SearchBrowseAboutContactDonate
Page Preview
Page 635
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૧ ૬૧૫ બની જાય. ખુશ ખુશ થઈ જાય. કેવી મહાપુરુષની જ્ઞાન પ્રત્યેની, સત્યસમજણ પ્રત્યેની પદાર્થ ચોક્કસ કરવાની કટિબદ્ધતા, તલ્લીનતા! આ રીતે ગહન શાસ્ત્રોનાં દોહન અને મંથનથી તેઓશ્રી ખરેખર સુજ્ઞાની બન્યા. શાસનમાં આવતાં આંધી અને આફતોનાં તોફાનોમાં પણ અડીખમ ઊભા રહેનારા, ઝઝૂમનારા વફાદાર મહાપુરુષ બન્યા. પ્રાણના ભોગે પણ ભગવાન મહાવીરના સિદ્ધાંતોની રક્ષા કરવાની ખેવનાથી પૂજયશ્રી સિદ્ધાંતનિષ્ઠ તરીકે પંકાયા. શાસનની પ્રભાવના અને રક્ષા એ જ તેમનું જીવન હતું. ‘પ્રભાવના ઓછી થશે તો ચાલશે પણ શાસનરક્ષામાં જરાપણ કચાશ નહીં જ ચાલે'— આ તેમની મજબૂત માન્યતા હતી, જેના કારણે જૈનજગતના જવાહિર તપાગચ્છાધિરાજ આ. ભ. શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા માટે પણ ‘સલાહનું કેન્દ્ર' બન્યા હતા. નિરંતર જ્ઞાનસાધના સાથે આશ્રિતજનોનું સુયોગ્ય ઘડતર, શાસનના મૂંઝવતા પ્રશ્નો પ્રત્યે અદ્ભુત જાગૃતિ સાથે સાથે અદ્ભુત પરમાત્મ-ભક્તિ-ધ્યાનશક્તિ-જાપશક્તિ પણ પૂજયશ્રીનું મજબૂત પાસું હતું. વઢિયાર દેશમાં બિરાજતાં પ્રગટપ્રભાવી પુરુષાદાનીય શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનું અને જૈનોનું મુખ્ય યાત્રાધામ શાશ્વત (કાયમ રહેનારું) પાલિતાણાધામ અને ત્યાં બિરાજતા શ્રી આદિનાથ દાદાનું તેઓશ્રી ખાસ ધ્યાન કરતા. નવકારમંત્રના જાપ સાથે અનેક બીજા મંત્ર-જાપો વડે તેઓશ્રીએ પોતાના સંયમજીવનને મઘમઘાયમાન બનાવ્યું હતું. તમામ પ્રકારની યોગ્યતાઓને જોઈને વડીલોએ તેઓશ્રીની ક્રમે ક્રમે ગણિ, પન્યાસ અને અંતે આચાર્યપદવી (જૈન ધર્મના પ્રગતિમય બઢતીનાં સ્થાનો (પ્રમોશન)પર આરૂઢ કરી આ મહામુનિશ્રીને મુનિમાંથી જૈનાચાર્ય વિજય સોમચંદ્રસૂરીશ્વરજી તરીકે પ્રસિદ્ધ કર્યા. એ સમય હતો વિક્રમ સંવત ૨૦૨૯ના મહા સુદ ૫, વસંત પંચમીનો અને ધન્ય ધરા હતી ભાભર તીર્થની. મહા મહિમાવંત જગપ્રસિદ્ધ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ. જિનાલયના જિર્ણોદ્ધારનું કામ (સાદા પત્થરોમાંથી સંગેમરમરના આરસોથી અને દેદીપ્યમાન કલાકારીગરીવાળી કોતરણીથી યુક્ત સુંદર કામ) આ જૈનાચાર્યની પ્રેરણા—સદુપદેશ અને શાસ્ત્રોક્ત શિલ્યસિદ્ધાંતો મુજબ માર્ગદર્શનથી થયું, જેના પ્રભાવે આજે આપણે સૌ આ દેવવિમાન તુલ્ય દેદીપ્યમાન સંગેમરમરના સફેદ હંસ જેવા, કલા-કારીગરી અને નકશી કોતરણીવાળા સુવર્ણમસ્યા