________________
શાશ્વત સૌરભ ભાગ-૧
ચાતુર્માસોમાં આ ચાતુર્માસ સર્વોત્કૃષ્ટ કહી શકાય તેવું થયું. સૌજન્ય : શ્રી મોટી ઉનકોડ જૈન મહાજન (માંડવી-કચ્છ) પ્રમુખ : નાનજી લખમશી નાગડા, ઉપપ્રમુખ : પ્રવીણ હંસરાજ ખીમસરીયા, મંત્રીઓ : અમરચંદ દેવજી ગડા, જગદીશ લાલજી ગાલા, માવજી લખમશી નાગડા.
સ્વયંભૂ વૈરાગ્યના સ્વામી, માનવતાના મસીહા, પ્રવક્તા પૂ. ગણિવર્યશ્રી કવિન્દ્રસાગરજી મ.સા.
સંસારા નામ કિશોરકુમાર કાકુભાઈ દેઢીયા, જન્મ :–જખૌ (અબડાસા), પિતા કાકુભાઈના કૂળદીપક, માતા મણિબહેનની કૂંખે જખૌ (અબડાસા) ની પાવનધરા પર ઈ.સ. ૧૯૫૭અષાઢ સુદ પૂનમે જન્મ્યા. પૂર્વજન્મના સંસ્કારયોગે ગુરુ દર્શન સંયોગે પૂજ્યપાદ અચલગચ્છાધિપતિ આ.ભ.શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મહારાજાના પાદપડ્યે ૨૦૨૬ કા.વ.૧૩ના દીક્ષા ગ્રહી. સંયમ સ્વીકાર્યું. ગુરુસેવા અને અધ્યયન દ્વારા સંસ્કૃતાદિ અધ્યયન દ્વારા, સહજ વક્તૃત્વ કળા આગમાદિના અધ્યેતા બન્યા. ગુરુ આજ્ઞાએ માત્ર ૧૭ વર્ષની વયે પાલિતાણાના પાવનધરા પર ૧૦૦૦, યાત્રિકોની ૯૯ યાત્રાના નિશ્રાદાતા બન્યા. પૂ. અચલગચ્છેશ આ.ભ. શ્રી ગુણસાગરસૂરિજી મ.સાહેબે પોતાના શિષ્ય મુનિરાજશ્રી કવિન્દ્રસાગરજી મ.સા.ને વ્યાખ્યાનાદિ પ્રવૃત્તિ કાજે તપસ્વીરત્ન આ. ભ. શ્રી ગુણોદયસાગરસૂરિજી મ.સા.ની સેવા સેવા-શાસન પ્રભાવના આદિ કાર્યો માટે પૂ. તપસ્વીરત્ન સાથે રહેવાની આજ્ઞા આપી. પૂ. મુનિરાજશ્રી કવિન્દ્ર સાગરજી મ.સા.ને સં. ૨૦૪૭ની સાલે પૂ. ગચ્છનાયક અચલગચ્છેશ આ.ભ.શ્રી ગુણોદયસાગરસૂરિજી મહારાજાએ ફા.વ. ઉના ગણિપદારૂઢ સ્થાપ્યા. પ્રતિષ્ઠા-અંજનશલાકા આદિ અનેક શાસનના કાર્યો પૂ. ગણિવર્યશ્રી દ્વારા સંપન્ન થયા. મુંબઈની પાવનધરા પર મુલુંડ ચેક નાકા, ખાર, ઇસ્ટ શાંતાક્રુઝ આદિ સ્થાનોમાં જબ્બર પ્રભાવના ચાતુર્માસ દ્વારા ઐતિહાસિક થઈ. પૂ. ગણિવરશ્રી ખૂબ શાસનની પ્રભાવના દ્વારા પુણ્યોપાર્જન કરે. મંગલકામના કોટીશઃ વંદના
સૌજન્ય : ચેકનાકા મુલુન્ડ અચલગચ્છ જૈન સંઘની ભૂરીશઃ વંદના.
Jain Education International
૬૩૦
તેજસ્વી પ્રવચનકાર, જ્યોતિષાચાર્ય ગણિવર્યશ્રી વીરભદ્રસાગરજી મ.સા.
શૈશવકાળ એટલે ધૂળમાં રમવાની વય...! વીરચંદ્ર બાળવયથી ધીર અને ગંભીર...સૌથી નિરાળા.. શુચીનામ્ શ્રીમંતાંગેહે યોગભ્રષ્ટોઽપિજાયતે... ગીતાની પંક્તિને સાર્થક કરવામાં જાણે સાહસી બન્યા હોય એવા બાળવીરકુમારે પોતાના વડીલબંધુ કિશોરકુમાર દેઢીયાની સાથે સં.
૨૦૨૬ની સાલે કા. વ. ૧૩ના દિવસે પ્રભુવીરની વાટે સંયમકાજે સંચર્યા. પૂ.પાદ અચલગચ્છાધિપતિ આ.ભ. શ્રી ગુણસાગરસૂરિજી મહારાજાના વરદ્ હસ્તે ભુજપુર-કચ્છની પાવનધરા પર વીરચંદ્ર ગાંધીમાંથી વીરભદ્ર સાગરજી બન્યા. પૂ. તપસ્વી મુનિરાજશ્રી ગુણોદયસાગરજી મ.સા.ના શિષ્ય તરીકે સ્થાપ્યા. દાદાગુરુની અને ગુરુદેવની અસીમકૃપાએ બાળવીર! સેવા-સાધના-સ્વાધ્યાય અને બનારસ યુનિ. પંડિતો પાસે ન્યાયવ્યાકરણ-કાવ્ય-સાહિત્ય-છંદ-અલંકાર અને જ્યોતિષાદિઆગમાદિ શાસ્ત્રોના અધ્યયન દ્વારા વિદ્વત્તા પ્રાપ્ત કરી. ઓલ ઇન્ડિયા એસ્ટ્રોલોજી યુનિ દ્વારા જ્યોતિષાચાર્યની માનદ્ ડિગ્રી પ્રાપ્ત કરી. બ્રહદ્ સંસ્કૃત વિદ્વત્પરિષદ અમદાવાદ યુનિ. દ્વારા સાહિત્યરત્ન-સાહિત્ય શાસ્ત્રીની એમ.એ. સમકક્ષ ડિગ્રી મેળવી. પૂ. મુનિરાજશ્રી વીરભદ્ર સાગરજી મ.ને પાલિતાણાની પાવનધરા પર પૂજ્યપાદ અચલગચ્છાધિપતિ આ.ભ. શ્રી ગુણોદયસાગરસૂરિજી મહારાજાએ મુનિરાજ શ્રી કવિન્દ્રસાગરજી મ. સાથે સં. ૨૦૪૭ની સાલે ફા.વ. ૭ના દિવસે ગણિપદારૂઢ થયા. પૂ. ગણિવર્યશ્રી વીરભદ્રસાગરજી મ.સા. જ્યોતિષ શાસ્ત્ર તથા યંત્રશાસ્ત્રના ખોજી અને પરમ સાધક છે. અનેક દેવદેવીઓની સાધના દ્વારા કૃપાપાત્ર દ્વારા શાસનની પ્રભાવના કરી છે. પૂ. ગણિવર્યશ્રી પોતાના પર શ્રદ્ધેય ગુરુદેવ આ.ભ.શ્રી ગુણોદયસાગરસૂરિજી મહારાજા સાથે રહી દીક્ષા-પ્રતિષ્ઠા અંજનશલાકા અનેક વિધ શાસન પ્રભાવનામાં સહાયક બન્યા છે અને શાંતાક્રૂઝ, ખાર, ચેકનાકા (મુલુન્ડ), કલ્યાણ વગેરે સ્થળોએ ચાતુર્માસ દ્વારા ખૂબ જ પ્રભાવના કરી છે. પૂજ્યશ્રીને ખાર (ઈ.) મુંબઈ જૈન સંઘની વંદના.
સૌજન્ય : શ્રી જયજિનેન્દ્ર ગૌતમનિધિ ટ્રસ્ટ, મુંબઈ.
For Private & Personal Use Only
www.jainelibrary.org