા. ૨૯-૬-૫૨, સંસારી અવસ્થાનું
નામ મનહરલાલ.
પાંચ પાંચ વર્ષના અનેક પ્રયત્નો છતાં પણ પિતાશ્રી રાયશીભાઈ દ્વારા દીક્ષા માટે સંમતિ ન મળતાં છેવટે સંયમપ્રેમી માતુશ્રીના તથા ઉપકારી નાનીમા દેવકાંબાઈના શુભાશીર્વાદ લઈ સં. ૨૦૩૧માં મહા સુદિ-૩નાં, કચ્છ-દેવપુર ગામમાં પોતાના ડિલ બહેન વિમળાબાઈ (હાલ પૂ. સા. શ્રી વીરગુણાશ્રીજી મ.) સાથે પ્રવજ્યાના પુનીત પંથે પ્રસ્થાન કર્યું અને મનહ૨માંથી મુનિશ્રી મહોદયસાગરજી બની અચલગચ્છાધિપતિ, ભારત દિવાકર, તીર્થ પ્રભાવક, પ.પૂ. આચાર્ય ભગવંત શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ.સા.નું શિષ્યત્વ સ્વીકાર્યું. વડી દીક્ષા પણ દેવપુરમાં જ થઈ. વિનય-વૈયાવચ્ચ દ્વારા અદ્ભૂત ગુરુકૃપા પ્રાપ્ત કરી.
તા. ૭-૩-૧૯૯૧, સં. ૨૦૪૭, ફાગણના પાલિતાણા મહાતીર્થ મળ્યે, તપસ્વીરત્ન, અચલગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ. શ્રી ગુણોદયસાગરસૂરીશ્વરજી મ.સા.ના વરદ હસ્તે મુનિવરમાંથી ગણિવર બની શાસન, સંઘ, સમાજ અને ગચ્છની ઉન્નતિના અનેકવિધ શુભકાર્યોમાં પ્રેરણા-નિશ્રા તથા માર્ગદર્શનની સાથે આત્મસાધનામાં પણ અપમત્તપણે આગળ ધપી રહ્યા છે. * સં. ૨૦૪૯માં અમદાવાગ (મણિનગર)ના ચાતુર્માસ
For Private & Personal Use Only
www.jainelibrary.org