કળશોવાળા બાવન જિનાલયોથી શોભતા જોવા માત્રથી હૈયું ઠરે, આંખો ઠરે, મનને શાન્તિ મળે એવા દાદાના દરબારને જોઈ શકીએ છીએ. આ પણ પૂજ્યશ્રીનો નાનોસૂનો ઉપકાર ન કહેવાય. બનાસકાંઠા, પાટણ, વઢિયાર, રાજસ્થાન પૂજ્યશ્રીની ખાસ વિહારભૂમિ (ધર્મ-પ્રચારનું કેન્દ્ર) હતી. આજે પણ આ પ્રદેશના જીવો પૂજ્યશ્રીની નીડરતા, જ્ઞાનરુચિ, ક્રિયા-ચુસ્તતાના ઉમંગભેર વખાણ કરતાં થાકતા નથી. પોતાનો લેશમાત્ર વિચાર કર્યા વગર બીજા જીવોનું કલ્યાણ કેમ થાય? તે હેતુથી જ આ પ્રદેશોનાં શહેરો અને ગામડાઓમાં રહી જીવોને ધર્મનું પાન કરાવ્યું. સુસંસ્કાર અને સદાચારોનું સિંચન કર્યું. તેમના સમાગમ આવેલા કેટલાય જીવોએ સંયમજીવન (જેનદીક્ષા) સ્વીકાર્યું. ઘણી વિષમ પરિસ્થિતિઓનો સામનો કરીને પણ આ ગુરુદેવે જૈનદીક્ષા બાળદીક્ષાનો જયનાદ ગજાવ્યો અને ધામધૂમપૂર્વક દીક્ષાઓ આપી. શાસનની શાન વધારી એ દ્વારા વિરોધીઓ પણ પૂજ્યશ્રીના પરમ ગુરુભક્ત બની ગયા. અનેક જિનાલયોની પ્રતિષ્ઠાદિ પ્રસંગો, નવાં જિનમંદિરનિર્માણ, ઉપધાનતપ, ઉજમણાં, દીક્ષા મહોત્સવો, પ્રભુભક્તિના વિવિધ મહોત્સવો દ્વારા જૈનશાસનની વિજયપતાકાને જગતના ચોગાનમાં સદાયે ફરકતી રાખી. પૂજ્ય ગુરુદેવને સંયમી જીવનમાં અનેક શારીરિક નાનીમોટી બિમારીઓ આવી અને પૂજ્યશ્રીની પ્રગતિના પંથે પૂરપાટવેગે ચાલતી સંયમયાત્રાને ધીમી કરવાઅટકાવવા પ્રયત્ન કર્યો પણ પૂજ્યશ્રી સ્વયં બધું સમજેલા અને જાગૃત હતા, જેથી ત્રાસદાયક ભયંકર વ્યાધિના સમયમાં પણ જોરદાર સમાધિભાવ | (શાન્તચિત્તે આવેલ રોગોને, વ્યાધિને સહન કરવા)થી તેનો સામનો કર્યો. અંતે વ્યાધિઓ નાશ પામી (ભાગી ગઈ). પૂજ્યશ્રીનો જ્વલંત વિજય થયો. ત્રાસદાયક વ્યાધિમાં એક વાર પૂજ્યશ્રીને સંયમજીવનના પ્રારંભકાળમાં પેટમાં ગાંઠની બિ ારી થતાં તે સમયે એક કીડની કાઢી નાખેલ. ત્યારપછીનું પૂજયશ્રીનું જીવન માત્ર એક જ કીડનીથી ચાલતું હતું. જૈન સંઘનું, પરિવારનું ગુરુભક્તોનું પુણ્ય ઝાંખું પડ્યું, જેના કારણે પૂજ્યશ્રીને અંતિમ ઉંમરે કીડનીની બિમારી થઈ. કીડની નબળી પડતી હતી. ડૉ.ની સલાહ માત્ર ધર્મ-ઉપચારની હતી. સૌને લાગ્યું કે પૂજ્યશ્રી હવે આપણા વચ્ચે વધુ સમય નથી. સૌ ગંભીર થયાં. કર્મસત્તા આગળ કોનું ચાલે? દિવસ હતો વિક્રમ સંવત ૨૦૪૮ જેઠ સુદ ૧૧નો, સમય હતો સંધ્યાના છ કલાકનો, આખરી ક્ષણનાં એંધાણ પૂજયશ્રીને જાણે કે અગાઉથી થયાં હોય તેમ છેલ્લા પાંચ દિવસથી સ્વસ્થતાપૂર્વક અન્ન-પાણીનો Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy